ધી સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય


  • Published By :
  • Published Date : 2023-08-07 21:34:05

સુરતની જાણિતી ધી સુરત પીપલ્સ કો ઓપરેટીવ બેંકના 101 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આખે આખા બોર્ડ ઓફ મેનેજમેન્ટની 13 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. ધી સુરત પીપલ્સ કો.ઓપરેટિવ મલ્ટી સ્ટેટ બેન્કનાં 13 ડિરેક્ટરોની ચૂંટણી આજે અઠવા ગેટ વનિતા વિશ્રામ ખાતે યોજાઈ હતી. રાજકીય પરિમાણો વચ્ચે યોજાઈ રહેલો આ રોચક જંગે સહકારી બેન્કિંગ સેકટરમાં એક નવી દિશા આપી છે. સુરતની જુની અને જાણીતી બેન્કમાં ભાજપના ટોચના નેતાની પેનલનો પરાજય થતા સહકારી વર્તુળમાં આંચકો આપ્યો છે. મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા હારી જતા લોકોએ ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું


ચૂંટણીમાં મોટો ઉલટ ફેર


ધી સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં મોટો ઉલટ ફેર જોવા મળ્યો છે. સુરત શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય થયો છે. મુકેશ ગજ્જર, સુનિલ મોદી, સંજીવ તમાકુવાલા અને અમિત દિલીપભાઈ ગજ્જર પ્રેરિત સત્તાધારી સહકાર પેનલ અને શહેર ભાજપના મહામંત્રી અને બેંકના વર્તમાન ચેરમેન મુકેશ દલાલ અને માજી પ્રમુખ યવદનભાઈ બોડાવાલા પ્રેરિત પરિવર્તન પેનલે ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવ્યું હોવાથી 12,000 થી 15,000 જેટલું મતદાન થઈ શકે એવા અંદાજને પગલે ચૂંટણી અધિકારીને મતદાન મથક બદલીને વનિતા વિશ્રામ કર્યું હતું. આ  ચૂંટણીમાં મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટરની પણ હાર થઈ છે. ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા  હારી ગયા છે.


 87 હજાર મતદારોએ કર્યુ મતદાન 


સુરત શહેરના વનિતા વિશ્રામમાં 150 મથકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 87 હજાર મતદારો 26 ઉમેદવારનું ભવિષ્ય નકકી કરવા મતદાન કર્યું હતું. વિકાસ- સહકાર પેનલ સામે ટક્કર જોવા મળી હતી. વર્ષ 2016 કરતાં વધુ મતદાનની શક્યતા હતી. ચૂંટણીમાં સહકાર પેનલના 20 ઉમેદવારોમાંથી 13 ઉમેદવારો મેદાનમાં હતા. અન્ય 4 ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વિકાસ પેનલમાં 14 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ટેકો જાહેર કર્યો હતો. વર્ષ 2016-17માં યોજાયેલી ચૂંટણીમાં અંદાજે 3 હજાર ઉમેદવારોએ જ મતદાન કર્યુ હતું. આ વર્ષે કુલ 87 હજાર મતદારોમાંથી વધારેમાં વધારે મતદાતાઓ મતદાન કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે