Gujaratના યુવાનો પર વધ્યો Heart Attackનો ખતરો! છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ હાર્ટ એટેકને કારણે લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-10-23 16:30:12

હાર્ટ એટેક... હાર્ટ એટેક.... હાર્ટ એટેક.... આજકાલ આ શબ્દ ઘણો સાંભળવા મળી રહ્યો છે જે ચિંતા વધારી દે તેવો છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. અનેક યુવાનો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે. રોજ અનેકો વ્યક્તિઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અંદાજીત 17 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે. દ્વારકા- વડોદરાથી બે લોકોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી છે જ્યારે કપડવંજમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. તે ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓથી આવા કિસ્સાઓ સતત આવી રહ્યા છે. 

ફરી એક વખત હૃદય હુમલાને કારણે થયા આટલા લોકોના મોત

ગુજરાતના યુવાનોને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સો પ્રતિદિન સામે આવતા હોય છે. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન ગરબાના તાલ પર યુવાનો ઝૂમતા હોય છે. ત્યારે માહિતી અનુસાર માત્ર બે દિવસની અંદર 17 જેટલા લોકોના મોત થયા છે. માત્ર એક દિવસમાં 10 જેટલા લોકોના મોત હૃદય બંધ થવાને કારણે થયા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. આ 16 લોકોમાંથી 4 યુવકો કે જેના મોત ગરબા રમતા રમતા જ નીપજ્યા હતા. ઉપરાંત  ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાંજે 6 થી રાત્રે 2 દરમિયાન હૃદયને લગતી ઈમરજન્સીના 84 કેસ નોંધાઇ રહ્યા હતા.   


કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા

મહત્વનું છે કે અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો જાણે હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે હાર્ટ એટેકે આટલા લોકોના જીવ લીધા, આજે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ એક જ દિવસે 7 લોકોના મોત થયા હતા. ત્યારે આજે દ્વારકાના ખંભાળિયામાં 35 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું  છે. ગરબા જોઈને પરત ફરી રહ્યા હતા તે વખતે ચક્કર આવવાની ફરિયાદ કરી. 



સારવાર બાદ બીજા દિવસે ઘરે આવ્યો અને હાર્ટ એટેકનો તે શિકાર બન્યો. તે સિવાય સાબરકાંઠામાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 42 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. રાતના સમયે તેને છાતીમાં દુખાવો થયો અને તે ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. તે ઉપરાંત ગીર સોમનાથમાં બે લોકોના મોત થયા છે. એક મહિલાનું અને એક પુરૂષનું મોત થયું છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન હૃદયને લગતા ઈમરજન્સી કેસો પણ વધ્યા છે. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.