UP Police Paper Leak મામલે યોગી સરકારે કરી મોટી કાર્યવાહી! પદ પરથી હટાવાયા ભરતી બોર્ડના અધ્યક્ષને..


  • Published By :
  • Published Date : 2024-03-05 12:14:32

ગુજરાતમાં પણ અનેક વખત પેપર લીક થવાની ઘટના સામે આવી છે. અનેક પેપર ફૂટે છે અને લોકોના સપનાઓ ચૂરચૂર થઈ જાય છે. પરીક્ષા માટે અનેક ઉમેદવારો તૈયારી કરતા હોય છે પરંતુ જ્યારે પરીક્ષાનું પેપર ફૂટે છે ત્યારે તેમને જે પીડા થતી હોય છે તેનું વર્ણન નથી થઈ શક્તું. થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર ફૂટ્યું હતું. લાખો ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં યોગી આદિત્યનાથ દ્વારા પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને હવે પેપર લીક મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેની બદલીમાં આ જવાબદારી રાજીવ કૃષ્ણને સોંપવામાં આવી છે.

ભરતી બોર્ડના અધ્યક્ષને હટાવાઈ દેવાયા! 

ઉત્તર પ્રદેશમાં પેપર લીક થવાની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા પોલીસ ભરતીનું પેપર લીક થયું તે બાદ ધોરણ 12ના બોર્ડના પેપર લીક થવાની ઘટના સામે આવી. પોલીસ ભરતીને લઈ લાખો ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું.અંદાજીત 45 લાખ ઉમેદવારો આ પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા હતા અને પરીક્ષા માટે હાજર પણ રહ્યા હતા. પરીક્ષાનું પેપર લીક થવાને કારણે પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય યોગી સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે પેપર લીક મામલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવાઈ દેવાયા છે અને રાજીવ કૃષ્ણને આની જવાબદારી સોંપવામાં આવી છે.


પેપર લીક થતા પરીક્ષાને કરાઈ રદ્દ! 

પોલીસ ભરતીની વાત કરીએ તો 17 અને 18 ફેબ્રુઆરીએ યુપીના તમામ 75 જિલ્લામાં કોન્સ્ટેબલની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીણામ આવે તેની પહેલા એવી જાણકારી મળી કે  પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. ઉમેદવારોએ આ વાતનો વિરોધ કર્યો અને પરીક્ષાને રદ્દ કરવામાં આવે તેવી માગ કરી હતી. વિરોધને ધ્યાનમાં રાખી પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકારે લીધો હતો. સાથે સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી કે છ મહિનાની અંદર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ કેસને લઈ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને મળતી માહિતી અનુસાર અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અને આજે ભરતી બોર્ડના અધ્યક્ષને હટાવાઈ દેવાયા છે.  


જ્યારે પેપર ફૂટે છે ત્યારે...!

મહત્વનું છે કે જ્યારે પેપર લીક જેવી ઘટનાઓ બને છે ત્યારે એવી કાર્યવાહી કરવામાં આવી જોઈએ કે જેનાથી લોકોમાં ડર બેસે. કાયદાનો ડર તો જાણે કોઈને નથી રહ્યો તેવું લાગે છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ અનેક પેપર ફૂટ્યા છે. અનેક વખત પેપર ફૂટવાની ઘટના સામે આવતા ઉમેદવારોના સપના તૂટ્યા છે. ભરતી બોર્ડની જવાબદારી એવા અધિકારીને સોંપવી જોઈએ જેમના પર ઉમેદવારોને વિશ્વાસ હોય...! 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.