કેન્દ્રીય મંત્રી કરી રહ્યા છે ગુજરાતમાં ભાજપનો પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 19:27:04

વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. અનેક રાજકીય પાર્ટી ગુજરાત આવી પ્રચારમાં વ્યસ્ત બનયા છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓની ટીમને ઉતારી છે. 15 દિવસ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં પ્રવાસ અર્થે આવવાના છે. ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ભાવનગર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી. 

Kiren Rijiju: Need to resume sports in a couple of months - Sportstar

આપ પર કિરણ રિજ્જુએ કર્યા પ્રહાર

પોતાના પ્રચાર દરમિયાન પાર્ટી બીજી રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કરતા હોય છે. ભાજપ વિરૂદ્ધ  આપ પ્રહાર કરે અને આપ વિરૂદ્ધ ભાજપ પ્રહાર કરે તે હવે સામાન્ય બની ગયું છે. પોતાના સંબોધન દરમિયાન કિરણ રિજ્જુએ આપ પર પ્રહાર કર્યા હતા.  

PM's 'revadi' remarks: AAP hits streets in protest | Cities News,The Indian  Express

અરવિંદ કેજરીવાલ પર પણ સાધ્યું નિશાન 

આપ અને અરવિંદ કેજરીવાલે પર પ્રહાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ દેશ અને સમાજને તોડવા મોટે કંઈકને કાંઈક વિવાદિત નિવેદન આપતા રહે છે. પરંતુ ગુજરાતના લોકો સમજદાર છે એટલે કેજરીવાલને અહીંયા આવવા નહીં દઈએ.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .