અમદાવાદમાં વધી રહ્યો છે રખડતા શ્વાનનો આતંક


  • Published By :
  • Published Date : 2022-12-19 17:13:27

છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ અનેક મુસીબતનો સામનો કરી રહ્યા છે. રખડતા પશુઓને કારણે  લોકોને હાલાકી ભોગવી પડતી હતી પરંતુ કૂતરાનો ત્રાસ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા શ્વાનને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્વાન અંગે તંત્રને અનેક ફરિયાદ મળી છે. ડિસેમ્બર મહિનામાં કૂતરાને લઈ હજી સૂધી 235 ફરિયાદો મળી છે.


રખડતા પશુઓને કારણે વધી શહેરીજનોની મુશ્કેલી 

વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ જોવા મળે છે. ઉપરાંત રસ્તા પર રખડતા પશુઓને કારણે લોકોને તેમજ વાહનચાલકને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પશુઓને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. તો અનેક લોકોના મોત પણ થયા છે. રખડતી ગાયની સમસ્ચા તો ત્યાંની ત્યાં રહી પરંતુ રખડતા શ્વાનને કારણે પણ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


રખડતા શ્વાનને લઈ તંત્ર પાસે આવી છે અનેક ફરિયાદ

અનેક લોકોએ રખડતા શ્વાનને લઈ તંત્રને ફરિયાદ કરી છે. રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા પર નજર કરીએ તો એપ્રિલ મહિનામાં 460 જેટલી ફરિયાદો મળી છે. મે મહિનામાં 440 ફરિયાદો મળી છે. જૂનમાં 516 ફરિયાદ નોંધાઈ છે. જૂલાઈમાં 533 ફરિયાદ આવી છે. ઓગસ્ટ મહિનામાં 476 ફરિયાદો આવી છે. સપ્ટેમ્બરમાં તંત્રને 539 ફરિયાદ મળી છે. ઓક્ટોબરમાં 395 ફરિયાદ મળી છે. નવેમ્બર મહિનામાં 492 ફરિયાદો મળી છે. અને ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 235 ફરિયાદો સામે આવી છે.  રખડતા પશુને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે. અકસ્માતને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે. રખડતા પશુઓનો ત્રાસ તો ઓછો નથી થયો ત્યારે રખતા શ્વાનને કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.