અમદાવાદવાસીઓની મુશ્કેલી તંત્રએ સાંભળી, કેટલી સુધરશે રસ્તાની હાલત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 17:38:21

વરસાદ વરસવાને કારણે અમદાવાદના રોડ રસ્તાની હાલત અતિ-બિસમાર થઈ ગઈ છે. ઠેર-ઠેર રસ્તાઓ પર પડતા ખાડાને કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા છે. ખાડા પડવાને કારણે તંત્રની કામગીરી પર લોકોને ખૂબ રોષ વ્યાપી ઉઠ્યો છે. ખરાબ રસ્તાનો વિરોધ અનેક વખત સ્થાનિકોએ કર્યો છે પરંતુ તંત્ર દ્નારા કોઈ પગલા ન લેવાતા લોકોમાં ભારે ગુસ્સો ભરાઈ ગયો છે. ત્યારે હવે તંત્ર જાગૃત થયું છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ઘણા સમય બાદ લોકોની વેદના સમજી રોડ-રસ્તાના સમારકામ માટે નિર્ણય લીધો છે. 30 ઓક્ટોબર પહેલા શહેરના તમામ રસ્તોઓનું સમારકામ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. 

Over 10,000 km road damaged in Gujarat


Pothole Dangers - Drivers Beware


કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યું તંત્ર 

રસ્તાની ખરાબ કામગીરીને કારણે વરસાદ થતા જ રોડ રસ્તા પર ખાડાઓ પડી જાય છે. રોડનું ઘોવાણ થાય છે જેને કારણે રસ્તાઓ પર અનેક ખાડાઓ પડી જાય છે. રસ્તા પર ખાડાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાડાને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે. વાહનોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રોડ રસ્તાનું સમારકામ જલ્દી પૂર્ણ કરવા એએમસીએ આદેશ આપ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખરાબ રોડ-રસ્તા અંગે ચર્ચા થઈ હતી. 30 આક્ટોબર પહેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવે, તેવો નિર્ણય કર્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.