અમદાવાદવાસીઓની મુશ્કેલી તંત્રએ સાંભળી, કેટલી સુધરશે રસ્તાની હાલત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 17:38:21

વરસાદ વરસવાને કારણે અમદાવાદના રોડ રસ્તાની હાલત અતિ-બિસમાર થઈ ગઈ છે. ઠેર-ઠેર રસ્તાઓ પર પડતા ખાડાને કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા છે. ખાડા પડવાને કારણે તંત્રની કામગીરી પર લોકોને ખૂબ રોષ વ્યાપી ઉઠ્યો છે. ખરાબ રસ્તાનો વિરોધ અનેક વખત સ્થાનિકોએ કર્યો છે પરંતુ તંત્ર દ્નારા કોઈ પગલા ન લેવાતા લોકોમાં ભારે ગુસ્સો ભરાઈ ગયો છે. ત્યારે હવે તંત્ર જાગૃત થયું છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ઘણા સમય બાદ લોકોની વેદના સમજી રોડ-રસ્તાના સમારકામ માટે નિર્ણય લીધો છે. 30 ઓક્ટોબર પહેલા શહેરના તમામ રસ્તોઓનું સમારકામ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. 

Over 10,000 km road damaged in Gujarat


Pothole Dangers - Drivers Beware


કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યું તંત્ર 

રસ્તાની ખરાબ કામગીરીને કારણે વરસાદ થતા જ રોડ રસ્તા પર ખાડાઓ પડી જાય છે. રોડનું ઘોવાણ થાય છે જેને કારણે રસ્તાઓ પર અનેક ખાડાઓ પડી જાય છે. રસ્તા પર ખાડાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાડાને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે. વાહનોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રોડ રસ્તાનું સમારકામ જલ્દી પૂર્ણ કરવા એએમસીએ આદેશ આપ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખરાબ રોડ-રસ્તા અંગે ચર્ચા થઈ હતી. 30 આક્ટોબર પહેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવે, તેવો નિર્ણય કર્યો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે