ફરી એક વખત વધ્યો Corona Virusનો ખતરો! રવિવારે નોંધાયા આટલા કેસ અને થયા આટલા લોકોના મોત, જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-12-18 10:41:21

2019માં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં પણ લાખો કોરોના સંક્રમિત થયા છે અને હજારો લોકોના મોત થયા છે. ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થયો છે. રવિવારે કોરોનાના 335 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1701 પર પહોંચ્યો છે. પાંચ લોકોના મોત થયા છે જેમાં કેરળમાં ચાર લોકોના મોત થયા છે. અને એક ઉત્તરપ્રદેશના વ્યક્તિનું મોત કોરોનાને કારણે થયું છે. કોવિડનો વેરિયન્ટ જેએન-1 નોંધાયો છે.   


દેશમાં કોરોના ફરી કરી રહ્યો છે પગપેસારો

કોરોના.... એક સમય હતો જ્યારે આ શબ્દ સાંભળતા જ લોકોમાં ડર વ્યાપી ઉઠતો. કોરોના મહામારીમાં અનેક પરિવારો વિખેરાયા છે. આપણામાંથી પણ અનેક લોકો હશે જેમણે કોરોનાને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા. પ્રતિદિન કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા તે અંગેની માહિતી આપવામાં આવતી હતી. ધીરે ધીરે કોરોના વાયરસની અસર ઓછી થતી ગઈ પરંતુ ફરી એક વખત કોરોના જાણે પગ પૈસારો કરી રહ્યો હોય તેવું લાગે છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કેસનો આંકડો 1701 થઈ ગયો છે. 


દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ         

2019માં એક ખતરનાક વાયરસ આવ્યો જેણે લોકોના જીવને જોખમમાં મૂકી દીધો. ન માત્ર ભારતના લોકો પરંતુ વિશ્વભરના લોકો આ વાયરસથી સંક્રમિત થયા અને અનેક લોકો મોતને ભેટ્યા. કોરોનાથી લોકો સુરક્ષિત રહે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું. કોઈને એ સમય વેકેશન જેવો લાગતો હતો તો કોઈ માટે એ સમય કપરો હતો. આજે કોરોનાના સમયની વાત નથી કરવી પરંતુ કોરોના કેસોની વાત કરવી છે. રવિવારે કોરોનાના 335 કેસ નોંધાયા છે. પાંચ લોકોના મોત કોરોનાને કારણે થયા છે.

સુરત: દવાની કંપનીના માલિકનું શંકાસ્પદ મોત, પોસ્ટ મોર્ટમમાં પણ ખુલાસો નહીં  થયો, સેમ્પલ લીધા – Gujaratmitra Daily Newspaper


જો શરદી ઉધરસ હોય તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરો   

આ સમાચાર વાંચ્યા બાદ અનેક લોકો કહેશે કે સમાચાર વાળા ડરાવવાનું કામ કરી રહ્યા છે. અમે ડરાવવાનું કામ નથી કરી રહ્યા પરંતુ એ જણાવવાનો પ્રચત્ન કરી રહ્યા છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે એવું નથી. એમ પણ હમણાં શિયાળાની સિઝન ચાલે છે. આ સમય દરમિયાન અનેકને ખાંસી, ઉધરસ આવતી હોય છે. કોરોનામાં પણ આવા જ લક્ષ્ણો હતા. જો થોડા દિવસોમાં ખાંસી કે ઉધરસ ન જાય તો ડોક્ટર પાસે જવું જોઈએ. શિયાળાની શરૂઆત સાથે જ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.   

World Health Organization (WHO)

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેવતણી!    

ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. વધતા કોરોનાના કેસને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ઘણા દેશોમાં કોરોનાના વધી રહેલા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાએ તમામ અસરગ્રસ્ત દેશોને નજીકથી દેખરેખ રાખવા અને પરીક્ષણ ચાલુ રાખવા વિનંતી કરી છે. જેમણે કોરોનાના કેસ વધવા પાછળના કારણો સમજાવ્યા અને સાવચેતી રાખવાની પણ વાત કરી. મહત્વનું છે કે કોરોનાના વધતા કેસને જોતા એલર્ટ રહેવા સલાહ આપી છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.