Mumbaiમાં મળી INDIA ગઠબંધનની ત્રીજી બેઠક, આજે લેવાઈ શકે આ મહત્વના નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-01 12:08:46

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ પોતાની રીતે ચૂંટણીને લઈ રણનીતિ ઘડી રહી છે તો વિપક્ષ પણ રણનીતિ પર કામ કરી રહી છે. 2024માં ભાજપને હરાવવા માટે 28 જેટલી પાર્ટીઓ એક સાથે આવી છે. INDIA ગઠબંધન તેમને નામ આપવામાં આવ્યું છે. આ ગઠબંધનની ત્રીજી બેઠક મહારાષ્ટ ખાતે મળી રહી છે. આજે મીટિંગનો બીજો દિવસ છે. અનેક વિષયો પર ચર્ચા થવાની છે. ત્યારે આજે જે બેઠક મળી છે તેમાં કયા ચિન્હ અંતર્ગત લૂંટણી લડવામાં આવશે એટલે કે લોગોને લોન્ચ કરવામાં આવશે અને કન્વીનર કોણ હશે તેની જાહેરાત કરવામાં આવશે. 

બેઠકને લઈ અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા  

મુંબઈના ગ્રાન્ડ હયાત ખાતે I.N.D.I.A.ની ત્રીજી બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. જેમાં ગઠબંધનના આગેવાનોએ કહ્યું કે સંવિધાનને બચાવવા માટે ભેગા થયા છીએ. ભાજપનો સામનો કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી પણ આપી છે પણ આ બધાની વચ્ચે નેતાઓએ જે પ્રતિક્રિયાઓ આપી છે એ સમજવા જેવી છે. ક્યાંક લાલુપ્રસાદ યાદવ કહે છે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવી પડશે. ગરીબી, બેરોજગારી અને ખેડૂતોના કલ્યાણના મુદ્દે મોદી સરકાર નિષ્ફળ રહી છે તો ક્યાંક રાઘવ ચઢ્ઢા કહે છે ભાજપને I.N.D.I.A. ગઠબંધનથી ડર છે. અલગ અલગ નેતાઓએ બેઠકને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

આજે જાહેર થઈ શકે છે લોગો અને ગઠબંધનના કન્વીનરનું નામ 

બીજા દિવસે થઈ રહેલી બેઠકમાં ભાગ લેવા રાજનેતાઓ ભેગા થઈ ગયા છે. હોટેલ ગ્રાન્ડ હયાતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં ગઠબંધનનો લોગો અને કન્વીનરનું નામ જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે તે લોગોમાં ત્રિરંગો હોઈ શકે છે. I.N.D.I.Aમાં IN કેસરી રંગનો, D સફેદ રંગનો અને IA લીલા રંગનો હોઈ શકે છે. મંજૂરી બાદ આજે લોગો જાહેર કરવામાં આવશે. 31 ઓગસ્ટે મળેલી બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. હવે જોવું રહ્યું કે કન્વીનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે છે. અને આગામી સમયમાં પ્રધાનમંત્રી પદનો કોણ દાવેદાર હશે તે પણ એક સસ્પેન્સ છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.