ગરબા જોવા ગયેલી વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર્યો માર! તાલાલાની આ પ્રાથમિક શાળામાં બનેલો કિસ્સો તમને હચમચાવી દેશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-21 14:02:42

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. મા આદ્યશક્તિની આરાધના આ દિવસો દરમિયાન કરવામાં આવતી હોય છે. ગરબાનું આયોજન અનેક જગ્યાઓ પર કરવામાં આવતું હોય છે ત્યારે ગરબા જોવા કેમ વિદ્યાર્થિનીઓ ગઈ તે કહીને એક શિક્ષકે 17 વિદ્યાર્થિનીઓને માર માર્યો હોય તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગામથી સામે આવ્યો છે. જે કિસ્સો સામે આવ્યો છે તે તાલાલા તાલુકાના ધાવા ગામનો છે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર માર્યો છે. વિદ્યાર્થિનીઓના માતા પિતાએ આ અંગેની ફરિયાદ તાલુકા શિક્ષણ અધિકારીને કરી હતી. આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ છે.  

17 વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર્યો માર 

આપણે ત્યાં શિક્ષકોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. શિક્ષકનું સ્થાન માતા પિતા જેટલું ઉચું હોય છે. અનેક કલાકો સુધી બાળકો શાળામાં રહે છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. શાળામાં આપવામાં આવતી શિક્ષા બાળક સાથે જીવન ભર રહે છે. ત્યારે ગીર સોમનાથથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે 17 વિદ્યાર્થિનીઓને ઢોર માર માર્યો છે. ધાવા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી 17 વિદ્યાર્થિનીઓને તેના શિક્ષકે માર માર્યો છે કારણ કે તેઓ કહ્યા વગર ગરબી જોવા ગયા હતા. વિદ્યાર્થિનીઓએ ગરબા જોવા માટે એક કલાક વહેલા જવાની પરમિશન શિક્ષક પાસે માગી હતી. એક શિક્ષકે તેમને રજા પણ આપી દીધી હતી. પરંતુ બીજા એક શિક્ષકે કંઈ જાણ્યા વગર તેમને માર માર્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.     



શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ 

વિદ્યાર્થીઓએ માર માર્યા હોવાની વાત પોતાના માતા પિતાને કરી. આ ઘટનાની જાણ વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરી હતી. આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે. આ અંગે વાલીઓએ પ્રિન્સિપલને પણ જાણકારી આપી હતી. જ્યારે પ્રિન્સિપલને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ વાતને ટાળતા રહ્યા. અનેક વખત પૂછવામાં આવ્યું ત્યારે છેલ્લે તેમણે સ્વીકાર્યું કે શિક્ષકે વિદ્યાર્થિનીઓને માર માર્યો છે. એવી જાણકારી મળી કે શાળાના અજિત સોલંકી દ્વારા વિદ્યાર્થિનીઓને માર મરાયો છે. મહત્વનું છે કે શિક્ષકને આવી રીતે મારવાનો હક કોણે આપ્યો તે એક પ્રશ્ન છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી