Rajkotમાં જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક, અડફેટે આવતા વૃદ્ધાનું થયું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-10-21 18:55:55

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. રખડતાં પશુના આતંકથી લોકોને છુટકારો મળે તે માટે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખત આ મામલે તંત્રની ઝાટકણી કાઢી છે, અનેક વખત ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ અંતે પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. રસ્તા પર લોકોને રખડતા પશુના આતંકનો સામનો કરવો પડે છે. ત્યારે રાજકોટમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. ગાયની અડફેટે આવી જતા એક વૃદ્ધાનું મોત થઈ ગયું છે. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

એક તરફ ખરાબ રસ્તાઓ અને બીજી તરફ રખડતા ઢોરનો ત્રાસ 

રસ્તા પર લોકોને પડતી મુશ્કેલીનો અંત ખબર નહીં ક્યારે આવશે? એક તરફ ખરાબ રોડને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓની તેમજ વાહનચાલકોની મુશ્કેલી વધતી હોય છે. રસ્તા પર શાંત લાગતા રખડતા પશુ ગમે ત્યારે હિંસક બની જાય છે અને હુમલો કરી દેતા હોય છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પશુના હુમલાનો ભોગ માણસે બનવું પડતું હોય છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે તો કોઈ દુનિયાને અલવિદા કહી દે છે. 

રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા સરકારે આ ઉપાય શોધ્યો, મોરબીથી કરી શરૂઆત, હવે મોટા  શહેરોમાં થશે અમલ - Gujarat Tak

Gujarat News,રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત, જામનગરમાં અડફેટે લેતા  યુવકનું મોત - jamnagar news cattle terror increased youth dies after being  run over by stray cattle - Iam Gujarat

દાદી બન્યા રખડતા ઢોરના હુમલાનો શિકાર!

ત્યારે રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા પશુએ એક દાદી માંને અડફેટે લીધા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર કોઠારીયા ગામના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સમાં રહેતા ગોદાવરીબેન સવારે શિવાલય દર્શન કરવા ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે તેમના પર હુમલો કર્યો હતો. મહત્વનું છે થોડા દિવસ પહેલા રાજકોટથી આવો કિસ્સો સામે આવ્યો હતો. પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકો આવા હુમલાનો ભોગ બનતા રહેશે?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.