આતુરતાનો આવ્યો અંત, Tata Technologiesનો IPO થયો લોન્ચ, જાણો તમામ વિગતો


  • Published By :
  • Published Date : 2023-11-20 18:12:48

દેશના લાખો રોકાણકારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ટાટા ગ્રુપની કંપની Tata Technologiesનો  IPO આવી ગયો છે. આ કંપનીના શેરમાં રોકાણકારોએ માત્ર 15 હજારનું રોકાણ કરવાનું છે. ઉલ્લેખનિય છે કે ટાટા ગ્રૂપની કોઈ કંપનીનો આઈપીઓ 20 વર્ષ બાદ આવી રહ્યો છે. છેલ્લે 2004માં  Tata Groupએ તેની જાણીતી કંપની ટાટા કન્સલ્ટન્સી (TCS)નો  IPO લોન્ચ કર્યો હતો. જેને તે સમયે પણ રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આવો જાણીએ Tata Technologiesના IPOની કેટલીક મહત્વની બાબતો....


Tata Technologiesના IPOની મહત્વની વિગતો


લિસ્ટીંગ તારીખ-  22 નવેમ્બર


IPOની કુલ સાઈઝ- 3,042.51 કરોડ રૂપિયા


એક લોટની કિંમત- 15 હજાર રૂપિયા


IPOની લોટ સાઈઝ- 30 શેર


IPOની પ્રાઈઝ બેન્ડ-  475-500 પ્રતિ શેર


શેર એલોટમેન્ટની તારીખ-30 નવેમ્બર


ડિમેટ એકાઉન્ટમાં શેર- 4 ડિસેમ્બરે આવશે શેર


બજારમાં લિસ્ટીગની તારીખ- 5 ડિસેમ્બરે થશે લિસ્ટિંગ


શા માટે IPO? 


Tata Technologiesના પ્રમોટરો આ IPO દ્વારા તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. આ આઈપીઓ ઓપન ફોર સેલ પર આધારીત હશે. ઉલ્લેખનિય છે કે આ IPO દ્વારા પહેલા 9.57 કરોડ શેર વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં પ્રમોટરોએ 60,850,278 શેર વેચવાનો ફેંસલો કર્યો હતો.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.