મહેસાણામાં જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક, યુવક બન્યો વિફરેલી ગાયનો શિકાર, આ રીતે માંડ માંડ બચ્યો યુવકનો જીવ


  • Published By :
  • Published Date : 2023-09-04 15:45:45

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. રખડતાં પશુના આતંકથી લોકોને છુટકારો મળે તે માટે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખત આ મામલે તંત્રની ઝાટકણી કાઢી છે, અનેક વખત ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ અંતે પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. રસ્તા પર લોકોને રખડતા પશુના આતંકનો સામનો કરવો પડે છે. ત્યારે મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગાયે અનેક લોકોને અડફેટે લીધા હતા.પહેલા તો ગાયે યુવકને દોડાવ્યો અને પછી યુવકને ચિંગડે ચડાવ્યા. આ ઘટનામાં ચાર જેટલા યુવકોને ઈજા પહોંચી છે જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. 


મહેસાણામાં લોકો બન્યા રખડતા પશુના હુમલાનો શિકાર 

રસ્તા પર લોકોને પડતી મુશ્કેલીનો અંત ખબર નહીં ક્યારે આવશે? એક તરફ ખરાબ રોડને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓની તેમજ વાહનચાલકોની મુશ્કેલી વધતી હોય છે. રસ્તા પર શાંત લાગતા રખડતા પશુ ગમે ત્યારે હિંસક બની જાય છે અને હુમલો કરી દેતા હોય છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પશુના હુમલાનો ભોગ માણસે બનવું પડતું હોય છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે તો કોઈ દુનિયાને અલવિદા કહી દે છે. ત્યારે મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા પશુએ અનેક લોકો પર હુમલો કર્યો છે. શહેરના શોભાસણ રોડ પર આવેલા સાહિલ ટાઉનશીપ નજીક આ બનાવ બન્યો છે અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. 



યુવકે બચવાના તમામ પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ ગયો 

સીસીટીવીમાં જોવા મળે છે કે એક યુવક પાછળ પડેલી ગાયથી જીવ બચાવવા ભાગી રહ્યો છે. પરંતુ જાણે કે ગાય તેનો પીછો છોડવા તૈયાર નથી. જેટલી સ્પીડથી યુવક ભાગી શકે તેટલી સ્પીડમાં તે ભાગી રહ્યો છે પરંતુ તો પણ ગાય તેની પાછળ પડેલી છે. ભાગતો ભાગતો યુવક ખુલ્લા ચોકમાં પહોંચે જ્યાં પાછળથી ગાય આવીને શિંગડુ મારે છે. અનેક મિનીટો સુધી ગાય તેને મારતી રહે છે. 



આ રીતે યુવકનો બચ્યો જીવ 

યુવકને બચાવવા માટે ત્યાં હાજર લોકો આગળ આવ્યા અને લાકડીઓ લઈ ગાયને ખસેડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગાયે યુવકને છોડ્યો નહીં. ગાયને જે લોકો તેને ભગાડી રહ્યા હતા તેમની પાછળ દોડવા લાગી. આ સમય દરમિયાન યુવક ત્યાંથી ઉઠી ગયો. એવું લાગતું હતું કે યુવકનો જીવ બચી ગયો પરંતુ ના, ગાયે પાછો તેનો પીછો કર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો. આ ઘટનામાં યુવકનો જીવ બચી શક્યો ન હોત જો વચ્ચે રિક્ષા ચાલક આવ્યો ન હોત. રિક્ષા ચાલકે રિક્ષા નજીક લઈ આવી અને તેને રિક્ષામાં બેસાડી દીધો. પરંતુ રિક્ષા પર પણ ગાયે હુમલો કર્યો. રિક્ષાને પછી ચાલકે સ્પીડમાં ભગાડી જેને કારણે યુવકનો અને રિક્ષા ચાલકનો જીવ બચ્યો. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.     


ગુજરાત હાઈકોર્ટે અનેક વખત કાઢી છે ઝાટકણી 

મહત્વનું છે કે રખડતા પશુઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા પશુને પકડવા માટે અમદાવાદમાં ઝુંબેશ ચાલી રહી છે. કડક નિયમોનું પાલન કરવા પશુપાલકોને આદેશ આપ્યા છે. વધતા રખડતા પશુના ત્રાસને લઈ ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની અનેક વખત ઝાટકણી કાઢી છે. કડક પગલા લેવા માટે આદેશ આપ્યો છે. ત્યારે રખડતા પશુથી લોકોને છુટકારો મળે છે કે કેમ તે તો સમય જ બતાવશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.