Coronaના કેસમાં આવ્યો ઉછાળો, જાણો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા?


  • Published By :
  • Published Date : 2024-01-05 14:18:49

કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના દેશમાં માથું ઉચકી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 700થી વધારે કેસ નોંધાયા છે. કોરોના કેસ નોંધાવામાં તો વધારો થયો છે પરંતુ મૃત્યુઆંકમાં પણ વધારે થઈ રહ્યો છે. દેશમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 761 નવા કેસ સામે આવ્યા છે. 12 લોકોના મોત થયા છે. 5 મોત કેરળમાં થયા છે, કર્ણાટકથી ચાર લોકોના મોત થયા છે. બે મોતના કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. એક વ્યક્તિનું મોત ઉત્તર પ્રદેશમાં થયું છે. મહત્વનું છે કે એક્ટિવ કેસની સંખ્યા 4423 પર પહોંચી છે.  

કોરોના વાઇરસ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ, 81નાં મૃત્યુ -  BBC News ગુજરાતી

કોરોનાના કેસમાં જોવા મળી રહ્યો છે ઉછાળો 

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ સાંભળીને ચિંતા વધી જતી હતી. જો કોઈ કોરોના સંક્રમિત આપણી આસપાસ નોંધાયો હોય તો આપણે ડરી જતા હતા. પરંતુ સમય જતા સ્થિતિ બદલાઈ અને કોરોના લોકો માટે સામાન્ય બન્યો. કોરોનાને લોકો નોર્મલ ગણવા લાગ્યા. ન્યુ નોર્મલ જેવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પરંતુ દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં કોરોના સંક્રમણએ ચિંતા વધારી છે. કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. અનેક દેશમાં કોરોનાના અધધધ કેસ નોંધાઈ રહ્યા છે. ન માત્ર કોરોના પરંતુ કોરોનાનો નવો વેરિયન્ટ પણ ચિંતા વધારી રહ્યો છે. નવા વેરિયન્ટના અનેક દર્દીઓ સામે આવી રહ્યા છે. 

Gujarat Corona Cases Updates: 11017 new Cases Reported And 102 Death In The  Last 24 Hours | Gujarat Corona Cases Updates: રાજ્યમાં આજે 11,017 નવા કેસ  નોંધાયા, 102 લોકોના કોરોનાથી મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 761 નવા કેસ નોંધાયા 

દેશમાં કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. કોરોનામાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. કોઈ વખત 800થી વધારે કેસ નોંધાય છે તો કોઈ વખત 700ને પાર કેસનો આંકડો પહોંચે છે. આ બધા વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 761 કેસ નોંધાયા છે જ્યારે 12 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધારે કેસ કર્ણાટકથી સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર કોરોનાના 298 નવા કેસ કર્ણાટકથી સામે આવ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.