વરસાદને લઈ હવામાન વિભાગે બદલી આગાહી! India-Pak મેચ દરમિયાન વરસાદની સંભાવના, પરંતુ નવરાત્રીમાં તો વરસાદ આવશે જ!


  • Published By :
  • Published Date : 2023-10-13 15:04:02

આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત તેમજ પાકિસ્તાનની મેચ યોજાવાની છે. તે બાદ 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. પરંતુ આ વખતની નવરાત્રીમાં વરસાદ વિધ્ન નાખશે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી  છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે. એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગરબાની મજામાં ભંગ પડી શકે છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીએ ક્રિકેટ રસીયાઓ તેમજ ખેલૈયાઓની ચિંતા વધારી છે. 

Photos - Narendra Modi Stadium

રાજ્યમાં વરસાદી માહોલ હજુ યથાવત્, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ  | Gujarat Heavy Rain sourth gujarat and saurasthtra

વર્લ્ડ કપ દરમિયાન પણ વરસી શકે છે વરસાદ 

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. આ અંગેની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી તો અંબાલાલ કાકાએ ઘણા સમય પહેલા કરી દીધી હતી. પરંતુ હવે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ થશે તે વાત હવામાન વિભાગે કરી છે. પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે મેચના દિવસે વરસાદ નહીં આવે પરંતુ આ આગાહી ચેન્જ થઈ ગઈ છે. મેચ દરમિયાન પણ વરસાદ આવશે તેવી વાત કરવામાં આવી છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે.   


Navratri garba HD wallpapers | Pxfuel

Pin by Lovely on garba | Navratri garba, Navratri festival, Indian wedding  photography couples

અમદાવાદમાં થઈ શકે છે કમોસમી વરસાદ

રાજ્યમાં હાલ વાતાવરણ સૂકૂ છે પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની પધરામણી થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી  છે. 14થી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ તારીખો દરમિયાન અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 15થી 17 તારીખો વરસાદની સંભાવના છે. 


16 ઓક્ટોબર સુધી ગુજરાતમાં જામી શકે છે વરસાદી માહોલ 

હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી  છે. આગાહી મુજબ 14થી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. વરસાદની આગાહીની વાત થઈ રહી છે ત્યારે અમરેલીમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી ઝાપટા વરસી શકે છે. 16 ઓક્ટોબર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati


ચક્રવાત સક્રિય થશે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે 

ઉપરાંત ચક્રવાતને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત બનશે જે બિપોરજોય જેવું શક્તિશાળી બનશે અને તે આગળ વધતું જોવા મળશે. જેના કારણે 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે અને તેની અસર ગુજરાતના લગભગ તમામ સ્થાનો પર જોવા મળી શકે છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.