દેશના આટલા રાજ્યોમાં વસતી કરતા મોબાઈલ યુઝર્સ વધારે છે! TRAIએ બહાર પાડ્યો રિપોર્ટ, ગુજરાત આ ક્રમે આવ્યું


  • Published By :
  • Published Date : 2023-09-22 15:05:53

આજના યુગને ડિજિટલનો યુગ કહેવામાં આવે છે. બધુ ડિજિટલ થઈ ગયું છે. શોપિંગ ડિઝિટલ, પેમેન્ટ ડિજિટલ વગેરે વગેરે... કોરોના પછી તો ભણતર પણ ડિઝિટલ બની ગયું છે. ઓનલાઈન ક્લાસીસ થઈ ગયા છે, Work from home જેવી વાતો આપણે સાંભળી રહ્યા છીએ. હવે સમય એવો આવ્યો છે જેમાં નાના બાળકો પણ મોબાઈલના શોખીન થઈ ગયા છે. બાળકોને પણ મોબાઈલની લત લાગી ગઈ છે. નાના બાળકો મોબાઈલ વગર ખાવાનું નથી ખાતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. 


દેશના 6 રાજ્યો એવા છે જ્યાં વસતી કરતા વધારે મોબાઈલ છે!

મોબાઈલ વગર આપણું જીવન અધૂરૂ ગણાય તેવું લાગે છે. ત્યારે તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈનો રિપોર્ટ આવ્યો છે જેમાં તે તારણ દર્શાવવામાં આવ્યું છે તે ચોંકાવનારું છે. દેશના 6 રાજ્યો એવા છે જ્યાં વસતી કરતા મોબાઈલ વધારે છે. આ વાક્ય વાંચીને નવાઈ લાગી હશેને પરંતુ આ વાત રિપોર્ટમાં જણાવવામાં આવી છે. ગુજરાતનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે પરંતુ તે આઠમા ક્રમ પર છે, જ્યારે દિલ્હીમાં વસતી પ્રમાણે અઢી ગણા મોબાઈલ વધારે છે. આ ક્રમમાં આંધ્ર પ્રદેશ, કેરળ, હિમાચલ પ્રદેશ, પંજાબ,તમિલનાડુ, કર્ણાટક તેમજ ગુજરાતનો સમાવેશ થાય છે.


આ લિસ્ટમાં ગુજરાત છે આ ક્રમે

રિપોર્ટમાં આવેલા તારણોની વાત કરીએ તો દિલ્હીમાં 2.13 કરોડની વસ્તી છે જ્યારે મોબાઈલ ફોનના યુઝર્સ 5.44 કરોડ છે. આંધ્ર પ્રદેશમાં 8.23 કરોડ મોબાઈલ યુઝર્સ છે પરંતુ ત્યાંની વસતી 5.31 કરોડ છે. કેરળની વસતી 3.57 કરોડ છે જ્યારે મોબાઈલ યુઝર્સ  4.22 કરોડ છે. હિમાચલ પ્રદેશની વસતી 74 લાખ છે જ્યારે મોબાઈલના યુઝર્સ 87 લાખ છે. પંજાબની વસતી 3.07 કરોડની છે જ્યારે 3.52 કરોડ મોબાઈલ યુઝર્સ છે. તમિલનાડુમાં 7.69 કરોડ મોબાઈલ યુઝર્સ છે જ્યારે ત્યાંની વસતી 7.68 કરોડની છે. કર્ણાટકની વસતી 6.76 કરોડ છે જ્યારે 6.58 કરોડ મોબાઈલ યુઝર્સ નોંધાયા છે. ગુજરાતની વસતી 7.15  કરોડ છે જ્યારે મોબાઈલ યુઝર્સ 6.61 કરોડ છે. 


10 વર્ષમાં નવા મોબાઈલ યુઝર્સનો થયો આટલો વધારો

ગુજરાતમાં 10 વર્ષમાં 1.28 કરોડ મોબાઈલ યુઝર્સ વધ્યા છે. નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન અનુસાર 2023માં દેશની અંદાજીત વસતી 138 કરોડથી વઘુ છે. જેમાંથી 82 ટકા એટલે કે 114 કરોડ લોકો પાસે મોબાઈસ ફોન છે. તેમાંથી 88 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. 2013માં ગુજરાતમાં 5.53 કરોડ લોકો પાસે મોબાઈલ હતા જ્યારે 2023માં એટલે કે 10 વર્ષ પછી 6.61 કરોડ લોકો પાસે મોબાઈલ ફોન છે. મહત્વનું છે ફોન હવે લોકોના જીવનની જરૂરિયાત બની ગયું છે. 


બાળકો મોબાઈલ વગર નથી રહી શક્તા!

એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જો એક દિવસ પણ ફોન વગર લોકોને રહેવાનું કહો તો તે તેમના માટે અશક્ય સાબિત જણાય છે. નાના બાળકો મોબાઈલથી એવી મસ્તી કરતા દેખાય છે, મોબાઈલના ફિચર્સ એટલી આસાનીથી વાપરતા દેખાય છે કે આપણને એમ થાય કે આટલા નાના બાળકોને ટેક્નોલોજીની આટલી બધી જાણકારી કેવી રીતે છે? ઉલ્લેખનિય છે કે ટેક્નોલોજીના ફાયદા તો છે પરંતુ સાથે સાથે ગેરફાયદા પણ છે. જો ટેક્નોલોજીનો સારી અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ટેક્નોલોજી આશીર્વાદ સમાન છે પરંતુ જો ટેક્નોલોજીનો દુરૂપયોગ કરવામાં આવે તો શું દશા થઈ શકે છે તે આપણે જાણીએ છીએ.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .