મહારાષ્ટ્રમાં શિંદે સરકાર રહેેશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 10:25:29

સુપ્રીમ કોર્ટમાં આજે મહારાષ્ટ્રમાં એકનાથ સિંદેની સરકાર રહેશે કે નહીં તેનો નિર્ણય થવાનો છે. મહારાષ્ટ્રમાં રાજનીતિક સંકટ પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવાની છે. 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જો સમગ્ર મામલાની વાત કરીએ તો ગયા વર્ષે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો હતો. બગાવત કરીને ભાજપનું સમર્થન લઈ સરકાર બનાવી દીધી હતી. રાજ્યપાલે તેમની સરકારને માન્યતા આપીને શપથ લેવડાવ્યા પણ હતા.


આ છે આ સમગ્ર મામલાની ટાઈમલાઈન!

સમગ્ર મામલાના ટાઈમલાઈનની વાત કરીએ તો 20 જૂન 2022માં શિવસેનાના 15 ધારાસભ્યો 10 નિર્દળિય વિધાયકોની સાથે પહેલા સુરત ગયા અને પછી ગુવાહટી માટે નીકળી ગયા હતા. 23 જૂન 2022એ એકનાથ સિંદેએ દાવો કર્યો કે તેમની પાસે શિવસેનાના 35 ધારાસભ્યોનું સર્મથન છે અને આ અંગે લેટર બહાર પાડ્યો હતો. 25 જૂન 2022એ ડે. સ્પીકરે 16 બાગી ધારાસભ્યને નોટિસ મોકલી. જેમાં ધારાસભ્યની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ મોકલી હતી.જે બાદ બાગી ધારાસભ્ય સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા. 26 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડે. સ્પીકરને નોટિસ મોકલી હતી. બાગી ધારાસભ્યને રાહત મળી હતી. 


સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો! 

જે બાદ 28 જૂન 2022એ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહ્યું. 29 જૂનએ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવાની ના પાડી દીધી. જે બાદ મુખ્યમંત્રી પદ ઉપરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપી દીધું હતું. જે બાદ 30 જૂનના રોજ એકનાથ સિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. 3 જૂલાઈના રોજ નવા સ્પીકરે શિંદે ગ્રુપને સદનમાં માન્યતા આપી. બીજા દિવસે શિંદે જૂથએ વિશ્વાસ મત હાસલ કરી લીધો હતો. 3 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી 10 દિવસ સુધી ટાળી દીધી હતી અને તે સમય દરમિયાન એકનાથ શિંદેએ સરકાર બનાવી લીધી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલા અંગે ત્યાં સુધી સુનાવણી નહીં થાય જ્યાં સુધી ચૂંટણી પંચ પોતાનો નિર્ણય નહીં આપે.


આ કેસની સુનાવણી કરાઈ રહી છે પાંચ જજો દ્વારા! 

8 ઓગષ્ટ, 12 ઓગષ્ટ તેમજ 22 ઓગષ્ટના રોજ સુનાવણી ટાળવામાં આવી હતી. 23 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ કેસ સંવિધાન પીઠને ટ્રાન્સફર કર્યો હતો. માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે આ મામલે સુનવણી હાથ ધરી હતી અને પોતાના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેને બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.


આ નિર્ણયથી ગરમાઈ શકે છે મહારાષ્ટ્રનું રાજકારણ!

ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા 16 ધારાસભ્યોની સદસ્યતાની માન્યતાને પડકરારવામાં આવી હતી. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રના રાજકારણ પર તેની અસર પડશે. જો પાંચ જજોની બેન્ચ રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરે છે, તો એકનાથ શિંદેની સરકારની કાયદેસરતા પર પણ પોતાનો ચુકાદો આપવો પડશે. આ નિર્ણય સાથે ઉદ્ધવ ઠાકરે તેમજ એકનાથ સિંદેના રાજનૈતિક ભવિષ્ય પર પણ અસર પડી શકે છે.       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.