ચીનમાં કોરોના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો, લાખો લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-24 13:13:35

વિશ્વના અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં તો હાલત બેકાબૂ બની રહી છે. ચીનમાં લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે હોસ્પિટલમાં લાંબી લાઈન જોવા મળી રહી છે. દવાઓ ખૂટી રહી છે. 


આગામી દિવસોમાં વધી શકે છે કોરોનાનો કહેર 

ચીનમાં કોરોના વાયરસ વાયુવેગે પ્રસરી રહ્યો છે. કોરોના વધતા ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. ઝીરો કોવિડ પોલીસીનો લોકોએ વિરોધ કર્યો હતો. રસ્તા પર ઉતરી લોકો વિરોધ કરી રહ્યા હતા. જેને કારણે નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા હતા. નિયમો હળવા કરાતા ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 20 દિવસની અંદર અંદાજીત 20 લાખ 50 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. 


શાંઘાઈમાં પણ હાલાત ખરાબ થઈ શકે છે   

ચીનમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ઉપરાંત મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 54 લાખ પહોંચી શકે છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણની વાતો વિશ્વમાં થઈ રહી છે પરંતુ ચીન સરકારના આંકડા પ્રમાણે 22 ડિસેમ્બરના રોજ કોઈનું પણ મૃત્યુ નથી થયું ઉપરાંત માત્ર 3761 લોકો જ કોરોના સંક્રમિત થયા છે. શાંધાઈમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.            



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?