ધૂળેટીના દિવસે Ujjain Mahakal Mandirમાં બની આગ લાગવાની દુર્ઘટના, અનેક લોકો દાઝ્યા, આ નાની ભૂલને કારણે સર્જાઈ મોટી દુર્ઘટના...!


  • Published By :
  • Published Date : 2024-03-25 11:12:57

મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવતી હોય છે જે દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પૂજારીઓ હાજર રહેતા હોય છે.  ત્યારે આજે ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં મોટી દુર્ઘટના બની છે. ભસ્મ આરતી દરમિયાન આગ લાગી છે અને આ ઘટનામાં 13 જેટલા લોકો દાઝી ગયા છે. આરતી વખતે ગુલાલ ઉડાવવામાં આવ્યું જેને કારણે આ ઘટના બની. મળતી માહિતી અનુસાર પૂજારી ગર્ભગૃહમાં આરતી કરી રહ્યા હતા તે વખતે પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું જેને કારણે આ ઘટના બની છે.

ભસ્મ આરતી દરમિયાન પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું અને... 

કોઈ પણ તહેવાર હોય ત્યારે શ્રદ્ધાળુઓ મંદિરમાં તહેવારની ઉજવણીના ભાગ રૂપે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જતા હોય છે. અનેક મંદિરો એવા હોય છે જ્યાં સામાન્ય દિવસો દરમિયાન પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આવું જ  એક મંદિર છે ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર. શિવજીના મંદિરમાં નિત્ય ભસ્મ આરતી થતી હોય છે અને આ આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ધૂળેટી પર્વ નિમિત્તે મંદિરમાં ભસ્મ આરતી કરવા અનેક ભક્તો ગર્ભગૃહમાં હાજર હતા. ત્યારે આજે ભસ્મ આરતી દરમિયાન એક  મોટી દુર્ઘટના બની છે અને અનેક લોકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે જેમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે. 


આગ લાગવાને કારણે 13 લોકો દાઝ્યા

મળતી માહિતી અનુસાર પૂજારી આરતી કરી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું અને તે ગુલાલ આગના સંપર્કમાં આવી ગયું અને આ ઘટના બની છે. અનુમાન પ્રમાણે ગુલાલમાં રહેલા કેમિકલને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. મંદિરમાં આગ પર કાબુ મેળવવા માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થાને કારણે આગ વધારે ભયંકર બને તેની પહેલા તેની પર કાબુ મેળવી લેવામાં આવ્યો. આ ઘટનાને કારણે પૂજારી સહિત 13 જેટલા લોકો દાઝી ગયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કોઈ વખત આવી નાની ભૂલ ગંભીર પરિણામ લાવી શકે છે અને અનેક લોકોને તે પરિણામ ભોગવવું પડે છે.           




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.