તંત્રએ પાણી પહેલા બાંધી પાળ! અટલ બ્રિજ પર તૂટેલા ગ્લાસને હટાવીને લગાવાઈ લોખંડની ગ્રીલ! ફિક્કી પડી બ્રિજની શાન!


  • Published By :
  • Published Date : 2023-04-26 11:48:28

અમદાવાદમાં અનેક બ્રિજો આવેલા છે. પરંતુ અનેક બ્રિજો એવા હોય છે જે સતત ચર્ચામાં રહે છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી રિવરફ્રન્ટ પર આવેલો અટલ બ્રિજ હોય. થોડા સમય પહેલા અટલ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, આ બ્રિજને અમદાવાદની શાન માનવામાં આવતી હતી. લોકો બ્રિજ પરથી નદીની મજા માણી શકે તે માટે કાચ લગાવવામાં આવ્યા હતા. અનેક લોકો કાચને જોવા આવતા હતા. ત્યારે હવે બ્રિજ પરથી નદીની મજા નહીં માણી શકાય કારણ કે એએમસીએ ક્રેક થયેલા ગ્લાસને હટાવીને તેની આસપાસ ગ્રીલ લગાવી દીધી છે. 


કાચની આસપાસ લગાવવામાં આવી ગ્રીલ!

અટલ બ્રિજ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. અટલ બ્રિજ પર લોકોનો ઘસારો જોવા મળતો હતો ત્યારે થોડા સમય પહેલા અટલ બ્રિજ પર લગાવામાં આવેલા કાચ પર તિરાડ દેખાઈ હતી. લોકો આ કાચ પર ઉભા રહી નદીની મજા માણી શકતા હતા. પરંતુ કાચ પર તિરાડ દેખાતા કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા કામ કરાયું છે. અટલ બ્રિજને અમદાવાદની શાન માનવામાં આવે છે. પરંતુ હવે શાન ફિકી પડશે કારણ કે અટલ બ્રિજ પર લગાવવામાં આવેલા કાચમાં થોડા સમય પહેલા તિરાડ દેખાઈ હતી. જે બાદ  એએમસીએ ક્રેક થયેલા ગ્લાસને બદલીને તેની આસપાસ ગ્રીલ લગાડી દીધી છે. 

Atal Bridge: લોકાર્પણના સાત જ મહિનામાં અટલ બ્રિજ ઉપર લગાવેલા કાચમાં તિરાડ,  નવો કાચ લગાવાશે- Within seven months of the Atal Bridge's opening crack in  the glass will be replaced with new

કાચ ઉપર દેખાઈ હતી તિરાડ!

અટલ બ્રિજ બને હજી એક વર્ષ પણ પૂર્ણ નથી થયું તે પહેલા જ બ્રિજ પર લગાવવામાં આવેલા કાચ પર તિરાડ દેખાઈ હતી. એક વર્ષની અંદર જ કાચ તૂટી જતા બ્રિજની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. જ્યારે તિરાડ દેખાઈ હતી ત્યારે તંત્ર દ્વારા બેરિકેટ લગાવવામાં આવ્યા હતા. તે બાદ ગ્રીલ લગાવી દેવામાં આવી હતી. 


રાજ્યમાં આવેલા બ્રિજની કરાશે ચકાસણી! 

ત્યારે કરોડોના ખર્ચે બનાવામાં આવેલો બ્રિજ એક વર્ષ પણ નથી ટકતો તો કરોડો રૂપિયા ખર્ચવાનો મતલબ શું? બ્રિજનું જે આકર્ષણ હોય છે તે જ જો નહીં હોય તો બ્રિજની શાન ફિક્કી પડી જશે. ત્યારે રાજ્યમાં આવેલા તમામ બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. અંદાજીત 8 હજાર જેટલા બ્રિજ અંગે ગુણવત્તાની તપાસ થશે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.