ધી સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય


  • Published By :
  • Published Date : 2023-08-07 21:34:05

સુરતની જાણિતી ધી સુરત પીપલ્સ કો ઓપરેટીવ બેંકના 101 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આખે આખા બોર્ડ ઓફ મેનેજમેન્ટની 13 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. ધી સુરત પીપલ્સ કો.ઓપરેટિવ મલ્ટી સ્ટેટ બેન્કનાં 13 ડિરેક્ટરોની ચૂંટણી આજે અઠવા ગેટ વનિતા વિશ્રામ ખાતે યોજાઈ હતી. રાજકીય પરિમાણો વચ્ચે યોજાઈ રહેલો આ રોચક જંગે સહકારી બેન્કિંગ સેકટરમાં એક નવી દિશા આપી છે. સુરતની જુની અને જાણીતી બેન્કમાં ભાજપના ટોચના નેતાની પેનલનો પરાજય થતા સહકારી વર્તુળમાં આંચકો આપ્યો છે. મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા હારી જતા લોકોએ ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું


ચૂંટણીમાં મોટો ઉલટ ફેર


ધી સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં મોટો ઉલટ ફેર જોવા મળ્યો છે. સુરત શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય થયો છે. મુકેશ ગજ્જર, સુનિલ મોદી, સંજીવ તમાકુવાલા અને અમિત દિલીપભાઈ ગજ્જર પ્રેરિત સત્તાધારી સહકાર પેનલ અને શહેર ભાજપના મહામંત્રી અને બેંકના વર્તમાન ચેરમેન મુકેશ દલાલ અને માજી પ્રમુખ યવદનભાઈ બોડાવાલા પ્રેરિત પરિવર્તન પેનલે ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવ્યું હોવાથી 12,000 થી 15,000 જેટલું મતદાન થઈ શકે એવા અંદાજને પગલે ચૂંટણી અધિકારીને મતદાન મથક બદલીને વનિતા વિશ્રામ કર્યું હતું. આ  ચૂંટણીમાં મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટરની પણ હાર થઈ છે. ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા  હારી ગયા છે.


 87 હજાર મતદારોએ કર્યુ મતદાન 


સુરત શહેરના વનિતા વિશ્રામમાં 150 મથકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 87 હજાર મતદારો 26 ઉમેદવારનું ભવિષ્ય નકકી કરવા મતદાન કર્યું હતું. વિકાસ- સહકાર પેનલ સામે ટક્કર જોવા મળી હતી. વર્ષ 2016 કરતાં વધુ મતદાનની શક્યતા હતી. ચૂંટણીમાં સહકાર પેનલના 20 ઉમેદવારોમાંથી 13 ઉમેદવારો મેદાનમાં હતા. અન્ય 4 ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વિકાસ પેનલમાં 14 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ટેકો જાહેર કર્યો હતો. વર્ષ 2016-17માં યોજાયેલી ચૂંટણીમાં અંદાજે 3 હજાર ઉમેદવારોએ જ મતદાન કર્યુ હતું. આ વર્ષે કુલ 87 હજાર મતદારોમાંથી વધારેમાં વધારે મતદાતાઓ મતદાન કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.