Suratના કોર્પોરેટરે શેર કર્યો વીડિયો, બસમાં મુસાફરો પર કરવામાં આવતી દાદાગીરી સામે આવી! જુઓ મુસાફરો સાથે કેવું કરાયું વર્તન


  • Published By :
  • Published Date : 2023-08-26 16:29:49

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો દ્વારા કરવામાં આવતી દાદાગીરી સાફ જોવા મળતી હોય છે. ત્યારે સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બસ કન્ડક્ટર બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સાથે ગેરવર્તન કરી રહ્યો છે. પૈસા લઈ લેતો હતો પરંતુ બસની ટિકીટ આપવામાં ન આવતી હતી. જેને કારણે લોકોએ વીડિયો ઉતારવાનો શરૂ કર્યો. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા લોકોએ વીડિયો ઉતારવાની શરૂઆત કરી ત્યારે તેમને વીડિયો ઉતારવાની ના પાડી દીધી. ત્યાં ઉપસ્થિત લોકોએ વાતનો વિરોધ કર્યો હતો.  

પૈસા લીધા બાદ પણ મળતી ન હતી ટિકિટ 

સુરત શહેરના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સુરત શહેરની બસનો એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો સુરતના યોગી ચોક વિસ્તારના કિરણ ચોક પાસેનો છે જેમાં શહેરની બસના કંડક્ટર મુસાફરો સામે દાદાગીરી કરી રહ્યા છે જ્યારે મુસાફરો તેને પૂછે છે કે રૂપિયા લો છો તો ટિકિટ શા માટે નથી આપતા. મુસાફરોએ માગ કરી હતી કે લુખ્ખા દાદાગીરી કરતા કંડક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ. 



જો મહિલા સિવાય કોઈ પૂરૂષે પ્રશ્ન ઉઠાવ્યો હોત તો!

જે મહિલા આ વીડિયોમાં દેખાઈ રહ્યા છે તેમણે સવાલ કર્યો કે વીડિયો શું કામ નહીં ઉતારવાનો. સવાલ કર્યો એટલે તે શાંત થયો. આ પ્રશ્ન મહિલાએ ઉઠાવ્યો હતો એટલે ગુસ્સામાં આવેલા બીજા ભાઈ શાંત પડ્યા. જો તે મહિલા ન હોત તો સામે ગુસ્સામાં આવેલા વ્યક્તિએ મારપીટ પણ કરી હોત કારણ કે તેમના કાંડનો પર્દાફાશ થઈ જવાનો હતો. 



બસમાં સવાર મુસાફરોએ ઉઠાવ્યો દાદાગીરી વિરૂદ્ધ અવાજ 

ખબર નહીં કેટલા લોકો પાસેથી કંડક્ટર આવી રીતે રૂપિયા લેતા હશે અને ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવી લેતા હશે. સુરત મહાનગર પાલિકાની જ આ સમગ્ર જવાબદારી છે કે આવા લોકો સામે કાર્યવાહી કરે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે જનતાએ અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે. જ્યાં ખોટું થતું હોય અને આપણે અવાજ નથી ઉઠાવતા ત્યારે આપણે આપણી ફરજમાંથી ચૂકી રહ્યા છીએ. બસમાં સવાર મુસાફરોની હિંમતને દાદ દેવી જોઈએ કારણ કે તેમણે ખોટું થઈ રહ્યું હતું તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.