મહેસાણામાં જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક, યુવક બન્યો વિફરેલી ગાયનો શિકાર, આ રીતે માંડ માંડ બચ્યો યુવકનો જીવ


  • Published By :
  • Published Date : 2023-09-04 15:45:45

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. રખડતાં પશુના આતંકથી લોકોને છુટકારો મળે તે માટે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખત આ મામલે તંત્રની ઝાટકણી કાઢી છે, અનેક વખત ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ અંતે પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. રસ્તા પર લોકોને રખડતા પશુના આતંકનો સામનો કરવો પડે છે. ત્યારે મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગાયે અનેક લોકોને અડફેટે લીધા હતા.પહેલા તો ગાયે યુવકને દોડાવ્યો અને પછી યુવકને ચિંગડે ચડાવ્યા. આ ઘટનામાં ચાર જેટલા યુવકોને ઈજા પહોંચી છે જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. 


મહેસાણામાં લોકો બન્યા રખડતા પશુના હુમલાનો શિકાર 

રસ્તા પર લોકોને પડતી મુશ્કેલીનો અંત ખબર નહીં ક્યારે આવશે? એક તરફ ખરાબ રોડને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓની તેમજ વાહનચાલકોની મુશ્કેલી વધતી હોય છે. રસ્તા પર શાંત લાગતા રખડતા પશુ ગમે ત્યારે હિંસક બની જાય છે અને હુમલો કરી દેતા હોય છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પશુના હુમલાનો ભોગ માણસે બનવું પડતું હોય છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે તો કોઈ દુનિયાને અલવિદા કહી દે છે. ત્યારે મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા પશુએ અનેક લોકો પર હુમલો કર્યો છે. શહેરના શોભાસણ રોડ પર આવેલા સાહિલ ટાઉનશીપ નજીક આ બનાવ બન્યો છે અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. 



યુવકે બચવાના તમામ પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ ગયો 

સીસીટીવીમાં જોવા મળે છે કે એક યુવક પાછળ પડેલી ગાયથી જીવ બચાવવા ભાગી રહ્યો છે. પરંતુ જાણે કે ગાય તેનો પીછો છોડવા તૈયાર નથી. જેટલી સ્પીડથી યુવક ભાગી શકે તેટલી સ્પીડમાં તે ભાગી રહ્યો છે પરંતુ તો પણ ગાય તેની પાછળ પડેલી છે. ભાગતો ભાગતો યુવક ખુલ્લા ચોકમાં પહોંચે જ્યાં પાછળથી ગાય આવીને શિંગડુ મારે છે. અનેક મિનીટો સુધી ગાય તેને મારતી રહે છે. 



આ રીતે યુવકનો બચ્યો જીવ 

યુવકને બચાવવા માટે ત્યાં હાજર લોકો આગળ આવ્યા અને લાકડીઓ લઈ ગાયને ખસેડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગાયે યુવકને છોડ્યો નહીં. ગાયને જે લોકો તેને ભગાડી રહ્યા હતા તેમની પાછળ દોડવા લાગી. આ સમય દરમિયાન યુવક ત્યાંથી ઉઠી ગયો. એવું લાગતું હતું કે યુવકનો જીવ બચી ગયો પરંતુ ના, ગાયે પાછો તેનો પીછો કર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો. આ ઘટનામાં યુવકનો જીવ બચી શક્યો ન હોત જો વચ્ચે રિક્ષા ચાલક આવ્યો ન હોત. રિક્ષા ચાલકે રિક્ષા નજીક લઈ આવી અને તેને રિક્ષામાં બેસાડી દીધો. પરંતુ રિક્ષા પર પણ ગાયે હુમલો કર્યો. રિક્ષાને પછી ચાલકે સ્પીડમાં ભગાડી જેને કારણે યુવકનો અને રિક્ષા ચાલકનો જીવ બચ્યો. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.     


ગુજરાત હાઈકોર્ટે અનેક વખત કાઢી છે ઝાટકણી 

મહત્વનું છે કે રખડતા પશુઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા પશુને પકડવા માટે અમદાવાદમાં ઝુંબેશ ચાલી રહી છે. કડક નિયમોનું પાલન કરવા પશુપાલકોને આદેશ આપ્યા છે. વધતા રખડતા પશુના ત્રાસને લઈ ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની અનેક વખત ઝાટકણી કાઢી છે. કડક પગલા લેવા માટે આદેશ આપ્યો છે. ત્યારે રખડતા પશુથી લોકોને છુટકારો મળે છે કે કેમ તે તો સમય જ બતાવશે. 



સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.