મહારાષ્ટ્રમાં શિંદે સરકાર રહેેશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 10:25:29

સુપ્રીમ કોર્ટમાં આજે મહારાષ્ટ્રમાં એકનાથ સિંદેની સરકાર રહેશે કે નહીં તેનો નિર્ણય થવાનો છે. મહારાષ્ટ્રમાં રાજનીતિક સંકટ પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવાની છે. 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જો સમગ્ર મામલાની વાત કરીએ તો ગયા વર્ષે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો હતો. બગાવત કરીને ભાજપનું સમર્થન લઈ સરકાર બનાવી દીધી હતી. રાજ્યપાલે તેમની સરકારને માન્યતા આપીને શપથ લેવડાવ્યા પણ હતા.


આ છે આ સમગ્ર મામલાની ટાઈમલાઈન!

સમગ્ર મામલાના ટાઈમલાઈનની વાત કરીએ તો 20 જૂન 2022માં શિવસેનાના 15 ધારાસભ્યો 10 નિર્દળિય વિધાયકોની સાથે પહેલા સુરત ગયા અને પછી ગુવાહટી માટે નીકળી ગયા હતા. 23 જૂન 2022એ એકનાથ સિંદેએ દાવો કર્યો કે તેમની પાસે શિવસેનાના 35 ધારાસભ્યોનું સર્મથન છે અને આ અંગે લેટર બહાર પાડ્યો હતો. 25 જૂન 2022એ ડે. સ્પીકરે 16 બાગી ધારાસભ્યને નોટિસ મોકલી. જેમાં ધારાસભ્યની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ મોકલી હતી.જે બાદ બાગી ધારાસભ્ય સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા. 26 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડે. સ્પીકરને નોટિસ મોકલી હતી. બાગી ધારાસભ્યને રાહત મળી હતી. 


સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો! 

જે બાદ 28 જૂન 2022એ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહ્યું. 29 જૂનએ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવાની ના પાડી દીધી. જે બાદ મુખ્યમંત્રી પદ ઉપરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપી દીધું હતું. જે બાદ 30 જૂનના રોજ એકનાથ સિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. 3 જૂલાઈના રોજ નવા સ્પીકરે શિંદે ગ્રુપને સદનમાં માન્યતા આપી. બીજા દિવસે શિંદે જૂથએ વિશ્વાસ મત હાસલ કરી લીધો હતો. 3 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી 10 દિવસ સુધી ટાળી દીધી હતી અને તે સમય દરમિયાન એકનાથ શિંદેએ સરકાર બનાવી લીધી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલા અંગે ત્યાં સુધી સુનાવણી નહીં થાય જ્યાં સુધી ચૂંટણી પંચ પોતાનો નિર્ણય નહીં આપે.


આ કેસની સુનાવણી કરાઈ રહી છે પાંચ જજો દ્વારા! 

8 ઓગષ્ટ, 12 ઓગષ્ટ તેમજ 22 ઓગષ્ટના રોજ સુનાવણી ટાળવામાં આવી હતી. 23 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ કેસ સંવિધાન પીઠને ટ્રાન્સફર કર્યો હતો. માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે આ મામલે સુનવણી હાથ ધરી હતી અને પોતાના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેને બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.


આ નિર્ણયથી ગરમાઈ શકે છે મહારાષ્ટ્રનું રાજકારણ!

ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા 16 ધારાસભ્યોની સદસ્યતાની માન્યતાને પડકરારવામાં આવી હતી. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રના રાજકારણ પર તેની અસર પડશે. જો પાંચ જજોની બેન્ચ રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરે છે, તો એકનાથ શિંદેની સરકારની કાયદેસરતા પર પણ પોતાનો ચુકાદો આપવો પડશે. આ નિર્ણય સાથે ઉદ્ધવ ઠાકરે તેમજ એકનાથ સિંદેના રાજનૈતિક ભવિષ્ય પર પણ અસર પડી શકે છે.       



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.