ચીનમાં કોરોના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો, લાખો લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-24 13:13:35

વિશ્વના અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં તો હાલત બેકાબૂ બની રહી છે. ચીનમાં લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે હોસ્પિટલમાં લાંબી લાઈન જોવા મળી રહી છે. દવાઓ ખૂટી રહી છે. 


આગામી દિવસોમાં વધી શકે છે કોરોનાનો કહેર 

ચીનમાં કોરોના વાયરસ વાયુવેગે પ્રસરી રહ્યો છે. કોરોના વધતા ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. ઝીરો કોવિડ પોલીસીનો લોકોએ વિરોધ કર્યો હતો. રસ્તા પર ઉતરી લોકો વિરોધ કરી રહ્યા હતા. જેને કારણે નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા હતા. નિયમો હળવા કરાતા ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 20 દિવસની અંદર અંદાજીત 20 લાખ 50 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. 


શાંઘાઈમાં પણ હાલાત ખરાબ થઈ શકે છે   

ચીનમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ઉપરાંત મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 54 લાખ પહોંચી શકે છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણની વાતો વિશ્વમાં થઈ રહી છે પરંતુ ચીન સરકારના આંકડા પ્રમાણે 22 ડિસેમ્બરના રોજ કોઈનું પણ મૃત્યુ નથી થયું ઉપરાંત માત્ર 3761 લોકો જ કોરોના સંક્રમિત થયા છે. શાંધાઈમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.            



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.