તંત્રએ પાણી પહેલા બાંધી પાળ! અટલ બ્રિજ પર તૂટેલા ગ્લાસને હટાવીને લગાવાઈ લોખંડની ગ્રીલ! ફિક્કી પડી બ્રિજની શાન!


  • Published By :
  • Published Date : 2023-04-26 11:48:28

અમદાવાદમાં અનેક બ્રિજો આવેલા છે. પરંતુ અનેક બ્રિજો એવા હોય છે જે સતત ચર્ચામાં રહે છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી રિવરફ્રન્ટ પર આવેલો અટલ બ્રિજ હોય. થોડા સમય પહેલા અટલ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, આ બ્રિજને અમદાવાદની શાન માનવામાં આવતી હતી. લોકો બ્રિજ પરથી નદીની મજા માણી શકે તે માટે કાચ લગાવવામાં આવ્યા હતા. અનેક લોકો કાચને જોવા આવતા હતા. ત્યારે હવે બ્રિજ પરથી નદીની મજા નહીં માણી શકાય કારણ કે એએમસીએ ક્રેક થયેલા ગ્લાસને હટાવીને તેની આસપાસ ગ્રીલ લગાવી દીધી છે. 


કાચની આસપાસ લગાવવામાં આવી ગ્રીલ!

અટલ બ્રિજ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. અટલ બ્રિજ પર લોકોનો ઘસારો જોવા મળતો હતો ત્યારે થોડા સમય પહેલા અટલ બ્રિજ પર લગાવામાં આવેલા કાચ પર તિરાડ દેખાઈ હતી. લોકો આ કાચ પર ઉભા રહી નદીની મજા માણી શકતા હતા. પરંતુ કાચ પર તિરાડ દેખાતા કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા કામ કરાયું છે. અટલ બ્રિજને અમદાવાદની શાન માનવામાં આવે છે. પરંતુ હવે શાન ફિકી પડશે કારણ કે અટલ બ્રિજ પર લગાવવામાં આવેલા કાચમાં થોડા સમય પહેલા તિરાડ દેખાઈ હતી. જે બાદ  એએમસીએ ક્રેક થયેલા ગ્લાસને બદલીને તેની આસપાસ ગ્રીલ લગાડી દીધી છે. 

Atal Bridge: લોકાર્પણના સાત જ મહિનામાં અટલ બ્રિજ ઉપર લગાવેલા કાચમાં તિરાડ,  નવો કાચ લગાવાશે- Within seven months of the Atal Bridge's opening crack in  the glass will be replaced with new

કાચ ઉપર દેખાઈ હતી તિરાડ!

અટલ બ્રિજ બને હજી એક વર્ષ પણ પૂર્ણ નથી થયું તે પહેલા જ બ્રિજ પર લગાવવામાં આવેલા કાચ પર તિરાડ દેખાઈ હતી. એક વર્ષની અંદર જ કાચ તૂટી જતા બ્રિજની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. જ્યારે તિરાડ દેખાઈ હતી ત્યારે તંત્ર દ્વારા બેરિકેટ લગાવવામાં આવ્યા હતા. તે બાદ ગ્રીલ લગાવી દેવામાં આવી હતી. 


રાજ્યમાં આવેલા બ્રિજની કરાશે ચકાસણી! 

ત્યારે કરોડોના ખર્ચે બનાવામાં આવેલો બ્રિજ એક વર્ષ પણ નથી ટકતો તો કરોડો રૂપિયા ખર્ચવાનો મતલબ શું? બ્રિજનું જે આકર્ષણ હોય છે તે જ જો નહીં હોય તો બ્રિજની શાન ફિક્કી પડી જશે. ત્યારે રાજ્યમાં આવેલા તમામ બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. અંદાજીત 8 હજાર જેટલા બ્રિજ અંગે ગુણવત્તાની તપાસ થશે.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.