દેશના આટલા રાજ્યોમાં વસતી કરતા મોબાઈલ યુઝર્સ વધારે છે! TRAIએ બહાર પાડ્યો રિપોર્ટ, ગુજરાત આ ક્રમે આવ્યું


  • Published By :
  • Published Date : 2023-09-22 15:05:53

આજના યુગને ડિજિટલનો યુગ કહેવામાં આવે છે. બધુ ડિજિટલ થઈ ગયું છે. શોપિંગ ડિઝિટલ, પેમેન્ટ ડિજિટલ વગેરે વગેરે... કોરોના પછી તો ભણતર પણ ડિઝિટલ બની ગયું છે. ઓનલાઈન ક્લાસીસ થઈ ગયા છે, Work from home જેવી વાતો આપણે સાંભળી રહ્યા છીએ. હવે સમય એવો આવ્યો છે જેમાં નાના બાળકો પણ મોબાઈલના શોખીન થઈ ગયા છે. બાળકોને પણ મોબાઈલની લત લાગી ગઈ છે. નાના બાળકો મોબાઈલ વગર ખાવાનું નથી ખાતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. 


દેશના 6 રાજ્યો એવા છે જ્યાં વસતી કરતા વધારે મોબાઈલ છે!

મોબાઈલ વગર આપણું જીવન અધૂરૂ ગણાય તેવું લાગે છે. ત્યારે તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈનો રિપોર્ટ આવ્યો છે જેમાં તે તારણ દર્શાવવામાં આવ્યું છે તે ચોંકાવનારું છે. દેશના 6 રાજ્યો એવા છે જ્યાં વસતી કરતા મોબાઈલ વધારે છે. આ વાક્ય વાંચીને નવાઈ લાગી હશેને પરંતુ આ વાત રિપોર્ટમાં જણાવવામાં આવી છે. ગુજરાતનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે પરંતુ તે આઠમા ક્રમ પર છે, જ્યારે દિલ્હીમાં વસતી પ્રમાણે અઢી ગણા મોબાઈલ વધારે છે. આ ક્રમમાં આંધ્ર પ્રદેશ, કેરળ, હિમાચલ પ્રદેશ, પંજાબ,તમિલનાડુ, કર્ણાટક તેમજ ગુજરાતનો સમાવેશ થાય છે.


આ લિસ્ટમાં ગુજરાત છે આ ક્રમે

રિપોર્ટમાં આવેલા તારણોની વાત કરીએ તો દિલ્હીમાં 2.13 કરોડની વસ્તી છે જ્યારે મોબાઈલ ફોનના યુઝર્સ 5.44 કરોડ છે. આંધ્ર પ્રદેશમાં 8.23 કરોડ મોબાઈલ યુઝર્સ છે પરંતુ ત્યાંની વસતી 5.31 કરોડ છે. કેરળની વસતી 3.57 કરોડ છે જ્યારે મોબાઈલ યુઝર્સ  4.22 કરોડ છે. હિમાચલ પ્રદેશની વસતી 74 લાખ છે જ્યારે મોબાઈલના યુઝર્સ 87 લાખ છે. પંજાબની વસતી 3.07 કરોડની છે જ્યારે 3.52 કરોડ મોબાઈલ યુઝર્સ છે. તમિલનાડુમાં 7.69 કરોડ મોબાઈલ યુઝર્સ છે જ્યારે ત્યાંની વસતી 7.68 કરોડની છે. કર્ણાટકની વસતી 6.76 કરોડ છે જ્યારે 6.58 કરોડ મોબાઈલ યુઝર્સ નોંધાયા છે. ગુજરાતની વસતી 7.15  કરોડ છે જ્યારે મોબાઈલ યુઝર્સ 6.61 કરોડ છે. 


10 વર્ષમાં નવા મોબાઈલ યુઝર્સનો થયો આટલો વધારો

ગુજરાતમાં 10 વર્ષમાં 1.28 કરોડ મોબાઈલ યુઝર્સ વધ્યા છે. નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન અનુસાર 2023માં દેશની અંદાજીત વસતી 138 કરોડથી વઘુ છે. જેમાંથી 82 ટકા એટલે કે 114 કરોડ લોકો પાસે મોબાઈસ ફોન છે. તેમાંથી 88 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. 2013માં ગુજરાતમાં 5.53 કરોડ લોકો પાસે મોબાઈલ હતા જ્યારે 2023માં એટલે કે 10 વર્ષ પછી 6.61 કરોડ લોકો પાસે મોબાઈલ ફોન છે. મહત્વનું છે ફોન હવે લોકોના જીવનની જરૂરિયાત બની ગયું છે. 


બાળકો મોબાઈલ વગર નથી રહી શક્તા!

એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જો એક દિવસ પણ ફોન વગર લોકોને રહેવાનું કહો તો તે તેમના માટે અશક્ય સાબિત જણાય છે. નાના બાળકો મોબાઈલથી એવી મસ્તી કરતા દેખાય છે, મોબાઈલના ફિચર્સ એટલી આસાનીથી વાપરતા દેખાય છે કે આપણને એમ થાય કે આટલા નાના બાળકોને ટેક્નોલોજીની આટલી બધી જાણકારી કેવી રીતે છે? ઉલ્લેખનિય છે કે ટેક્નોલોજીના ફાયદા તો છે પરંતુ સાથે સાથે ગેરફાયદા પણ છે. જો ટેક્નોલોજીનો સારી અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ટેક્નોલોજી આશીર્વાદ સમાન છે પરંતુ જો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરવામાં આવે તો શું દશા થઈ શકે છે તે આપણે જાણીએ છીએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.