ચીનમાં કોરોના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો, લાખો લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-24 13:13:35

વિશ્વના અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં તો હાલત બેકાબૂ બની રહી છે. ચીનમાં લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે હોસ્પિટલમાં લાંબી લાઈન જોવા મળી રહી છે. દવાઓ ખૂટી રહી છે. 


આગામી દિવસોમાં વધી શકે છે કોરોનાનો કહેર 

ચીનમાં કોરોના વાયરસ વાયુવેગે પ્રસરી રહ્યો છે. કોરોના વધતા ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. ઝીરો કોવિડ પોલીસીનો લોકોએ વિરોધ કર્યો હતો. રસ્તા પર ઉતરી લોકો વિરોધ કરી રહ્યા હતા. જેને કારણે નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા હતા. નિયમો હળવા કરાતા ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 20 દિવસની અંદર અંદાજીત 20 લાખ 50 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. 


શાંઘાઈમાં પણ હાલાત ખરાબ થઈ શકે છે   

ચીનમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ઉપરાંત મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 54 લાખ પહોંચી શકે છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણની વાતો વિશ્વમાં થઈ રહી છે પરંતુ ચીન સરકારના આંકડા પ્રમાણે 22 ડિસેમ્બરના રોજ કોઈનું પણ મૃત્યુ નથી થયું ઉપરાંત માત્ર 3761 લોકો જ કોરોના સંક્રમિત થયા છે. શાંધાઈમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.            



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.