મહારાષ્ટ્રમાં શિંદે સરકાર રહેેશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 10:25:29

સુપ્રીમ કોર્ટમાં આજે મહારાષ્ટ્રમાં એકનાથ સિંદેની સરકાર રહેશે કે નહીં તેનો નિર્ણય થવાનો છે. મહારાષ્ટ્રમાં રાજનીતિક સંકટ પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવાની છે. 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જો સમગ્ર મામલાની વાત કરીએ તો ગયા વર્ષે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો હતો. બગાવત કરીને ભાજપનું સમર્થન લઈ સરકાર બનાવી દીધી હતી. રાજ્યપાલે તેમની સરકારને માન્યતા આપીને શપથ લેવડાવ્યા પણ હતા.


આ છે આ સમગ્ર મામલાની ટાઈમલાઈન!

સમગ્ર મામલાના ટાઈમલાઈનની વાત કરીએ તો 20 જૂન 2022માં શિવસેનાના 15 ધારાસભ્યો 10 નિર્દળિય વિધાયકોની સાથે પહેલા સુરત ગયા અને પછી ગુવાહટી માટે નીકળી ગયા હતા. 23 જૂન 2022એ એકનાથ સિંદેએ દાવો કર્યો કે તેમની પાસે શિવસેનાના 35 ધારાસભ્યોનું સર્મથન છે અને આ અંગે લેટર બહાર પાડ્યો હતો. 25 જૂન 2022એ ડે. સ્પીકરે 16 બાગી ધારાસભ્યને નોટિસ મોકલી. જેમાં ધારાસભ્યની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ મોકલી હતી.જે બાદ બાગી ધારાસભ્ય સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા. 26 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડે. સ્પીકરને નોટિસ મોકલી હતી. બાગી ધારાસભ્યને રાહત મળી હતી. 


સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો! 

જે બાદ 28 જૂન 2022એ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહ્યું. 29 જૂનએ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવાની ના પાડી દીધી. જે બાદ મુખ્યમંત્રી પદ ઉપરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપી દીધું હતું. જે બાદ 30 જૂનના રોજ એકનાથ સિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. 3 જૂલાઈના રોજ નવા સ્પીકરે શિંદે ગ્રુપને સદનમાં માન્યતા આપી. બીજા દિવસે શિંદે જૂથએ વિશ્વાસ મત હાસલ કરી લીધો હતો. 3 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી 10 દિવસ સુધી ટાળી દીધી હતી અને તે સમય દરમિયાન એકનાથ શિંદેએ સરકાર બનાવી લીધી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલા અંગે ત્યાં સુધી સુનાવણી નહીં થાય જ્યાં સુધી ચૂંટણી પંચ પોતાનો નિર્ણય નહીં આપે.


આ કેસની સુનાવણી કરાઈ રહી છે પાંચ જજો દ્વારા! 

8 ઓગષ્ટ, 12 ઓગષ્ટ તેમજ 22 ઓગષ્ટના રોજ સુનાવણી ટાળવામાં આવી હતી. 23 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ કેસ સંવિધાન પીઠને ટ્રાન્સફર કર્યો હતો. માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે આ મામલે સુનવણી હાથ ધરી હતી અને પોતાના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેને બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.


આ નિર્ણયથી ગરમાઈ શકે છે મહારાષ્ટ્રનું રાજકારણ!

ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા 16 ધારાસભ્યોની સદસ્યતાની માન્યતાને પડકરારવામાં આવી હતી. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રના રાજકારણ પર તેની અસર પડશે. જો પાંચ જજોની બેન્ચ રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરે છે, તો એકનાથ શિંદેની સરકારની કાયદેસરતા પર પણ પોતાનો ચુકાદો આપવો પડશે. આ નિર્ણય સાથે ઉદ્ધવ ઠાકરે તેમજ એકનાથ સિંદેના રાજનૈતિક ભવિષ્ય પર પણ અસર પડી શકે છે.       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.