Mumbaiમાં મળી INDIA ગઠબંધનની ત્રીજી બેઠક, આજે લેવાઈ શકે આ મહત્વના નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-01 12:08:46

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ પોતાની રીતે ચૂંટણીને લઈ રણનીતિ ઘડી રહી છે તો વિપક્ષ પણ રણનીતિ પર કામ કરી રહી છે. 2024માં ભાજપને હરાવવા માટે 28 જેટલી પાર્ટીઓ એક સાથે આવી છે. INDIA ગઠબંધન તેમને નામ આપવામાં આવ્યું છે. આ ગઠબંધનની ત્રીજી બેઠક મહારાષ્ટ ખાતે મળી રહી છે. આજે મીટિંગનો બીજો દિવસ છે. અનેક વિષયો પર ચર્ચા થવાની છે. ત્યારે આજે જે બેઠક મળી છે તેમાં કયા ચિન્હ અંતર્ગત લૂંટણી લડવામાં આવશે એટલે કે લોગોને લોન્ચ કરવામાં આવશે અને કન્વીનર કોણ હશે તેની જાહેરાત કરવામાં આવશે. 

બેઠકને લઈ અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા  

મુંબઈના ગ્રાન્ડ હયાત ખાતે I.N.D.I.A.ની ત્રીજી બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. જેમાં ગઠબંધનના આગેવાનોએ કહ્યું કે સંવિધાનને બચાવવા માટે ભેગા થયા છીએ. ભાજપનો સામનો કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી પણ આપી છે પણ આ બધાની વચ્ચે નેતાઓએ જે પ્રતિક્રિયાઓ આપી છે એ સમજવા જેવી છે. ક્યાંક લાલુપ્રસાદ યાદવ કહે છે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવી પડશે. ગરીબી, બેરોજગારી અને ખેડૂતોના કલ્યાણના મુદ્દે મોદી સરકાર નિષ્ફળ રહી છે તો ક્યાંક રાઘવ ચઢ્ઢા કહે છે ભાજપને I.N.D.I.A. ગઠબંધનથી ડર છે. અલગ અલગ નેતાઓએ બેઠકને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

આજે જાહેર થઈ શકે છે લોગો અને ગઠબંધનના કન્વીનરનું નામ 

બીજા દિવસે થઈ રહેલી બેઠકમાં ભાગ લેવા રાજનેતાઓ ભેગા થઈ ગયા છે. હોટેલ ગ્રાન્ડ હયાતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં ગઠબંધનનો લોગો અને કન્વીનરનું નામ જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે તે લોગોમાં ત્રિરંગો હોઈ શકે છે. I.N.D.I.Aમાં IN કેસરી રંગનો, D સફેદ રંગનો અને IA લીલા રંગનો હોઈ શકે છે. મંજૂરી બાદ આજે લોગો જાહેર કરવામાં આવશે. 31 ઓગસ્ટે મળેલી બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. હવે જોવું રહ્યું કે કન્વીનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે છે. અને આગામી સમયમાં પ્રધાનમંત્રી પદનો કોણ દાવેદાર હશે તે પણ એક સસ્પેન્સ છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.