આતુરતાનો આવ્યો અંત, Tata Technologiesનો IPO થયો લોન્ચ, જાણો તમામ વિગતો


  • Published By :
  • Published Date : 2023-11-20 18:12:48

દેશના લાખો રોકાણકારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ટાટા ગ્રુપની કંપની Tata Technologiesનો  IPO આવી ગયો છે. આ કંપનીના શેરમાં રોકાણકારોએ માત્ર 15 હજારનું રોકાણ કરવાનું છે. ઉલ્લેખનિય છે કે ટાટા ગ્રૂપની કોઈ કંપનીનો આઈપીઓ 20 વર્ષ બાદ આવી રહ્યો છે. છેલ્લે 2004માં  Tata Groupએ તેની જાણીતી કંપની ટાટા કન્સલ્ટન્સી (TCS)નો  IPO લોન્ચ કર્યો હતો. જેને તે સમયે પણ રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આવો જાણીએ Tata Technologiesના IPOની કેટલીક મહત્વની બાબતો....


Tata Technologiesના IPOની મહત્વની વિગતો


લિસ્ટીંગ તારીખ-  22 નવેમ્બર


IPOની કુલ સાઈઝ- 3,042.51 કરોડ રૂપિયા


એક લોટની કિંમત- 15 હજાર રૂપિયા


IPOની લોટ સાઈઝ- 30 શેર


IPOની પ્રાઈઝ બેન્ડ-  475-500 પ્રતિ શેર


શેર એલોટમેન્ટની તારીખ-30 નવેમ્બર


ડિમેટ એકાઉન્ટમાં શેર- 4 ડિસેમ્બરે આવશે શેર


બજારમાં લિસ્ટીગની તારીખ- 5 ડિસેમ્બરે થશે લિસ્ટિંગ


શા માટે IPO? 


Tata Technologiesના પ્રમોટરો આ IPO દ્વારા તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. આ આઈપીઓ ઓપન ફોર સેલ પર આધારીત હશે. ઉલ્લેખનિય છે કે આ IPO દ્વારા પહેલા 9.57 કરોડ શેર વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં પ્રમોટરોએ 60,850,278 શેર વેચવાનો ફેંસલો કર્યો હતો.   



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.