ગરબા જોવા ગયેલી વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર્યો માર! તાલાલાની આ પ્રાથમિક શાળામાં બનેલો કિસ્સો તમને હચમચાવી દેશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-21 14:02:42

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. મા આદ્યશક્તિની આરાધના આ દિવસો દરમિયાન કરવામાં આવતી હોય છે. ગરબાનું આયોજન અનેક જગ્યાઓ પર કરવામાં આવતું હોય છે ત્યારે ગરબા જોવા કેમ વિદ્યાર્થિનીઓ ગઈ તે કહીને એક શિક્ષકે 17 વિદ્યાર્થિનીઓને માર માર્યો હોય તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગામથી સામે આવ્યો છે. જે કિસ્સો સામે આવ્યો છે તે તાલાલા તાલુકાના ધાવા ગામનો છે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર માર્યો છે. વિદ્યાર્થિનીઓના માતા પિતાએ આ અંગેની ફરિયાદ તાલુકા શિક્ષણ અધિકારીને કરી હતી. આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ છે.  

17 વિદ્યાર્થિનીઓને શિક્ષકે માર્યો માર 

આપણે ત્યાં શિક્ષકોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. શિક્ષકનું સ્થાન માતા પિતા જેટલું ઉચું હોય છે. અનેક કલાકો સુધી બાળકો શાળામાં રહે છે. શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. શાળામાં આપવામાં આવતી શિક્ષા બાળક સાથે જીવન ભર રહે છે. ત્યારે ગીર સોમનાથથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે 17 વિદ્યાર્થિનીઓને ઢોર માર માર્યો છે. ધાવા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી 17 વિદ્યાર્થિનીઓને તેના શિક્ષકે માર માર્યો છે કારણ કે તેઓ કહ્યા વગર ગરબી જોવા ગયા હતા. વિદ્યાર્થિનીઓએ ગરબા જોવા માટે એક કલાક વહેલા જવાની પરમિશન શિક્ષક પાસે માગી હતી. એક શિક્ષકે તેમને રજા પણ આપી દીધી હતી. પરંતુ બીજા એક શિક્ષકે કંઈ જાણ્યા વગર તેમને માર માર્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.     



શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ 

વિદ્યાર્થીઓએ માર માર્યા હોવાની વાત પોતાના માતા પિતાને કરી. આ ઘટનાની જાણ વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરી હતી. આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે. આ અંગે વાલીઓએ પ્રિન્સિપલને પણ જાણકારી આપી હતી. જ્યારે પ્રિન્સિપલને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ વાતને ટાળતા રહ્યા. અનેક વખત પૂછવામાં આવ્યું ત્યારે છેલ્લે તેમણે સ્વીકાર્યું કે શિક્ષકે વિદ્યાર્થિનીઓને માર માર્યો છે. એવી જાણકારી મળી કે શાળાના અજિત સોલંકી દ્વારા વિદ્યાર્થિનીઓને માર મરાયો છે. મહત્વનું છે કે શિક્ષકને આવી રીતે મારવાનો હક કોણે આપ્યો તે એક પ્રશ્ન છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.