રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, જગતનો તાત ચિંતિત


  • Published By :
  • Published Date : 2024-02-21 10:33:47

ધીરે ધીરે ઠંડી વિદાય લઈ રહી છે અને ગરમીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ગરમી લાગે છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ઠંડી જ્યારે વિદાય લઈ રહી છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર વરસાદી ઝાપટા આવ્યા હતા.   


બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ! 

બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થાય છે જ્યારે સવારના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે એટલી ગરમી હોય છે જેને લઈ પંખો કરવો પડે છે. ત્યારે શિયાળાની વિદાય વખતે કમોસમી વરસાદ આવી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી બનાસકાંઠાના ધાનેરા તેમજ થરાદમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પવન સાથે કમોસમી વરસાદ થતા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 


ફરી એક વખત વાતાવરણમાં આવ્યો પલટો!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. તે સિવાય હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે. થરાદ, વાવ, લાખણી સહિતના ગામોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં એવો પલટો આવ્યો છે જેને કારણે કઈ સિઝન ચાલે છે તે નથી જાણી શકાતી.!



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.