Mumbaiમાં મળી INDIA ગઠબંધનની ત્રીજી બેઠક, આજે લેવાઈ શકે આ મહત્વના નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-01 12:08:46

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ પોતાની રીતે ચૂંટણીને લઈ રણનીતિ ઘડી રહી છે તો વિપક્ષ પણ રણનીતિ પર કામ કરી રહી છે. 2024માં ભાજપને હરાવવા માટે 28 જેટલી પાર્ટીઓ એક સાથે આવી છે. INDIA ગઠબંધન તેમને નામ આપવામાં આવ્યું છે. આ ગઠબંધનની ત્રીજી બેઠક મહારાષ્ટ ખાતે મળી રહી છે. આજે મીટિંગનો બીજો દિવસ છે. અનેક વિષયો પર ચર્ચા થવાની છે. ત્યારે આજે જે બેઠક મળી છે તેમાં કયા ચિન્હ અંતર્ગત લૂંટણી લડવામાં આવશે એટલે કે લોગોને લોન્ચ કરવામાં આવશે અને કન્વીનર કોણ હશે તેની જાહેરાત કરવામાં આવશે. 

બેઠકને લઈ અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા  

મુંબઈના ગ્રાન્ડ હયાત ખાતે I.N.D.I.A.ની ત્રીજી બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. જેમાં ગઠબંધનના આગેવાનોએ કહ્યું કે સંવિધાનને બચાવવા માટે ભેગા થયા છીએ. ભાજપનો સામનો કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી પણ આપી છે પણ આ બધાની વચ્ચે નેતાઓએ જે પ્રતિક્રિયાઓ આપી છે એ સમજવા જેવી છે. ક્યાંક લાલુપ્રસાદ યાદવ કહે છે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવી પડશે. ગરીબી, બેરોજગારી અને ખેડૂતોના કલ્યાણના મુદ્દે મોદી સરકાર નિષ્ફળ રહી છે તો ક્યાંક રાઘવ ચઢ્ઢા કહે છે ભાજપને I.N.D.I.A. ગઠબંધનથી ડર છે. અલગ અલગ નેતાઓએ બેઠકને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

આજે જાહેર થઈ શકે છે લોગો અને ગઠબંધનના કન્વીનરનું નામ 

બીજા દિવસે થઈ રહેલી બેઠકમાં ભાગ લેવા રાજનેતાઓ ભેગા થઈ ગયા છે. હોટેલ ગ્રાન્ડ હયાતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં ગઠબંધનનો લોગો અને કન્વીનરનું નામ જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે તે લોગોમાં ત્રિરંગો હોઈ શકે છે. I.N.D.I.Aમાં IN કેસરી રંગનો, D સફેદ રંગનો અને IA લીલા રંગનો હોઈ શકે છે. મંજૂરી બાદ આજે લોગો જાહેર કરવામાં આવશે. 31 ઓગસ્ટે મળેલી બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. હવે જોવું રહ્યું કે કન્વીનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે છે. અને આગામી સમયમાં પ્રધાનમંત્રી પદનો કોણ દાવેદાર હશે તે પણ એક સસ્પેન્સ છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.