મોરબીમાં બનેલી દુર્ઘટના દ્વારકામાં ન બને તે માટે તંત્રએ વાપરી અગમચેતી


  • Published By :
  • Published Date : 2022-10-31 19:19:52

મોરબીમાં થયેલી ગોઝારી ઘટના બાદ તંત્ર એકાએક જાગી ગયું છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. આવી અનિચ્છનિય બનાવ કોઈ બીજી જગ્યાએ ન બને તે માટે તંત્ર સતર્ક બન્યું છે. એક બાદ એક ફૂટ બ્રિજ પર નિયંત્રણો લાદી લેવામાં આવ્યા છે.  

Dwarka Beach Sudama Setu Gomti River | Neeraj jat | Flickr

અટલ બ્રિજ પર 3000 લોકોને જ એક સાથે ફરવાની પરવાનગી આપી છે જ્યારે તંત્રએ દ્વારકામાં આવેલા સુદામાં બ્રિજને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. મોરબીમાં બનેલ આ ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજને બંધ કરવાનો નિર્ણય જિલ્લા કલેક્ટરે આપ્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે