Mumbaiમાં મળી INDIA ગઠબંધનની ત્રીજી બેઠક, આજે લેવાઈ શકે આ મહત્વના નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-01 12:08:46

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ પોતાની રીતે ચૂંટણીને લઈ રણનીતિ ઘડી રહી છે તો વિપક્ષ પણ રણનીતિ પર કામ કરી રહી છે. 2024માં ભાજપને હરાવવા માટે 28 જેટલી પાર્ટીઓ એક સાથે આવી છે. INDIA ગઠબંધન તેમને નામ આપવામાં આવ્યું છે. આ ગઠબંધનની ત્રીજી બેઠક મહારાષ્ટ ખાતે મળી રહી છે. આજે મીટિંગનો બીજો દિવસ છે. અનેક વિષયો પર ચર્ચા થવાની છે. ત્યારે આજે જે બેઠક મળી છે તેમાં કયા ચિન્હ અંતર્ગત લૂંટણી લડવામાં આવશે એટલે કે લોગોને લોન્ચ કરવામાં આવશે અને કન્વીનર કોણ હશે તેની જાહેરાત કરવામાં આવશે. 

બેઠકને લઈ અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા  

મુંબઈના ગ્રાન્ડ હયાત ખાતે I.N.D.I.A.ની ત્રીજી બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. જેમાં ગઠબંધનના આગેવાનોએ કહ્યું કે સંવિધાનને બચાવવા માટે ભેગા થયા છીએ. ભાજપનો સામનો કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી પણ આપી છે પણ આ બધાની વચ્ચે નેતાઓએ જે પ્રતિક્રિયાઓ આપી છે એ સમજવા જેવી છે. ક્યાંક લાલુપ્રસાદ યાદવ કહે છે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવી પડશે. ગરીબી, બેરોજગારી અને ખેડૂતોના કલ્યાણના મુદ્દે મોદી સરકાર નિષ્ફળ રહી છે તો ક્યાંક રાઘવ ચઢ્ઢા કહે છે ભાજપને I.N.D.I.A. ગઠબંધનથી ડર છે. અલગ અલગ નેતાઓએ બેઠકને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

આજે જાહેર થઈ શકે છે લોગો અને ગઠબંધનના કન્વીનરનું નામ 

બીજા દિવસે થઈ રહેલી બેઠકમાં ભાગ લેવા રાજનેતાઓ ભેગા થઈ ગયા છે. હોટેલ ગ્રાન્ડ હયાતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં ગઠબંધનનો લોગો અને કન્વીનરનું નામ જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે તે લોગોમાં ત્રિરંગો હોઈ શકે છે. I.N.D.I.Aમાં IN કેસરી રંગનો, D સફેદ રંગનો અને IA લીલા રંગનો હોઈ શકે છે. મંજૂરી બાદ આજે લોગો જાહેર કરવામાં આવશે. 31 ઓગસ્ટે મળેલી બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. હવે જોવું રહ્યું કે કન્વીનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે છે. અને આગામી સમયમાં પ્રધાનમંત્રી પદનો કોણ દાવેદાર હશે તે પણ એક સસ્પેન્સ છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે