દિવસેને દિવસે વધતો રખડતા ઢોરનો આતંક, લુણાવાડામાં ગાયે દીકરી અને કાકા પર કર્યો હુમલો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-14 16:44:15

રખડતાં પશુની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. અનેક લોકોને રખડતાં પશુના હુમલાને કારણે ગંભીર રીતે ઈજાઓ પહોંચતી હોય છે. અનેક વખત મોતને પણ લોકો ભેટતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાછળથી આવેલી ગાય એક દીકરી અને વડીલ પર હુમલો કરે છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મહિસાગરના લુણાવાડાનો છે. વારંવાર રખડતાં પશુ દ્વારા થતા હુમલાને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચારકોશિયાથી લઈને લીલાવતી હોસ્પિટલ સુધીના રસ્તાઓ પર તેમજ રાજ્યના અનેક રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે જીવનું સંકટ રહેતું હોય છે.     


સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ  

અનેક વખત રખડતા પશુને કારણે રાહદારીઓને તેમના હુમલાનો ભોગ બનવું પડતું હોય છે. રસ્તા પર રખડતી ગાયને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે જેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ત્યારે રખડતાં પશુના હુમલાનો ભોગ એક કાકા અને એક દીકરીને બનવું પડ્યું છે. સોશિયલ મીડિયા પર તેમના હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વધતા હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોકોનો રોષ છલકાઈ રહ્યો હતો. 


નિર્દોષ લોકો બનતા હોય છે હુમલાનો ભોગ 

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે. ગાયને આપણે માતા પણ કહીએ છીએ પણ એ માતા જ્યારે રસ્તા પર રખડતી રખડતી રણચંડી બની હુમલો કરી શારીરિક હોની પહોંચાડે ત્યારે શું કરવું જોઈએ? હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દાને લઈને સરકારની ટકોર કરવામાં આવી હતી. આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ અનેક વખત નિર્દોષ લોકો રખડતા પશુના હુમલાનો ભોગ બની રહ્યા છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.