વરસાદને લઈ હવામાન વિભાગે બદલી આગાહી! India-Pak મેચ દરમિયાન વરસાદની સંભાવના, પરંતુ નવરાત્રીમાં તો વરસાદ આવશે જ!


  • Published By :
  • Published Date : 2023-10-13 15:04:02

આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત તેમજ પાકિસ્તાનની મેચ યોજાવાની છે. તે બાદ 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. પરંતુ આ વખતની નવરાત્રીમાં વરસાદ વિધ્ન નાખશે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી  છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે. એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગરબાની મજામાં ભંગ પડી શકે છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીએ ક્રિકેટ રસીયાઓ તેમજ ખેલૈયાઓની ચિંતા વધારી છે. 

Photos - Narendra Modi Stadium

રાજ્યમાં વરસાદી માહોલ હજુ યથાવત્, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ  | Gujarat Heavy Rain sourth gujarat and saurasthtra

વર્લ્ડ કપ દરમિયાન પણ વરસી શકે છે વરસાદ 

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. આ અંગેની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી તો અંબાલાલ કાકાએ ઘણા સમય પહેલા કરી દીધી હતી. પરંતુ હવે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ થશે તે વાત હવામાન વિભાગે કરી છે. પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે મેચના દિવસે વરસાદ નહીં આવે પરંતુ આ આગાહી ચેન્જ થઈ ગઈ છે. મેચ દરમિયાન પણ વરસાદ આવશે તેવી વાત કરવામાં આવી છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે.   


Navratri garba HD wallpapers | Pxfuel

Pin by Lovely on garba | Navratri garba, Navratri festival, Indian wedding  photography couples

અમદાવાદમાં થઈ શકે છે કમોસમી વરસાદ

રાજ્યમાં હાલ વાતાવરણ સૂકૂ છે પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની પધરામણી થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી  છે. 14થી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ તારીખો દરમિયાન અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 15થી 17 તારીખો વરસાદની સંભાવના છે. 


16 ઓક્ટોબર સુધી ગુજરાતમાં જામી શકે છે વરસાદી માહોલ 

હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી  છે. આગાહી મુજબ 14થી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. વરસાદની આગાહીની વાત થઈ રહી છે ત્યારે અમરેલીમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી ઝાપટા વરસી શકે છે. 16 ઓક્ટોબર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati


ચક્રવાત સક્રિય થશે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે 

ઉપરાંત ચક્રવાતને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત બનશે જે બિપોરજોય જેવું શક્તિશાળી બનશે અને તે આગળ વધતું જોવા મળશે. જેના કારણે 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે અને તેની અસર ગુજરાતના લગભગ તમામ સ્થાનો પર જોવા મળી શકે છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.