અમદાવાદવાસીઓની મુશ્કેલી તંત્રએ સાંભળી, કેટલી સુધરશે રસ્તાની હાલત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 17:38:21

વરસાદ વરસવાને કારણે અમદાવાદના રોડ રસ્તાની હાલત અતિ-બિસમાર થઈ ગઈ છે. ઠેર-ઠેર રસ્તાઓ પર પડતા ખાડાને કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા છે. ખાડા પડવાને કારણે તંત્રની કામગીરી પર લોકોને ખૂબ રોષ વ્યાપી ઉઠ્યો છે. ખરાબ રસ્તાનો વિરોધ અનેક વખત સ્થાનિકોએ કર્યો છે પરંતુ તંત્ર દ્નારા કોઈ પગલા ન લેવાતા લોકોમાં ભારે ગુસ્સો ભરાઈ ગયો છે. ત્યારે હવે તંત્ર જાગૃત થયું છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ઘણા સમય બાદ લોકોની વેદના સમજી રોડ-રસ્તાના સમારકામ માટે નિર્ણય લીધો છે. 30 ઓક્ટોબર પહેલા શહેરના તમામ રસ્તોઓનું સમારકામ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. 

Over 10,000 km road damaged in Gujarat


Pothole Dangers - Drivers Beware


કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યું તંત્ર 

રસ્તાની ખરાબ કામગીરીને કારણે વરસાદ થતા જ રોડ રસ્તા પર ખાડાઓ પડી જાય છે. રોડનું ઘોવાણ થાય છે જેને કારણે રસ્તાઓ પર અનેક ખાડાઓ પડી જાય છે. રસ્તા પર ખાડાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાડાને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે. વાહનોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રોડ રસ્તાનું સમારકામ જલ્દી પૂર્ણ કરવા એએમસીએ આદેશ આપ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખરાબ રોડ-રસ્તા અંગે ચર્ચા થઈ હતી. 30 આક્ટોબર પહેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવે, તેવો નિર્ણય કર્યો છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .