રસ્તાને પોતાના બાપનો રસ્તો ન સમજો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો એક વીડિયો જેને જોઈ તમે પણ કહેશો કે સમાજમાં અનેક તથ્ય પટેલ છે....


  • Published By :
  • Published Date : 2023-07-22 18:42:55

આજકાલની યુવા પેઢી રસ્તાને પોતાના બાપનો સમજે છે. ઓવરસ્પીડમાં તેમજ લોકોને સ્ટંટ બતાવવાના ચક્કરમાં તેમજ રીલ બનાવાના ચક્કરમાં લોકો પોતાના જીવનને મુશ્કેલીમાં મૂકતા હોય છે પરંતુ બીજાના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 10 લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. પરિવારના આંસુઓ સૂકાયા નથી. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિચો વાયરલ થતા હોય છે જેમાં યુવાનો સ્ટંટ કરતા દેખાય છે. 

યુવા પેઢીનું પ્રતિબિંબ છે તથ્ય પટેલ!

તથ્ય પટેલની ઓવરસ્પીડિંગની વાત કરી હતી ત્યારે અમે કહ્યું હતું કે સમાજમાં આવા અનેક તથ્ય પટેલ છે. જે તથ્ય પટેલ પકડાયો છે તે તો માત્ર પ્રતિબિંબ છે. રસ્તા પરથી આપણે જ્યારે પસાર થતાં હોઈએ છીએ ત્યારે પણ આપણે રફ ડ્રાઈવિંગ કરતા નબીરાઓ દેખાતા હોય છે. ન માત્ર ગાડીઓમાં સ્ટંટ કરતા યુવાનો દેખાય છે પરંતુ બાઈકમાં પણ સ્ટંટ કરતા લોકો અચકાતા નથી. ઝુમ ઝુમ કરતા જ્યારે બાઈક નીકળે ત્યારે લોકોનું બેલેન્સ અનેક વખત ડગમગાઈ જતું હોય છે.

સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

સુરતથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં બાઈક પર યુવાન સ્ટંટ કરી રહ્યો છે. તથ્ય પટેલની આલોચના જ્યારે દરેક માણસ કરી રહ્યા હતા ત્યારે એક યુવાન તેના સમર્થનમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવાન સૌને એક પ્રશ્ન પૂછી રહ્યો છે કે તથ્ય પટેલ પાસે પૈસા છે, તેનું નામ છે એટલા માટે બધું તેના પર ઢોળી દેવામાં આવ્યું છે. બ્રિજ પર લાઈટ નથી તેની કોઈ વાત નહીં કરે, આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં કરીશું રહ્યા હતા. અમે પણ અનેક વખત કહ્યું કે આ કેસમાં માત્ર તથ્ય જ દોષી નથી, પરંતુ તે નિર્દોષ પણ નથી.     

 

આપણે કાયદાનું કરીએ છીએ પાલન!

ઓવરસ્પીડને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જે જીવલેણ સાબિત થતાં હોય છે. આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે જે કાયદાનું પાલન નહીં કરતા હોય. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જો કોઈ કાયદાનું પાલન કરતા દેખાય છે તો લોકો તેની મજાક ઉડાવે છે. ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો કાયદો છે, ગાડીમાં બ્લેટ લગાવવાનો નિયમ છે. પરંતુ આપણામાંથી કેટલા લોકો આ નિયમોનું પાલન કરીએ છીએ તેનો જવાબ આપણે આપણી અંતરાત્માને આપવાનો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.