સંસદની બહાર વિપક્ષી સાંસદોની જોવા મળી એકતા! સાંસદો આખી રાત સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે બેઠા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-25 10:55:59

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં દેશના વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ ચાલી રહેલા ચોમાસા સત્રમાં મણિપુરને લઈ હોબાળો થઈ રહ્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન અનેક વખત હોબાળો થતાં સત્રને સ્થગિત કરવામાં આવ્યું છે. સંસદમાં મણિપુર હિંસા અંગે ચર્ચા કરવામાં આવે તેવી વિપક્ષોની માગ છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની બહાર તેઓ ધરણા કરી રહ્યા છે. સંસદની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારથી સત્ર હંગામેદાર રહ્યો છે. 

સંસદમાં અનેક વખત મણિપુરનો મુદ્દો ઉઠતા થયો હંગામો 

મણિપુર અંગે પીએમ મોદી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવે તેવી માગ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. મણિપુરમાં ભડકેલી હિંસાને અનેક મહિનાઓ વીતી ગયા પરંતુ આ વિશે નથી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી, નથી તો કોઈ કેન્દ્રીય મંત્રીએ પ્રતિક્રિયા આપી. મણિપુરમાં ભડકેલી હિંસા શાંત કરવા કોઈ પગલા લેવામાં આવે તેવી માગ વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સંસદમાં પણ મણિપુરની ચર્ચા શરૂ થતાં જ હોબાળો થઈ જાય છે જેને લઈ કાર્યવાહી સ્થગિત થઈ જતી હોય છે. મણિપુર મુદ્દાને લઈ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની પાર્ટી આક્રામક દેખાઈ રહી છે. પીએમ મોદીની ચૂપી પર પ્રશ્ન ઉઠાવે છે. સંસદમાં અમિત શાહે કહ્યું કે મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચા માટે તૈયાર નથી. મહત્વનું છે કે જ્યારે મહિલાનો વીડિયો સામે આવ્યો હતો તે બાદ ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ તેવી વાત કરી હતી. 

આપ સાંસદ સંજયસિંહ સંસદ બહાર કરી રહ્યા છે ધરણા

સંસદના સત્રમાંથી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની બહાર સાંસદ ધરણા કરી રહ્યા છે. મણિપુરને લઈ તેમના દ્વારા કહેવામાં આવેલી વાત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે ઉપરાંત કોંગ્રેસ પણ મણિપુરના મુદ્દે આક્રામક દેખાઈ રહી છે. 

કોંગ્રેસે પીએમ મોદીની ચૂપી પર કર્યો કટાક્ષ

પીએમ મોદી ટેલિપ્રોમ્ટરમાંથી જોઈને બોલે છે તેવી ચર્ચાઓ તેવા આક્ષેપો લાગતા રહે છે. ત્યારે પીએમ મોદીના ચૂપી પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં ટેલીપ્રોમ્ટર જોઈને બોલે છે. સંસદમાં આ સુવિધા ઉપલબ્ધ નથી કદાચ આ જ કારણોસર પીએમ મોદી સંસદમાં નથી બોલી રહ્યા. પીએમ મોદી જો ઈચ્છે તો સંસદમાં ટેલિપ્રોમ્ટર લગાવડાઈ દો, પરંતુ સંસદમાં મણિપુર અંગે કંઈક બોલો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.