દિવસેને દિવસે વધતો રખડતા ઢોરનો આતંક, લુણાવાડામાં ગાયે દીકરી અને કાકા પર કર્યો હુમલો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-14 16:44:15

રખડતાં પશુની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. અનેક લોકોને રખડતાં પશુના હુમલાને કારણે ગંભીર રીતે ઈજાઓ પહોંચતી હોય છે. અનેક વખત મોતને પણ લોકો ભેટતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાછળથી આવેલી ગાય એક દીકરી અને વડીલ પર હુમલો કરે છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મહિસાગરના લુણાવાડાનો છે. વારંવાર રખડતાં પશુ દ્વારા થતા હુમલાને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચારકોશિયાથી લઈને લીલાવતી હોસ્પિટલ સુધીના રસ્તાઓ પર તેમજ રાજ્યના અનેક રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે જીવનું સંકટ રહેતું હોય છે.     


સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ  

અનેક વખત રખડતા પશુને કારણે રાહદારીઓને તેમના હુમલાનો ભોગ બનવું પડતું હોય છે. રસ્તા પર રખડતી ગાયને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે જેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ત્યારે રખડતાં પશુના હુમલાનો ભોગ એક કાકા અને એક દીકરીને બનવું પડ્યું છે. સોશિયલ મીડિયા પર તેમના હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વધતા હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોકોનો રોષ છલકાઈ રહ્યો હતો. 


નિર્દોષ લોકો બનતા હોય છે હુમલાનો ભોગ 

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે. ગાયને આપણે માતા પણ કહીએ છીએ પણ એ માતા જ્યારે રસ્તા પર રખડતી રખડતી રણચંડી બની હુમલો કરી શારીરિક હોની પહોંચાડે ત્યારે શું કરવું જોઈએ? હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દાને લઈને સરકારની ટકોર કરવામાં આવી હતી. આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ અનેક વખત નિર્દોષ લોકો રખડતા પશુના હુમલાનો ભોગ બની રહ્યા છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.