રસ્તાને પોતાના બાપનો રસ્તો ન સમજો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો એક વીડિયો જેને જોઈ તમે પણ કહેશો કે સમાજમાં અનેક તથ્ય પટેલ છે....


  • Published By :
  • Published Date : 2023-07-22 18:42:55

આજકાલની યુવા પેઢી રસ્તાને પોતાના બાપનો સમજે છે. ઓવરસ્પીડમાં તેમજ લોકોને સ્ટંટ બતાવવાના ચક્કરમાં તેમજ રીલ બનાવાના ચક્કરમાં લોકો પોતાના જીવનને મુશ્કેલીમાં મૂકતા હોય છે પરંતુ બીજાના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 10 લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. પરિવારના આંસુઓ સૂકાયા નથી. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિચો વાયરલ થતા હોય છે જેમાં યુવાનો સ્ટંટ કરતા દેખાય છે. 

યુવા પેઢીનું પ્રતિબિંબ છે તથ્ય પટેલ!

તથ્ય પટેલની ઓવરસ્પીડિંગની વાત કરી હતી ત્યારે અમે કહ્યું હતું કે સમાજમાં આવા અનેક તથ્ય પટેલ છે. જે તથ્ય પટેલ પકડાયો છે તે તો માત્ર પ્રતિબિંબ છે. રસ્તા પરથી આપણે જ્યારે પસાર થતાં હોઈએ છીએ ત્યારે પણ આપણે રફ ડ્રાઈવિંગ કરતા નબીરાઓ દેખાતા હોય છે. ન માત્ર ગાડીઓમાં સ્ટંટ કરતા યુવાનો દેખાય છે પરંતુ બાઈકમાં પણ સ્ટંટ કરતા લોકો અચકાતા નથી. ઝુમ ઝુમ કરતા જ્યારે બાઈક નીકળે ત્યારે લોકોનું બેલેન્સ અનેક વખત ડગમગાઈ જતું હોય છે.

સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

સુરતથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં બાઈક પર યુવાન સ્ટંટ કરી રહ્યો છે. તથ્ય પટેલની આલોચના જ્યારે દરેક માણસ કરી રહ્યા હતા ત્યારે એક યુવાન તેના સમર્થનમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવાન સૌને એક પ્રશ્ન પૂછી રહ્યો છે કે તથ્ય પટેલ પાસે પૈસા છે, તેનું નામ છે એટલા માટે બધું તેના પર ઢોળી દેવામાં આવ્યું છે. બ્રિજ પર લાઈટ નથી તેની કોઈ વાત નહીં કરે, આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં કરીશું રહ્યા હતા. અમે પણ અનેક વખત કહ્યું કે આ કેસમાં માત્ર તથ્ય જ દોષી નથી, પરંતુ તે નિર્દોષ પણ નથી.     

 

આપણે કાયદાનું કરીએ છીએ પાલન!

ઓવરસ્પીડને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જે જીવલેણ સાબિત થતાં હોય છે. આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે જે કાયદાનું પાલન નહીં કરતા હોય. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જો કોઈ કાયદાનું પાલન કરતા દેખાય છે તો લોકો તેની મજાક ઉડાવે છે. ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો કાયદો છે, ગાડીમાં બ્લેટ લગાવવાનો નિયમ છે. પરંતુ આપણામાંથી કેટલા લોકો આ નિયમોનું પાલન કરીએ છીએ તેનો જવાબ આપણે આપણી અંતરાત્માને આપવાનો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.