રાજકોટમાં જોવા મળ્યો રખડતા શ્વાનનો આતંક, ઘરની બહાર રમતા બાળકને શ્વાને બનાવ્યો શિકાર


  • Published By :
  • Published Date : 2023-02-25 12:42:12

રખડતા પશુઓ તેમજ કૂતરાનો આતંક સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. પશુઓ તેમજ કૂતરાઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ત્યારે નાના બાળકો કૂતરાનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં રખડતા શ્વાનને કારણે બાળકીનું મોત થયું હતું. જેને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ત્યારે રાજકોટમાં પણ રખડતા પશુનો આતંક જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે આ હુમલો થયો હોવાની ઘટના બની છે. શુક્રવારની રાત્રે 8 વાગ્યાની આસપાસ અઢી વર્ષનો બાળક રમી રહ્યો હતો ત્યારે શ્વાને તેને બચકા ભર્યા હતા. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. 


સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો 

રાજ્યમાં સતત કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે. માસુમ બાળકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. થોડા સમય પહેલા બાળકીનો જીવ રખડતા શ્વાનના હુમલાને કારણે ગયો હતો ત્યારે રાજકોટમાં પણ રખડતાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઘરની બહાર રસ્તા પર રમી રહેલા અઢી વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો અને તેને બચકા ભરી લીધા. બાળકને શ્વાને અનેક બચકા ભર્યા છે, પગ પાસેથી લોહી વહી રહ્યું હતું જેથી તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  


શ્વાનના હુમલાની ઘટના સતત વધતા લોકોમાં ડર 

મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવાર રાત્રે બની છે. શીતળા માતાના મંદિર પાસે બાળક રમવા ગયો હતો ત્યારે તેની પર શ્વાને હુમલો કરી દીધો હતો. સ્થાનિકોએ મહામેહનતે બાળકને કૂતરાથી બચાવ્યો. આ ઘટનાને લઈ બાળકની માતાએ જણાવ્યું કે સામાન્ય રીતે તેમનું બાળક પોતાના મિત્રો સાથે રમવા જતો હોય છે પરંતુ ગઈ કાલે તે એકલો રમવા ગયો હતો અને ત્યારે તે શ્વાનના હુમલાનો ભોગ બન્યો હતો. બાળક પર હુમલો થયો ત્યારે તેઓ કપડા ધોઈ રહ્યા હતા. આસપાસના લોકોએ જાણ કરી કે તમારા બાળકને શ્વાને બચકા ભર્યા છે. ત્યારે તેમનું ધ્યાન બાળક તરફ ગયું હતું. રખડતાં પશુઓ અને શ્વાનનો આતંક ઘટાવવા કરોડો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ શ્વાનના આતંક સતત વધી રહ્યો છે. શ્વાનના હુમલા વધવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.