Gujaratના યુવાનો પર વધ્યો Heart Attackનો ખતરો! છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ હાર્ટ એટેકને કારણે લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-10-23 16:30:12

હાર્ટ એટેક... હાર્ટ એટેક.... હાર્ટ એટેક.... આજકાલ આ શબ્દ ઘણો સાંભળવા મળી રહ્યો છે જે ચિંતા વધારી દે તેવો છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. અનેક યુવાનો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે. રોજ અનેકો વ્યક્તિઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અંદાજીત 17 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે. દ્વારકા- વડોદરાથી બે લોકોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી છે જ્યારે કપડવંજમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. તે ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓથી આવા કિસ્સાઓ સતત આવી રહ્યા છે. 

ફરી એક વખત હૃદય હુમલાને કારણે થયા આટલા લોકોના મોત

ગુજરાતના યુવાનોને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સો પ્રતિદિન સામે આવતા હોય છે. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન ગરબાના તાલ પર યુવાનો ઝૂમતા હોય છે. ત્યારે માહિતી અનુસાર માત્ર બે દિવસની અંદર 17 જેટલા લોકોના મોત થયા છે. માત્ર એક દિવસમાં 10 જેટલા લોકોના મોત હૃદય બંધ થવાને કારણે થયા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. આ 16 લોકોમાંથી 4 યુવકો કે જેના મોત ગરબા રમતા રમતા જ નીપજ્યા હતા. ઉપરાંત  ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાંજે 6 થી રાત્રે 2 દરમિયાન હૃદયને લગતી ઈમરજન્સીના 84 કેસ નોંધાઇ રહ્યા હતા.   


કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા

મહત્વનું છે કે અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો જાણે હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે હાર્ટ એટેકે આટલા લોકોના જીવ લીધા, આજે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ એક જ દિવસે 7 લોકોના મોત થયા હતા. ત્યારે આજે દ્વારકાના ખંભાળિયામાં 35 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું  છે. ગરબા જોઈને પરત ફરી રહ્યા હતા તે વખતે ચક્કર આવવાની ફરિયાદ કરી. 



સારવાર બાદ બીજા દિવસે ઘરે આવ્યો અને હાર્ટ એટેકનો તે શિકાર બન્યો. તે સિવાય સાબરકાંઠામાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 42 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. રાતના સમયે તેને છાતીમાં દુખાવો થયો અને તે ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. તે ઉપરાંત ગીર સોમનાથમાં બે લોકોના મોત થયા છે. એક મહિલાનું અને એક પુરૂષનું મોત થયું છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન હૃદયને લગતા ઈમરજન્સી કેસો પણ વધ્યા છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.