Corona Caseમાં થયેલો ઉછાળો ચિંતાજનક, ફરી Ahmedabadથી સામે આવ્યા આટલા કોરોના કેસ, આ વિસ્તાર વાળા સાચવજો!


  • Published By :
  • Published Date : 2024-01-06 18:24:35

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ફરી એક વખત લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેને કારણે લોકોની ચિંતા વધી છે. દેશમાં કોરોના માથું ઉચકી રહ્યું છે તો ગુજરાતમાં પણ કોરોનાના પ્રતિદિન કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે જેમાં પાંચ મહિલાઓનો તેમજ 4 પુરૂષોનો સમાવેશ થાય છે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી 5 લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ સાથે  અમદાવાદમાં જ માત્ર કોરોનાના 59 એક્ટિવ કેસ થઈ ગયા છે.2 લોકો હોસ્પિટલમાં છે જ્યારે 57 લોકો આઈસોલેશન હેઠળ છે. 

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ  

થોડા વર્ષોથી કોરોના શબ્દ સાંભળવો સામાન્ય બની ગયો છે. એક સમય હતો જ્યારે દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો હજારોમાં નોંધાતો હતો. મૃત્યુઆંક પણ સતત વધતો હતો. પરંતુ ધીમે ધીમે લોકો કોરોના સાથે રહેવા માટે ટેવાઈ ગયા હોય તેવું લાગતું. સમય જતા લોકોમાંથી કોરોનાનો ડર ઓછો થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ આવી. લોકો એકદમ બિન્દાસ થઈ ગયા પરંતુ કોરોના ફરી એક વખત દેશભરમાં માથું ઉચકી રહ્યું છે. કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે.


બહારથી આવેલા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત 

અમદાવાદમાં પણ કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના નોંધાયેલા કેસની વાત કરીએ તો પાંચ મહિલાઓ તેમજ 4 પુરૂષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ નવ વ્યક્તિઓ જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 9માં પાંચ કોરોના સંક્રમિતો એવા છે જે બહાર ફરીને આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. 

Dilli waale gaadi mei apna jaam leke chalte hain,' netizens react to traffic  congestion in Himachal Pradesh's Ma | Mint

નાતાલના વેકેશન વખતે લોકો ગયા હતા બહારગામ ફરવા 

અમદાવાદમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો નવરંગપૂરા, થલતેજ, બોડકદેવ, જોધપુરથી સામે આવ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59 આસપાસ એક્ટિવ કેસની સંખ્યા પહોંચી ગઈ છે. 59 દર્દીઓ પૈકી 2 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે 57 દર્દીઓ આઈસોલેશન હેઠળ છે. મહત્વનું છે કે અમદાવાદમાં કોરોના કેસે રફતાર પકડી છે. એક સમય હતો જ્યારે ઓછા કેસો નોંધાતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે નાતાલની રજાઓ વખતે અનેક લોકો બહારગામ હતા જેને કારણે આગામી દિવસોમાં આ કેસમાં ફરી એક વખત વધારો નોંધાઈ શકે છે. હિલ સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.ગાડીઓની લાંબી લાઈન જોવા મળી હતી. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેને જોતા લોકો અનુમાન લગાવતા હતા કે આવનાર દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળે તો નવાઈ નહી.        



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે