Kadi: મહિલાનો તડપી તડપીને જીવ ગયો પણ બચાવવા ડૉક્ટર ન પહોંચ્યા !


  • Published By :
  • Published Date : 2023-09-26 22:17:28

આમ તો ડોકટર કોઈને જીવ બચાવે. પણ કડીમાં એક ડોકટરે એક મહિલા અને એક નવજાત નો જીવ લઈ લીધો.. ડોકટર ની ભૂલ ને કારણે એક પતિએ પત્ની તો બે માસૂમ બાળકોએ માતા ગુમાવી..ડોકટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી..કાયદો કાયદા નું કામ કરશે.પણ જે ડોકટર પાસે જિંદગી બચાવવા ગયા એ ડોકટર એ જ મોત આપી દેવાની આ ઘટના તબીબી આલમ માટે પણ ચર્ચા નો વિષય બની ગઈ


કડી ના નાની કડી વિસ્તારમાં રહેતા વિકાસ ગંભીર નો પરિવારની ખુશી એક ડોકટર ના કારણે છીનવાઈ ગઈ..વિકાસ ગંભીર ની પત્ની તો બે માસૂમ બાળકોની માતા એક ડોકટર ની ભૂલ ને કારણે મોતને ભેટી..એક વર્ષ સુધી વિકાસ ગંભીર  ન્યાય માટે ભટકતા રહ્યા.. આખરે સવા વર્ષ પછી પોલીસે આ પરિવાર ની ફરિયાદ લીધી..હવે સવાલ થશે કે એક પરિવાર ની ખુશી ડોકટર એ કેવી રીતે છીનવી લીધી?કારણ કે ડોકટર તો જિંદગી બચાવે..પણ કડી ના ડોકટર હર્ષિલ પટેલ અને આર્યુવેદીક ડોકટર ઇશરતબેન ઇકબાલભાઇ ની ભૂલ ને કારણે એક સગર્ભા મહિલા સાથે એક નવજાત પણ મોતને ભેટયું..આ ઘટના 26 જૂન 2022 ના રોજ ઘટી..પણ કમનસીબી કહો કે પછી કાયદાની મર્યાદા કહો.પણ પત્ની અને બાળક ના મોત બાદ એક લાચાર પતિએ ફરિયાદ નોંધાવવા સવા વર્ષ ભટકવુ પડ્યું..પોલીસ કહ્યું કે જ્યાં સુધી પેનલ ડોકટર નો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફરિયાદ ન થાય.. પણ પોતાની પત્ની ને કોઈપણ ભોગે ન્યાય અપાવવાની સોગંધ લેનાર પતિ છેક મેડિકલ કાઉન્સિલ સુધી ગયો..મેડિકલ કાઉન્સિલ એ તમામ પુરાવા ચેક કર્યા.અને ગાયનોકલોજીસ્ટ હર્ષિલ પટેલ નું લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું..તો મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે ડો.હર્ષિલ પટેલ નું સોનોગ્રાફી રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દીધું.. મેડિકલ કાઉન્સિલ ના અભિપ્રાય ને પગલે ગત તારીખ 26 જૂન 2022 ના રોજ ઘટેલી ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી




મૃતકના પતિને મજબુર કરાયા !

મૂળ યુપીના વિકાસ ગંભીર કડી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.વિકાસ ગંભીર  પત્ની લક્ષ્મી અને બે બાળકો સાથે નાની કડી ખાતે વસવાટ કરે છે.વર્ષ 2022 માં વિકાસ ગંભીર ની પત્ની લક્ષ્મી ત્રીજી વખત સગર્ભા થતા તેમણે ગાયનેકોલોજીસ્ટ ડો.હર્ષિલ પટેલ ની સારવાર શરૂ કરાવી હતી.ડો.હર્ષિલ પટેલે લક્ષ્મીબેન ને અગાઉ બે બાળકો સર્જરી થી થયેલ હોવાથી સર્જરી ની સલાહ આપી હતી. અને ડિલિવરી ની 27 જૂન 2022 તારીખ આપી હતી. પરંતુ સગર્ભા લક્ષ્મીબેન ને ગત તારીખ 22 જૂન 2022 ના રોજ પ્રસુતિ ની પીડા ઉપડતા ડો.હર્ષિલ પટેલ ની પારુલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં ડોકટર હર્ષિલ પટેલ હાજર ન હતા.તે વખતે  હોસ્પિટલમાં આર્યુવેદીક તબીબ ડો.ઇશરત અને નર્સ ખુશી હાજર હતા.વિકાસ ગંભીરે પત્ની ને અગાઉ સર્જરી થયેલ હોવાથી ડોકટર ને તાત્કાલિક બોલાવવા વિનંતી કરી.આમ છતાં ડોકટર ને બોલાવવાને બદલે લક્ષ્મીબેન ને તડપતી હાલતમાં છોડી દીધા હતા.જેમાં નોર્મલ ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ જતા વિકાસ ગંભીર પાસે લખાણ ઉપર સહી કરાવી લીધી હતી.

મૃતકના પતિ વિકાસ ભાઈ 

આ દરમિયાન બાળક નું ગર્ભમાં જ શ્વાસ રૂંધાઇ જવાથી મોત થઈ ગયું.અને ત્યારબાદ આર્યુવૈદિક ડોકટર ઇસરતે મૃત બાળકની નોર્મલ ડિલિવરી કરાવી. આ કારણે સગર્ભા મહિલા લક્ષ્મીબેન ની ગર્ભાશય ની કોથળી ફાટી ગઈ અને તેમની હાલત ગંભીર બનતા અન્ય હોસ્પિટલમાં ખસેડી દિધા.આ બાદ લક્ષ્મીબેન નું મોત નીપજ્યું..આ ઘટના બાદ પતિ ન્યાય મેળવવા દર દર ભટકતો રહ્યો..પણ આ કારણે બે માસૂમ બાળકો નોંધારા બની ગયા



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.