Kadi: મહિલાનો તડપી તડપીને જીવ ગયો પણ બચાવવા ડૉક્ટર ન પહોંચ્યા !


  • Published By :
  • Published Date : 2023-09-26 22:17:28

આમ તો ડોકટર કોઈને જીવ બચાવે. પણ કડીમાં એક ડોકટરે એક મહિલા અને એક નવજાત નો જીવ લઈ લીધો.. ડોકટર ની ભૂલ ને કારણે એક પતિએ પત્ની તો બે માસૂમ બાળકોએ માતા ગુમાવી..ડોકટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી..કાયદો કાયદા નું કામ કરશે.પણ જે ડોકટર પાસે જિંદગી બચાવવા ગયા એ ડોકટર એ જ મોત આપી દેવાની આ ઘટના તબીબી આલમ માટે પણ ચર્ચા નો વિષય બની ગઈ


કડી ના નાની કડી વિસ્તારમાં રહેતા વિકાસ ગંભીર નો પરિવારની ખુશી એક ડોકટર ના કારણે છીનવાઈ ગઈ..વિકાસ ગંભીર ની પત્ની તો બે માસૂમ બાળકોની માતા એક ડોકટર ની ભૂલ ને કારણે મોતને ભેટી..એક વર્ષ સુધી વિકાસ ગંભીર  ન્યાય માટે ભટકતા રહ્યા.. આખરે સવા વર્ષ પછી પોલીસે આ પરિવાર ની ફરિયાદ લીધી..હવે સવાલ થશે કે એક પરિવાર ની ખુશી ડોકટર એ કેવી રીતે છીનવી લીધી?કારણ કે ડોકટર તો જિંદગી બચાવે..પણ કડી ના ડોકટર હર્ષિલ પટેલ અને આર્યુવેદીક ડોકટર ઇશરતબેન ઇકબાલભાઇ ની ભૂલ ને કારણે એક સગર્ભા મહિલા સાથે એક નવજાત પણ મોતને ભેટયું..આ ઘટના 26 જૂન 2022 ના રોજ ઘટી..પણ કમનસીબી કહો કે પછી કાયદાની મર્યાદા કહો.પણ પત્ની અને બાળક ના મોત બાદ એક લાચાર પતિએ ફરિયાદ નોંધાવવા સવા વર્ષ ભટકવુ પડ્યું..પોલીસ કહ્યું કે જ્યાં સુધી પેનલ ડોકટર નો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફરિયાદ ન થાય.. પણ પોતાની પત્ની ને કોઈપણ ભોગે ન્યાય અપાવવાની સોગંધ લેનાર પતિ છેક મેડિકલ કાઉન્સિલ સુધી ગયો..મેડિકલ કાઉન્સિલ એ તમામ પુરાવા ચેક કર્યા.અને ગાયનોકલોજીસ્ટ હર્ષિલ પટેલ નું લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું..તો મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે ડો.હર્ષિલ પટેલ નું સોનોગ્રાફી રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દીધું.. મેડિકલ કાઉન્સિલ ના અભિપ્રાય ને પગલે ગત તારીખ 26 જૂન 2022 ના રોજ ઘટેલી ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી




મૃતકના પતિને મજબુર કરાયા !

મૂળ યુપીના વિકાસ ગંભીર કડી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.વિકાસ ગંભીર  પત્ની લક્ષ્મી અને બે બાળકો સાથે નાની કડી ખાતે વસવાટ કરે છે.વર્ષ 2022 માં વિકાસ ગંભીર ની પત્ની લક્ષ્મી ત્રીજી વખત સગર્ભા થતા તેમણે ગાયનેકોલોજીસ્ટ ડો.હર્ષિલ પટેલ ની સારવાર શરૂ કરાવી હતી.ડો.હર્ષિલ પટેલે લક્ષ્મીબેન ને અગાઉ બે બાળકો સર્જરી થી થયેલ હોવાથી સર્જરી ની સલાહ આપી હતી. અને ડિલિવરી ની 27 જૂન 2022 તારીખ આપી હતી. પરંતુ સગર્ભા લક્ષ્મીબેન ને ગત તારીખ 22 જૂન 2022 ના રોજ પ્રસુતિ ની પીડા ઉપડતા ડો.હર્ષિલ પટેલ ની પારુલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં ડોકટર હર્ષિલ પટેલ હાજર ન હતા.તે વખતે  હોસ્પિટલમાં આર્યુવેદીક તબીબ ડો.ઇશરત અને નર્સ ખુશી હાજર હતા.વિકાસ ગંભીરે પત્ની ને અગાઉ સર્જરી થયેલ હોવાથી ડોકટર ને તાત્કાલિક બોલાવવા વિનંતી કરી.આમ છતાં ડોકટર ને બોલાવવાને બદલે લક્ષ્મીબેન ને તડપતી હાલતમાં છોડી દીધા હતા.જેમાં નોર્મલ ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ જતા વિકાસ ગંભીર પાસે લખાણ ઉપર સહી કરાવી લીધી હતી.

મૃતકના પતિ વિકાસ ભાઈ 

આ દરમિયાન બાળક નું ગર્ભમાં જ શ્વાસ રૂંધાઇ જવાથી મોત થઈ ગયું.અને ત્યારબાદ આર્યુવૈદિક ડોકટર ઇસરતે મૃત બાળકની નોર્મલ ડિલિવરી કરાવી. આ કારણે સગર્ભા મહિલા લક્ષ્મીબેન ની ગર્ભાશય ની કોથળી ફાટી ગઈ અને તેમની હાલત ગંભીર બનતા અન્ય હોસ્પિટલમાં ખસેડી દિધા.આ બાદ લક્ષ્મીબેન નું મોત નીપજ્યું..આ ઘટના બાદ પતિ ન્યાય મેળવવા દર દર ભટકતો રહ્યો..પણ આ કારણે બે માસૂમ બાળકો નોંધારા બની ગયા



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી