Coronaના કેસમાં આવ્યો ઉછાળો, જાણો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા?


  • Published By :
  • Published Date : 2024-01-05 14:18:49

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના દેશમાં માથું ઉચકી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 700થી વધારે કેસ નોંધાયા છે. કોરોના કેસ નોંધાવામાં તો વધારો થયો છે પરંતુ મૃત્યુઆંકમાં પણ વધારે થઈ રહ્યો છે. દેશમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 761 નવા કેસ સામે આવ્યા છે. 12 લોકોના મોત થયા છે. 5 મોત કેરળમાં થયા છે, કર્ણાટકથી ચાર લોકોના મોત થયા છે. બે મોતના કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. એક વ્યક્તિનું મોત ઉત્તર પ્રદેશમાં થયું છે. મહત્વનું છે કે એક્ટિવ કેસની સંખ્યા 4423 પર પહોંચી છે.  

કોરોના વાઇરસ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ, 81નાં મૃત્યુ -  BBC News ગુજરાતી

કોરોનાના કેસમાં જોવા મળી રહ્યો છે ઉછાળો 

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ સાંભળીને ચિંતા વધી જતી હતી. જો કોઈ કોરોના સંક્રમિત આપણી આસપાસ નોંધાયો હોય તો આપણે ડરી જતા હતા. પરંતુ સમય જતા સ્થિતિ બદલાઈ અને કોરોના લોકો માટે સામાન્ય બન્યો. કોરોનાને લોકો નોર્મલ ગણવા લાગ્યા. ન્યુ નોર્મલ જેવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પરંતુ દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં કોરોના સંક્રમણએ ચિંતા વધારી છે. કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. અનેક દેશમાં કોરોનાના અધધધ કેસ નોંધાઈ રહ્યા છે. ન માત્ર કોરોના પરંતુ કોરોનાનો નવો વેરિયન્ટ પણ ચિંતા વધારી રહ્યો છે. નવા વેરિયન્ટના અનેક દર્દીઓ સામે આવી રહ્યા છે. 

Gujarat Corona Cases Updates: 11017 new Cases Reported And 102 Death In The  Last 24 Hours | Gujarat Corona Cases Updates: રાજ્યમાં આજે 11,017 નવા કેસ  નોંધાયા, 102 લોકોના કોરોનાથી મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 761 નવા કેસ નોંધાયા 

દેશમાં કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. કોરોનામાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. કોઈ વખત 800થી વધારે કેસ નોંધાય છે તો કોઈ વખત 700ને પાર કેસનો આંકડો પહોંચે છે. આ બધા વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 761 કેસ નોંધાયા છે જ્યારે 12 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધારે કેસ કર્ણાટકથી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર કોરોનાના 298 નવા કેસ કર્ણાટકથી સામે આવ્યા છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .