ધૂળેટીના દિવસે Ujjain Mahakal Mandirમાં બની આગ લાગવાની દુર્ઘટના, અનેક લોકો દાઝ્યા, આ નાની ભૂલને કારણે સર્જાઈ મોટી દુર્ઘટના...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-25 11:12:57

મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવતી હોય છે જે દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પૂજારીઓ હાજર રહેતા હોય છે.  ત્યારે આજે ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં મોટી દુર્ઘટના બની છે. ભસ્મ આરતી દરમિયાન આગ લાગી છે અને આ ઘટનામાં 13 જેટલા લોકો દાઝી ગયા છે. આરતી વખતે ગુલાલ ઉડાવવામાં આવ્યું જેને કારણે આ ઘટના બની. મળતી માહિતી અનુસાર પૂજારી ગર્ભગૃહમાં આરતી કરી રહ્યા હતા તે વખતે પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું જેને કારણે આ ઘટના બની છે.

ભસ્મ આરતી દરમિયાન પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું અને... 

કોઈ પણ તહેવાર હોય ત્યારે શ્રદ્ધાળુઓ મંદિરમાં તહેવારની ઉજવણીના ભાગ રૂપે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જતા હોય છે. અનેક મંદિરો એવા હોય છે જ્યાં સામાન્ય દિવસો દરમિયાન પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આવું જ  એક મંદિર છે ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર. શિવજીના મંદિરમાં નિત્ય ભસ્મ આરતી થતી હોય છે અને આ આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ધૂળેટી પર્વ નિમિત્તે મંદિરમાં ભસ્મ આરતી કરવા અનેક ભક્તો ગર્ભગૃહમાં હાજર હતા. ત્યારે આજે ભસ્મ આરતી દરમિયાન એક  મોટી દુર્ઘટના બની છે અને અનેક લોકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે જેમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે. 


આગ લાગવાને કારણે 13 લોકો દાઝ્યા

મળતી માહિતી અનુસાર પૂજારી આરતી કરી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું અને તે ગુલાલ આગના સંપર્કમાં આવી ગયું અને આ ઘટના બની છે. અનુમાન પ્રમાણે ગુલાલમાં રહેલા કેમિકલને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. મંદિરમાં આગ પર કાબુ મેળવવા માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થાને કારણે આગ વધારે ભયંકર બને તેની પહેલા તેની પર કાબુ મેળવી લેવામાં આવ્યો. આ ઘટનાને કારણે પૂજારી સહિત 13 જેટલા લોકો દાઝી ગયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કોઈ વખત આવી નાની ભૂલ ગંભીર પરિણામ લાવી શકે છે અને અનેક લોકોને તે પરિણામ ભોગવવું પડે છે.           




ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.