રાજકોટમાં જોવા મળ્યો રખડતા શ્વાનનો આતંક, ઘરની બહાર રમતા બાળકને શ્વાને બનાવ્યો શિકાર


  • Published By :
  • Published Date : 2023-02-25 12:42:12

રખડતા પશુઓ તેમજ કૂતરાનો આતંક સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. પશુઓ તેમજ કૂતરાઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ત્યારે નાના બાળકો કૂતરાનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં રખડતા શ્વાનને કારણે બાળકીનું મોત થયું હતું. જેને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ત્યારે રાજકોટમાં પણ રખડતા પશુનો આતંક જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે આ હુમલો થયો હોવાની ઘટના બની છે. શુક્રવારની રાત્રે 8 વાગ્યાની આસપાસ અઢી વર્ષનો બાળક રમી રહ્યો હતો ત્યારે શ્વાને તેને બચકા ભર્યા હતા. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. 


સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો 

રાજ્યમાં સતત કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે. માસુમ બાળકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. થોડા સમય પહેલા બાળકીનો જીવ રખડતા શ્વાનના હુમલાને કારણે ગયો હતો ત્યારે રાજકોટમાં પણ રખડતાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઘરની બહાર રસ્તા પર રમી રહેલા અઢી વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો અને તેને બચકા ભરી લીધા. બાળકને શ્વાને અનેક બચકા ભર્યા છે, પગ પાસેથી લોહી વહી રહ્યું હતું જેથી તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  


શ્વાનના હુમલાની ઘટના સતત વધતા લોકોમાં ડર 

મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવાર રાત્રે બની છે. શીતળા માતાના મંદિર પાસે બાળક રમવા ગયો હતો ત્યારે તેની પર શ્વાને હુમલો કરી દીધો હતો. સ્થાનિકોએ મહામેહનતે બાળકને કૂતરાથી બચાવ્યો. આ ઘટનાને લઈ બાળકની માતાએ જણાવ્યું કે સામાન્ય રીતે તેમનું બાળક પોતાના મિત્રો સાથે રમવા જતો હોય છે પરંતુ ગઈ કાલે તે એકલો રમવા ગયો હતો અને ત્યારે તે શ્વાનના હુમલાનો ભોગ બન્યો હતો. બાળક પર હુમલો થયો ત્યારે તેઓ કપડા ધોઈ રહ્યા હતા. આસપાસના લોકોએ જાણ કરી કે તમારા બાળકને શ્વાને બચકા ભર્યા છે. ત્યારે તેમનું ધ્યાન બાળક તરફ ગયું હતું. રખડતાં પશુઓ અને શ્વાનનો આતંક ઘટાવવા કરોડો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ શ્વાનના આતંક સતત વધી રહ્યો છે. શ્વાનના હુમલા વધવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી