ફરી એક વખત વધ્યો Corona Virusનો ખતરો! રવિવારે નોંધાયા આટલા કેસ અને થયા આટલા લોકોના મોત, જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-12-18 10:41:21

2019માં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં પણ લાખો કોરોના સંક્રમિત થયા છે અને હજારો લોકોના મોત થયા છે. ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થયો છે. રવિવારે કોરોનાના 335 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1701 પર પહોંચ્યો છે. પાંચ લોકોના મોત થયા છે જેમાં કેરળમાં ચાર લોકોના મોત થયા છે. અને એક ઉત્તરપ્રદેશના વ્યક્તિનું મોત કોરોનાને કારણે થયું છે. કોવિડનો વેરિયન્ટ જેએન-1 નોંધાયો છે.   


દેશમાં કોરોના ફરી કરી રહ્યો છે પગપેસારો

કોરોના.... એક સમય હતો જ્યારે આ શબ્દ સાંભળતા જ લોકોમાં ડર વ્યાપી ઉઠતો. કોરોના મહામારીમાં અનેક પરિવારો વિખેરાયા છે. આપણામાંથી પણ અનેક લોકો હશે જેમણે કોરોનાને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા. પ્રતિદિન કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા તે અંગેની માહિતી આપવામાં આવતી હતી. ધીરે ધીરે કોરોના વાયરસની અસર ઓછી થતી ગઈ પરંતુ ફરી એક વખત કોરોના જાણે પગ પૈસારો કરી રહ્યો હોય તેવું લાગે છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કેસનો આંકડો 1701 થઈ ગયો છે. 


દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ         

2019માં એક ખતરનાક વાયરસ આવ્યો જેણે લોકોના જીવને જોખમમાં મૂકી દીધો. ન માત્ર ભારતના લોકો પરંતુ વિશ્વભરના લોકો આ વાયરસથી સંક્રમિત થયા અને અનેક લોકો મોતને ભેટ્યા. કોરોનાથી લોકો સુરક્ષિત રહે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું. કોઈને એ સમય વેકેશન જેવો લાગતો હતો તો કોઈ માટે એ સમય કપરો હતો. આજે કોરોનાના સમયની વાત નથી કરવી પરંતુ કોરોના કેસોની વાત કરવી છે. રવિવારે કોરોનાના 335 કેસ નોંધાયા છે. પાંચ લોકોના મોત કોરોનાને કારણે થયા છે.

સુરત: દવાની કંપનીના માલિકનું શંકાસ્પદ મોત, પોસ્ટ મોર્ટમમાં પણ ખુલાસો નહીં  થયો, સેમ્પલ લીધા – Gujaratmitra Daily Newspaper


જો શરદી ઉધરસ હોય તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરો   

આ સમાચાર વાંચ્યા બાદ અનેક લોકો કહેશે કે સમાચાર વાળા ડરાવવાનું કામ કરી રહ્યા છે. અમે ડરાવવાનું કામ નથી કરી રહ્યા પરંતુ એ જણાવવાનો પ્રચત્ન કરી રહ્યા છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે એવું નથી. એમ પણ હમણાં શિયાળાની સિઝન ચાલે છે. આ સમય દરમિયાન અનેકને ખાંસી, ઉધરસ આવતી હોય છે. કોરોનામાં પણ આવા જ લક્ષ્ણો હતા. જો થોડા દિવસોમાં ખાંસી કે ઉધરસ ન જાય તો ડોક્ટર પાસે જવું જોઈએ. શિયાળાની શરૂઆત સાથે જ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.   

World Health Organization (WHO)

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેવતણી!    

ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. વધતા કોરોનાના કેસને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ઘણા દેશોમાં કોરોનાના વધી રહેલા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાએ તમામ અસરગ્રસ્ત દેશોને નજીકથી દેખરેખ રાખવા અને પરીક્ષણ ચાલુ રાખવા વિનંતી કરી છે. જેમણે કોરોનાના કેસ વધવા પાછળના કારણો સમજાવ્યા અને સાવચેતી રાખવાની પણ વાત કરી. મહત્વનું છે કે કોરોનાના વધતા કેસને જોતા એલર્ટ રહેવા સલાહ આપી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.