આતુરતાનો આવ્યો અંત, Tata Technologiesનો IPO થયો લોન્ચ, જાણો તમામ વિગતો


  • Published By :
  • Published Date : 2023-11-20 18:12:48

દેશના લાખો રોકાણકારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ટાટા ગ્રુપની કંપની Tata Technologiesનો  IPO આવી ગયો છે. આ કંપનીના શેરમાં રોકાણકારોએ માત્ર 15 હજારનું રોકાણ કરવાનું છે. ઉલ્લેખનિય છે કે ટાટા ગ્રૂપની કોઈ કંપનીનો આઈપીઓ 20 વર્ષ બાદ આવી રહ્યો છે. છેલ્લે 2004માં  Tata Groupએ તેની જાણીતી કંપની ટાટા કન્સલ્ટન્સી (TCS)નો  IPO લોન્ચ કર્યો હતો. જેને તે સમયે પણ રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આવો જાણીએ Tata Technologiesના IPOની કેટલીક મહત્વની બાબતો....


Tata Technologiesના IPOની મહત્વની વિગતો


લિસ્ટીંગ તારીખ-  22 નવેમ્બર


IPOની કુલ સાઈઝ- 3,042.51 કરોડ રૂપિયા


એક લોટની કિંમત- 15 હજાર રૂપિયા


IPOની લોટ સાઈઝ- 30 શેર


IPOની પ્રાઈઝ બેન્ડ-  475-500 પ્રતિ શેર


શેર એલોટમેન્ટની તારીખ-30 નવેમ્બર


ડિમેટ એકાઉન્ટમાં શેર- 4 ડિસેમ્બરે આવશે શેર


બજારમાં લિસ્ટીગની તારીખ- 5 ડિસેમ્બરે થશે લિસ્ટિંગ


શા માટે IPO? 


Tata Technologiesના પ્રમોટરો આ IPO દ્વારા તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. આ આઈપીઓ ઓપન ફોર સેલ પર આધારીત હશે. ઉલ્લેખનિય છે કે આ IPO દ્વારા પહેલા 9.57 કરોડ શેર વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં પ્રમોટરોએ 60,850,278 શેર વેચવાનો ફેંસલો કર્યો હતો.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે