રાજકોટમાં જોવા મળ્યો રખડતા શ્વાનનો આતંક, ઘરની બહાર રમતા બાળકને શ્વાને બનાવ્યો શિકાર


  • Published By :
  • Published Date : 2023-02-25 12:42:12

રખડતા પશુઓ તેમજ કૂતરાનો આતંક સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. પશુઓ તેમજ કૂતરાઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ત્યારે નાના બાળકો કૂતરાનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં રખડતા શ્વાનને કારણે બાળકીનું મોત થયું હતું. જેને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ત્યારે રાજકોટમાં પણ રખડતા પશુનો આતંક જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે આ હુમલો થયો હોવાની ઘટના બની છે. શુક્રવારની રાત્રે 8 વાગ્યાની આસપાસ અઢી વર્ષનો બાળક રમી રહ્યો હતો ત્યારે શ્વાને તેને બચકા ભર્યા હતા. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. 


સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો 

રાજ્યમાં સતત કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે. માસુમ બાળકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. થોડા સમય પહેલા બાળકીનો જીવ રખડતા શ્વાનના હુમલાને કારણે ગયો હતો ત્યારે રાજકોટમાં પણ રખડતાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઘરની બહાર રસ્તા પર રમી રહેલા અઢી વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો અને તેને બચકા ભરી લીધા. બાળકને શ્વાને અનેક બચકા ભર્યા છે, પગ પાસેથી લોહી વહી રહ્યું હતું જેથી તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  


શ્વાનના હુમલાની ઘટના સતત વધતા લોકોમાં ડર 

મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવાર રાત્રે બની છે. શીતળા માતાના મંદિર પાસે બાળક રમવા ગયો હતો ત્યારે તેની પર શ્વાને હુમલો કરી દીધો હતો. સ્થાનિકોએ મહામેહનતે બાળકને કૂતરાથી બચાવ્યો. આ ઘટનાને લઈ બાળકની માતાએ જણાવ્યું કે સામાન્ય રીતે તેમનું બાળક પોતાના મિત્રો સાથે રમવા જતો હોય છે પરંતુ ગઈ કાલે તે એકલો રમવા ગયો હતો અને ત્યારે તે શ્વાનના હુમલાનો ભોગ બન્યો હતો. બાળક પર હુમલો થયો ત્યારે તેઓ કપડા ધોઈ રહ્યા હતા. આસપાસના લોકોએ જાણ કરી કે તમારા બાળકને શ્વાને બચકા ભર્યા છે. ત્યારે તેમનું ધ્યાન બાળક તરફ ગયું હતું. રખડતાં પશુઓ અને શ્વાનનો આતંક ઘટાવવા કરોડો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ શ્વાનના આતંક સતત વધી રહ્યો છે. શ્વાનના હુમલા વધવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.   



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.