Suratના કોર્પોરેટરે શેર કર્યો વીડિયો, બસમાં મુસાફરો પર કરવામાં આવતી દાદાગીરી સામે આવી! જુઓ મુસાફરો સાથે કેવું કરાયું વર્તન


  • Published By :
  • Published Date : 2023-08-26 16:29:49

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો દ્વારા કરવામાં આવતી દાદાગીરી સાફ જોવા મળતી હોય છે. ત્યારે સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બસ કન્ડક્ટર બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સાથે ગેરવર્તન કરી રહ્યો છે. પૈસા લઈ લેતો હતો પરંતુ બસની ટિકીટ આપવામાં ન આવતી હતી. જેને કારણે લોકોએ વીડિયો ઉતારવાનો શરૂ કર્યો. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા લોકોએ વીડિયો ઉતારવાની શરૂઆત કરી ત્યારે તેમને વીડિયો ઉતારવાની ના પાડી દીધી. ત્યાં ઉપસ્થિત લોકોએ વાતનો વિરોધ કર્યો હતો.  

પૈસા લીધા બાદ પણ મળતી ન હતી ટિકિટ 

સુરત શહેરના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સુરત શહેરની બસનો એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો સુરતના યોગી ચોક વિસ્તારના કિરણ ચોક પાસેનો છે જેમાં શહેરની બસના કંડક્ટર મુસાફરો સામે દાદાગીરી કરી રહ્યા છે જ્યારે મુસાફરો તેને પૂછે છે કે રૂપિયા લો છો તો ટિકિટ શા માટે નથી આપતા. મુસાફરોએ માગ કરી હતી કે લુખ્ખા દાદાગીરી કરતા કંડક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ. 



જો મહિલા સિવાય કોઈ પૂરૂષે પ્રશ્ન ઉઠાવ્યો હોત તો!

જે મહિલા આ વીડિયોમાં દેખાઈ રહ્યા છે તેમણે સવાલ કર્યો કે વીડિયો શું કામ નહીં ઉતારવાનો. સવાલ કર્યો એટલે તે શાંત થયો. આ પ્રશ્ન મહિલાએ ઉઠાવ્યો હતો એટલે ગુસ્સામાં આવેલા બીજા ભાઈ શાંત પડ્યા. જો તે મહિલા ન હોત તો સામે ગુસ્સામાં આવેલા વ્યક્તિએ મારપીટ પણ કરી હોત કારણ કે તેમના કાંડનો પર્દાફાશ થઈ જવાનો હતો. 



બસમાં સવાર મુસાફરોએ ઉઠાવ્યો દાદાગીરી વિરૂદ્ધ અવાજ 

ખબર નહીં કેટલા લોકો પાસેથી કંડક્ટર આવી રીતે રૂપિયા લેતા હશે અને ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવી લેતા હશે. સુરત મહાનગર પાલિકાની જ આ સમગ્ર જવાબદારી છે કે આવા લોકો સામે કાર્યવાહી કરે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે જનતાએ અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે. જ્યાં ખોટું થતું હોય અને આપણે અવાજ નથી ઉઠાવતા ત્યારે આપણે આપણી ફરજમાંથી ચૂકી રહ્યા છીએ. બસમાં સવાર મુસાફરોની હિંમતને દાદ દેવી જોઈએ કારણ કે તેમણે ખોટું થઈ રહ્યું હતું તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી