Suratના કોર્પોરેટરે શેર કર્યો વીડિયો, બસમાં મુસાફરો પર કરવામાં આવતી દાદાગીરી સામે આવી! જુઓ મુસાફરો સાથે કેવું કરાયું વર્તન


  • Published By :
  • Published Date : 2023-08-26 16:29:49

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો દ્વારા કરવામાં આવતી દાદાગીરી સાફ જોવા મળતી હોય છે. ત્યારે સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બસ કન્ડક્ટર બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સાથે ગેરવર્તન કરી રહ્યો છે. પૈસા લઈ લેતો હતો પરંતુ બસની ટિકીટ આપવામાં ન આવતી હતી. જેને કારણે લોકોએ વીડિયો ઉતારવાનો શરૂ કર્યો. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા લોકોએ વીડિયો ઉતારવાની શરૂઆત કરી ત્યારે તેમને વીડિયો ઉતારવાની ના પાડી દીધી. ત્યાં ઉપસ્થિત લોકોએ વાતનો વિરોધ કર્યો હતો.  

પૈસા લીધા બાદ પણ મળતી ન હતી ટિકિટ 

સુરત શહેરના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સુરત શહેરની બસનો એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો સુરતના યોગી ચોક વિસ્તારના કિરણ ચોક પાસેનો છે જેમાં શહેરની બસના કંડક્ટર મુસાફરો સામે દાદાગીરી કરી રહ્યા છે જ્યારે મુસાફરો તેને પૂછે છે કે રૂપિયા લો છો તો ટિકિટ શા માટે નથી આપતા. મુસાફરોએ માગ કરી હતી કે લુખ્ખા દાદાગીરી કરતા કંડક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ. 



જો મહિલા સિવાય કોઈ પૂરૂષે પ્રશ્ન ઉઠાવ્યો હોત તો!

જે મહિલા આ વીડિયોમાં દેખાઈ રહ્યા છે તેમણે સવાલ કર્યો કે વીડિયો શું કામ નહીં ઉતારવાનો. સવાલ કર્યો એટલે તે શાંત થયો. આ પ્રશ્ન મહિલાએ ઉઠાવ્યો હતો એટલે ગુસ્સામાં આવેલા બીજા ભાઈ શાંત પડ્યા. જો તે મહિલા ન હોત તો સામે ગુસ્સામાં આવેલા વ્યક્તિએ મારપીટ પણ કરી હોત કારણ કે તેમના કાંડનો પર્દાફાશ થઈ જવાનો હતો. 



બસમાં સવાર મુસાફરોએ ઉઠાવ્યો દાદાગીરી વિરૂદ્ધ અવાજ 

ખબર નહીં કેટલા લોકો પાસેથી કંડક્ટર આવી રીતે રૂપિયા લેતા હશે અને ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવી લેતા હશે. સુરત મહાનગર પાલિકાની જ આ સમગ્ર જવાબદારી છે કે આવા લોકો સામે કાર્યવાહી કરે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે જનતાએ અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે. જ્યાં ખોટું થતું હોય અને આપણે અવાજ નથી ઉઠાવતા ત્યારે આપણે આપણી ફરજમાંથી ચૂકી રહ્યા છીએ. બસમાં સવાર મુસાફરોની હિંમતને દાદ દેવી જોઈએ કારણ કે તેમણે ખોટું થઈ રહ્યું હતું તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.