દિવસેને દિવસે વધતો રખડતા ઢોરનો આતંક, લુણાવાડામાં ગાયે દીકરી અને કાકા પર કર્યો હુમલો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-14 16:44:15

રખડતાં પશુની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. અનેક લોકોને રખડતાં પશુના હુમલાને કારણે ગંભીર રીતે ઈજાઓ પહોંચતી હોય છે. અનેક વખત મોતને પણ લોકો ભેટતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાછળથી આવેલી ગાય એક દીકરી અને વડીલ પર હુમલો કરે છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મહિસાગરના લુણાવાડાનો છે. વારંવાર રખડતાં પશુ દ્વારા થતા હુમલાને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચારકોશિયાથી લઈને લીલાવતી હોસ્પિટલ સુધીના રસ્તાઓ પર તેમજ રાજ્યના અનેક રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે જીવનું સંકટ રહેતું હોય છે.     


સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ  

અનેક વખત રખડતા પશુને કારણે રાહદારીઓને તેમના હુમલાનો ભોગ બનવું પડતું હોય છે. રસ્તા પર રખડતી ગાયને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે જેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ત્યારે રખડતાં પશુના હુમલાનો ભોગ એક કાકા અને એક દીકરીને બનવું પડ્યું છે. સોશિયલ મીડિયા પર તેમના હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વધતા હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોકોનો રોષ છલકાઈ રહ્યો હતો. 


નિર્દોષ લોકો બનતા હોય છે હુમલાનો ભોગ 

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે. ગાયને આપણે માતા પણ કહીએ છીએ પણ એ માતા જ્યારે રસ્તા પર રખડતી રખડતી રણચંડી બની હુમલો કરી શારીરિક હોની પહોંચાડે ત્યારે શું કરવું જોઈએ? હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દાને લઈને સરકારની ટકોર કરવામાં આવી હતી. આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ અનેક વખત નિર્દોષ લોકો રખડતા પશુના હુમલાનો ભોગ બની રહ્યા છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.