રાજ્ય સરકારે આ ચાર IAS અધિકારીઓની કરી બદલી, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર


  • Published By :
  • Published Date : 2023-10-30 21:08:10

ગુજરાતમાં બદલીઓનો દોર યથવાત રહ્યો છે. જેના પગલે આજે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 4 IAS અધિકારીઓની બદલી કરવીમાં આવી છે. રાજ્ય સરકારે ચાર IAS અધિકારીઓને બદલીના આદેશ અપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારી ધનંજય દ્વિવેદી, આઈએએસ અધિકારી શાહમીના હુસૈન, હસમુખકુમાર રતિલાલ પટેલ અને આલોક કુમાર પાન્ડેયની બદલી કરવામાં આવી છે. 


કયા અધિકારીની ક્યા બદલી થઈ?


રાજ્ય સરકારે ધનંજય દ્વિવેદી જે નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસરમાં હતા તેમની બદલી પરિવાર અને કલ્યાણ વિભાગમાં એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરી છે. તો આઈએએસ અધિકારી શાહમીના હુસૈનની બદલી નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસરમાં કરી છે. હુસૈન અગાઉ પરિવાર કલ્યાણ વિભાગમાં કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તે જ પ્રકારે રાજ્ય સરકારે હસમુખકુમાર રતિલાલ પટેલની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. હસમુખ પટેલ પહેલા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાં કમિશનર હતા. આ ઉપરાંત આલોક કુમાર પાન્ડેયને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.