રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, જગતનો તાત ચિંતિત


  • Published By :
  • Published Date : 2024-02-21 10:33:47

ધીરે ધીરે ઠંડી વિદાય લઈ રહી છે અને ગરમીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ગરમી લાગે છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ઠંડી જ્યારે વિદાય લઈ રહી છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર વરસાદી ઝાપટા આવ્યા હતા.   


બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ! 

બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થાય છે જ્યારે સવારના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે એટલી ગરમી હોય છે જેને લઈ પંખો કરવો પડે છે. ત્યારે શિયાળાની વિદાય વખતે કમોસમી વરસાદ આવી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી બનાસકાંઠાના ધાનેરા તેમજ થરાદમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પવન સાથે કમોસમી વરસાદ થતા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 


ફરી એક વખત વાતાવરણમાં આવ્યો પલટો!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. તે સિવાય હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે. થરાદ, વાવ, લાખણી સહિતના ગામોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં એવો પલટો આવ્યો છે જેને કારણે કઈ સિઝન ચાલે છે તે નથી જાણી શકાતી.!



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .