દિવસેને દિવસે વધતો રખડતા ઢોરનો આતંક, લુણાવાડામાં ગાયે દીકરી અને કાકા પર કર્યો હુમલો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-14 16:44:15

રખડતાં પશુની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. અનેક લોકોને રખડતાં પશુના હુમલાને કારણે ગંભીર રીતે ઈજાઓ પહોંચતી હોય છે. અનેક વખત મોતને પણ લોકો ભેટતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાછળથી આવેલી ગાય એક દીકરી અને વડીલ પર હુમલો કરે છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મહિસાગરના લુણાવાડાનો છે. વારંવાર રખડતાં પશુ દ્વારા થતા હુમલાને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચારકોશિયાથી લઈને લીલાવતી હોસ્પિટલ સુધીના રસ્તાઓ પર તેમજ રાજ્યના અનેક રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે જીવનું સંકટ રહેતું હોય છે.     


સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ  

અનેક વખત રખડતા પશુને કારણે રાહદારીઓને તેમના હુમલાનો ભોગ બનવું પડતું હોય છે. રસ્તા પર રખડતી ગાયને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે જેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ત્યારે રખડતાં પશુના હુમલાનો ભોગ એક કાકા અને એક દીકરીને બનવું પડ્યું છે. સોશિયલ મીડિયા પર તેમના હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વધતા હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોકોનો રોષ છલકાઈ રહ્યો હતો. 


નિર્દોષ લોકો બનતા હોય છે હુમલાનો ભોગ 

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે. ગાયને આપણે માતા પણ કહીએ છીએ પણ એ માતા જ્યારે રસ્તા પર રખડતી રખડતી રણચંડી બની હુમલો કરી શારીરિક હોની પહોંચાડે ત્યારે શું કરવું જોઈએ? હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દાને લઈને સરકારની ટકોર કરવામાં આવી હતી. આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ અનેક વખત નિર્દોષ લોકો રખડતા પશુના હુમલાનો ભોગ બની રહ્યા છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.