રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, જગતનો તાત ચિંતિત


  • Published By :
  • Published Date : 2024-02-21 10:33:47

ધીરે ધીરે ઠંડી વિદાય લઈ રહી છે અને ગરમીની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ગરમી લાગે છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ઠંડી જ્યારે વિદાય લઈ રહી છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર વરસાદી ઝાપટા આવ્યા હતા.   


બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ! 

બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થાય છે જ્યારે સવારના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે એટલી ગરમી હોય છે જેને લઈ પંખો કરવો પડે છે. ત્યારે શિયાળાની વિદાય વખતે કમોસમી વરસાદ આવી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી બનાસકાંઠાના ધાનેરા તેમજ થરાદમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પવન સાથે કમોસમી વરસાદ થતા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 


ફરી એક વખત વાતાવરણમાં આવ્યો પલટો!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. તે સિવાય હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે. થરાદ, વાવ, લાખણી સહિતના ગામોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં એવો પલટો આવ્યો છે જેને કારણે કઈ સિઝન ચાલે છે તે નથી જાણી શકાતી.!



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.