Corona Caseમાં થયેલો ઉછાળો ચિંતાજનક, ફરી Ahmedabadથી સામે આવ્યા આટલા કોરોના કેસ, આ વિસ્તાર વાળા સાચવજો!


  • Published By :
  • Published Date : 2024-01-06 18:24:35

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ફરી એક વખત લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે લોકોની ચિંતા વધી છે. દેશમાં કોરોના માથું ઉચકી રહ્યું છે તો ગુજરાતમાં પણ કોરોનાના પ્રતિદિન કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે જેમાં પાંચ મહિલાઓનો તેમજ 4 પુરૂષોનો સમાવેશ થાય છે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી 5 લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ સાથે  અમદાવાદમાં જ માત્ર કોરોનાના 59 એક્ટિવ કેસ થઈ ગયા છે.2 લોકો હોસ્પિટલમાં છે જ્યારે 57 લોકો આઈસોલેશન હેઠળ છે. 

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ  

થોડા વર્ષોથી કોરોના શબ્દ સાંભળવો સામાન્ય બની ગયો છે. એક સમય હતો જ્યારે દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો હજારોમાં નોંધાતો હતો. મૃત્યુઆંક પણ સતત વધતો હતો. પરંતુ ધીમે ધીમે લોકો કોરોના સાથે રહેવા માટે ટેવાઈ ગયા હોય તેવું લાગતું. સમય જતા લોકોમાંથી કોરોનાનો ડર ઓછો થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ આવી. લોકો એકદમ બિન્દાસ થઈ ગયા પરંતુ કોરોના ફરી એક વખત દેશભરમાં માથું ઉચકી રહ્યું છે. કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે.


બહારથી આવેલા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત 

અમદાવાદમાં પણ કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના નોંધાયેલા કેસની વાત કરીએ તો પાંચ મહિલાઓ તેમજ 4 પુરૂષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ નવ વ્યક્તિઓ જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 9માં પાંચ કોરોના સંક્રમિતો એવા છે જે બહાર ફરીને આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. 

Dilli waale gaadi mei apna jaam leke chalte hain,' netizens react to traffic  congestion in Himachal Pradesh's Ma | Mint

નાતાલના વેકેશન વખતે લોકો ગયા હતા બહારગામ ફરવા 

અમદાવાદમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો નવરંગપૂરા, થલતેજ, બોડકદેવ, જોધપુરથી સામે આવ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59 આસપાસ એક્ટિવ કેસની સંખ્યા પહોંચી ગઈ છે. 59 દર્દીઓ પૈકી 2 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે 57 દર્દીઓ આઈસોલેશન હેઠળ છે. મહત્વનું છે કે અમદાવાદમાં કોરોના કેસે રફતાર પકડી છે. એક સમય હતો જ્યારે ઓછા કેસો નોંધાતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે નાતાલની રજાઓ વખતે અનેક લોકો બહારગામ હતા જેને કારણે આગામી દિવસોમાં આ કેસમાં ફરી એક વખત વધારો નોંધાઈ શકે છે. હિલ સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.ગાડીઓની લાંબી લાઈન જોવા મળી હતી. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને જોતા લોકો અનુમાન લગાવતા હતા કે આવનાર દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળે તો નવાઈ નહી.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.