ધી સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય


  • Published By :
  • Published Date : 2023-08-07 21:34:05

સુરતની જાણિતી ધી સુરત પીપલ્સ કો ઓપરેટીવ બેંકના 101 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આખે આખા બોર્ડ ઓફ મેનેજમેન્ટની 13 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. ધી સુરત પીપલ્સ કો.ઓપરેટિવ મલ્ટી સ્ટેટ બેન્કનાં 13 ડિરેક્ટરોની ચૂંટણી આજે અઠવા ગેટ વનિતા વિશ્રામ ખાતે યોજાઈ હતી. રાજકીય પરિમાણો વચ્ચે યોજાઈ રહેલો આ રોચક જંગે સહકારી બેન્કિંગ સેકટરમાં એક નવી દિશા આપી છે. સુરતની જુની અને જાણીતી બેન્કમાં ભાજપના ટોચના નેતાની પેનલનો પરાજય થતા સહકારી વર્તુળમાં આંચકો આપ્યો છે. મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા હારી જતા લોકોએ ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું


ચૂંટણીમાં મોટો ઉલટ ફેર


ધી સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં મોટો ઉલટ ફેર જોવા મળ્યો છે. સુરત શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય થયો છે. મુકેશ ગજ્જર, સુનિલ મોદી, સંજીવ તમાકુવાલા અને અમિત દિલીપભાઈ ગજ્જર પ્રેરિત સત્તાધારી સહકાર પેનલ અને શહેર ભાજપના મહામંત્રી અને બેંકના વર્તમાન ચેરમેન મુકેશ દલાલ અને માજી પ્રમુખ યવદનભાઈ બોડાવાલા પ્રેરિત પરિવર્તન પેનલે ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવ્યું હોવાથી 12,000 થી 15,000 જેટલું મતદાન થઈ શકે એવા અંદાજને પગલે ચૂંટણી અધિકારીને મતદાન મથક બદલીને વનિતા વિશ્રામ કર્યું હતું. આ  ચૂંટણીમાં મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટરની પણ હાર થઈ છે. ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા  હારી ગયા છે.


 87 હજાર મતદારોએ કર્યુ મતદાન 


સુરત શહેરના વનિતા વિશ્રામમાં 150 મથકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 87 હજાર મતદારો 26 ઉમેદવારનું ભવિષ્ય નકકી કરવા મતદાન કર્યું હતું. વિકાસ- સહકાર પેનલ સામે ટક્કર જોવા મળી હતી. વર્ષ 2016 કરતાં વધુ મતદાનની શક્યતા હતી. ચૂંટણીમાં સહકાર પેનલના 20 ઉમેદવારોમાંથી 13 ઉમેદવારો મેદાનમાં હતા. અન્ય 4 ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વિકાસ પેનલમાં 14 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ટેકો જાહેર કર્યો હતો. વર્ષ 2016-17માં યોજાયેલી ચૂંટણીમાં અંદાજે 3 હજાર ઉમેદવારોએ જ મતદાન કર્યુ હતું. આ વર્ષે કુલ 87 હજાર મતદારોમાંથી વધારેમાં વધારે મતદાતાઓ મતદાન કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.