કેન્દ્રીય મંત્રી કરી રહ્યા છે ગુજરાતમાં ભાજપનો પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 19:27:04

વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. અનેક રાજકીય પાર્ટી ગુજરાત આવી પ્રચારમાં વ્યસ્ત બનયા છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓની ટીમને ઉતારી છે. 15 દિવસ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં પ્રવાસ અર્થે આવવાના છે. ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ભાવનગર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી. 

Kiren Rijiju: Need to resume sports in a couple of months - Sportstar

આપ પર કિરણ રિજ્જુએ કર્યા પ્રહાર

પોતાના પ્રચાર દરમિયાન પાર્ટી બીજી રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કરતા હોય છે. ભાજપ વિરૂદ્ધ  આપ પ્રહાર કરે અને આપ વિરૂદ્ધ ભાજપ પ્રહાર કરે તે હવે સામાન્ય બની ગયું છે. પોતાના સંબોધન દરમિયાન કિરણ રિજ્જુએ આપ પર પ્રહાર કર્યા હતા.  

PM's 'revadi' remarks: AAP hits streets in protest | Cities News,The Indian  Express

અરવિંદ કેજરીવાલ પર પણ સાધ્યું નિશાન 

આપ અને અરવિંદ કેજરીવાલે પર પ્રહાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ દેશ અને સમાજને તોડવા મોટે કંઈકને કાંઈક વિવાદિત નિવેદન આપતા રહે છે. પરંતુ ગુજરાતના લોકો સમજદાર છે એટલે કેજરીવાલને અહીંયા આવવા નહીં દઈએ.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.