કેન્દ્રીય મંત્રી કરી રહ્યા છે ગુજરાતમાં ભાજપનો પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 19:27:04

વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. અનેક રાજકીય પાર્ટી ગુજરાત આવી પ્રચારમાં વ્યસ્ત બનયા છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓની ટીમને ઉતારી છે. 15 દિવસ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં પ્રવાસ અર્થે આવવાના છે. ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ભાવનગર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી. 

Kiren Rijiju: Need to resume sports in a couple of months - Sportstar

આપ પર કિરણ રિજ્જુએ કર્યા પ્રહાર

પોતાના પ્રચાર દરમિયાન પાર્ટી બીજી રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કરતા હોય છે. ભાજપ વિરૂદ્ધ  આપ પ્રહાર કરે અને આપ વિરૂદ્ધ ભાજપ પ્રહાર કરે તે હવે સામાન્ય બની ગયું છે. પોતાના સંબોધન દરમિયાન કિરણ રિજ્જુએ આપ પર પ્રહાર કર્યા હતા.  

PM's 'revadi' remarks: AAP hits streets in protest | Cities News,The Indian  Express

અરવિંદ કેજરીવાલ પર પણ સાધ્યું નિશાન 

આપ અને અરવિંદ કેજરીવાલે પર પ્રહાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ દેશ અને સમાજને તોડવા મોટે કંઈકને કાંઈક વિવાદિત નિવેદન આપતા રહે છે. પરંતુ ગુજરાતના લોકો સમજદાર છે એટલે કેજરીવાલને અહીંયા આવવા નહીં દઈએ.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.