Coronaના કેસમાં આવ્યો ઉછાળો, જાણો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા?


  • Published By :
  • Published Date : 2024-01-05 14:18:49

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના દેશમાં માથું ઉચકી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 700થી વધારે કેસ નોંધાયા છે. કોરોના કેસ નોંધાવામાં તો વધારો થયો છે પરંતુ મૃત્યુઆંકમાં પણ વધારે થઈ રહ્યો છે. દેશમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 761 નવા કેસ સામે આવ્યા છે. 12 લોકોના મોત થયા છે. 5 મોત કેરળમાં થયા છે, કર્ણાટકથી ચાર લોકોના મોત થયા છે. બે મોતના કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. એક વ્યક્તિનું મોત ઉત્તર પ્રદેશમાં થયું છે. મહત્વનું છે કે એક્ટિવ કેસની સંખ્યા 4423 પર પહોંચી છે.  

કોરોના વાઇરસ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ, 81નાં મૃત્યુ -  BBC News ગુજરાતી

કોરોનાના કેસમાં જોવા મળી રહ્યો છે ઉછાળો 

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ સાંભળીને ચિંતા વધી જતી હતી. જો કોઈ કોરોના સંક્રમિત આપણી આસપાસ નોંધાયો હોય તો આપણે ડરી જતા હતા. પરંતુ સમય જતા સ્થિતિ બદલાઈ અને કોરોના લોકો માટે સામાન્ય બન્યો. કોરોનાને લોકો નોર્મલ ગણવા લાગ્યા. ન્યુ નોર્મલ જેવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પરંતુ દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં કોરોના સંક્રમણએ ચિંતા વધારી છે. કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. અનેક દેશમાં કોરોનાના અધધધ કેસ નોંધાઈ રહ્યા છે. ન માત્ર કોરોના પરંતુ કોરોનાનો નવો વેરિયન્ટ પણ ચિંતા વધારી રહ્યો છે. નવા વેરિયન્ટના અનેક દર્દીઓ સામે આવી રહ્યા છે. 

Gujarat Corona Cases Updates: 11017 new Cases Reported And 102 Death In The  Last 24 Hours | Gujarat Corona Cases Updates: રાજ્યમાં આજે 11,017 નવા કેસ  નોંધાયા, 102 લોકોના કોરોનાથી મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 761 નવા કેસ નોંધાયા 

દેશમાં કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. કોરોનામાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. કોઈ વખત 800થી વધારે કેસ નોંધાય છે તો કોઈ વખત 700ને પાર કેસનો આંકડો પહોંચે છે. આ બધા વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 761 કેસ નોંધાયા છે જ્યારે 12 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધારે કેસ કર્ણાટકથી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર કોરોનાના 298 નવા કેસ કર્ણાટકથી સામે આવ્યા છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.