અમદાવાદમાં વધી રહ્યો છે રખડતા શ્વાનનો આતંક


  • Published By :
  • Published Date : 2022-12-19 17:13:27

છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ અનેક મુસીબતનો સામનો કરી રહ્યા છે. રખડતા પશુઓને કારણે  લોકોને હાલાકી ભોગવી પડતી હતી પરંતુ કૂતરાનો ત્રાસ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા શ્વાનને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્વાન અંગે તંત્રને અનેક ફરિયાદ મળી છે. ડિસેમ્બર મહિનામાં કૂતરાને લઈ હજી સૂધી 235 ફરિયાદો મળી છે.


રખડતા પશુઓને કારણે વધી શહેરીજનોની મુશ્કેલી 

વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ જોવા મળે છે. ઉપરાંત રસ્તા પર રખડતા પશુઓને કારણે લોકોને તેમજ વાહનચાલકને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પશુઓને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. તો અનેક લોકોના મોત પણ થયા છે. રખડતી ગાયની સમસ્ચા તો ત્યાંની ત્યાં રહી પરંતુ રખડતા શ્વાનને કારણે પણ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


રખડતા શ્વાનને લઈ તંત્ર પાસે આવી છે અનેક ફરિયાદ

અનેક લોકોએ રખડતા શ્વાનને લઈ તંત્રને ફરિયાદ કરી છે. રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા પર નજર કરીએ તો એપ્રિલ મહિનામાં 460 જેટલી ફરિયાદો મળી છે. મે મહિનામાં 440 ફરિયાદો મળી છે. જૂનમાં 516 ફરિયાદ નોંધાઈ છે. જૂલાઈમાં 533 ફરિયાદ આવી છે. ઓગસ્ટ મહિનામાં 476 ફરિયાદો આવી છે. સપ્ટેમ્બરમાં તંત્રને 539 ફરિયાદ મળી છે. ઓક્ટોબરમાં 395 ફરિયાદ મળી છે. નવેમ્બર મહિનામાં 492 ફરિયાદો મળી છે. અને ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 235 ફરિયાદો સામે આવી છે.  રખડતા પશુને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે. અકસ્માતને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે. રખડતા પશુઓનો ત્રાસ તો ઓછો નથી થયો ત્યારે રખતા શ્વાનને કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.