અમદાવાદમાં વધી રહ્યો છે રખડતા શ્વાનનો આતંક


  • Published By :
  • Published Date : 2022-12-19 17:13:27

છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ અનેક મુસીબતનો સામનો કરી રહ્યા છે. રખડતા પશુઓને કારણે  લોકોને હાલાકી ભોગવી પડતી હતી પરંતુ કૂતરાનો ત્રાસ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા શ્વાનને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્વાન અંગે તંત્રને અનેક ફરિયાદ મળી છે. ડિસેમ્બર મહિનામાં કૂતરાને લઈ હજી સૂધી 235 ફરિયાદો મળી છે.


રખડતા પશુઓને કારણે વધી શહેરીજનોની મુશ્કેલી 

વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ જોવા મળે છે. ઉપરાંત રસ્તા પર રખડતા પશુઓને કારણે લોકોને તેમજ વાહનચાલકને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પશુઓને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. તો અનેક લોકોના મોત પણ થયા છે. રખડતી ગાયની સમસ્ચા તો ત્યાંની ત્યાં રહી પરંતુ રખડતા શ્વાનને કારણે પણ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


રખડતા શ્વાનને લઈ તંત્ર પાસે આવી છે અનેક ફરિયાદ

અનેક લોકોએ રખડતા શ્વાનને લઈ તંત્રને ફરિયાદ કરી છે. રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા પર નજર કરીએ તો એપ્રિલ મહિનામાં 460 જેટલી ફરિયાદો મળી છે. મે મહિનામાં 440 ફરિયાદો મળી છે. જૂનમાં 516 ફરિયાદ નોંધાઈ છે. જૂલાઈમાં 533 ફરિયાદ આવી છે. ઓગસ્ટ મહિનામાં 476 ફરિયાદો આવી છે. સપ્ટેમ્બરમાં તંત્રને 539 ફરિયાદ મળી છે. ઓક્ટોબરમાં 395 ફરિયાદ મળી છે. નવેમ્બર મહિનામાં 492 ફરિયાદો મળી છે. અને ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 235 ફરિયાદો સામે આવી છે.  રખડતા પશુને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે. અકસ્માતને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે. રખડતા પશુઓનો ત્રાસ તો ઓછો નથી થયો ત્યારે રખતા શ્વાનને કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.