ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવસ્ટોરીમાં આવ્યો નવો વળાંક! જાણો પોતાના પિતાને શું કહ્યું અંજુએ?


  • Published By :
  • Published Date : 2023-07-29 15:48:02

દેશમાં અત્યારે સૌથી વધારે કોઈ વિષય પર ચર્ચા થઈ રહી હોય તો એ છે  પાકિસ્તાનથી આવેલી સીમાની એને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની. રોજ આ બંને કહાનીમાં અલગ અલગ ટ્વીસ્ટ તેમજ અપડેટ આવતા રહે છે. ત્યારે આજે વાત કરવી છે ભારતથી ગયેલી અંજુની જે પાકિસ્તાનમાં જઈ ફાતિમા બની ગઈ છે. 


પાકિસ્તાન પહોંચ્યા બાદ ફતિમાએ પહેલી વખત કરી પિતા સાથે વાત

પાકિસ્તાનથી સીમા પાર કરી પોતાના પ્રેમીને મળવા સીમા ભારત આવે છે. તો બીજી તરફ ભારતથી અંજુ નામની છોકરી પ્રેમમાં પાગલ થઈ પાકિસ્તાન પહોંચી જાય છે. અંજુએ દીરબાલાના ડિસ્ટ્રિક કોર્ટમાં ઈસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. સાથે જ, સોશિયલ મીડિયા ફ્રેન્ડ નસરૂલ્લાહ સાથે લગ્ન પણ કર્યા છે. આ દરમિયાન નિકાહ નામામાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ કબૂલ કરી રહી છે. તેના પિતા અને પરિવાર ગ્વાલિયરના ટેકનપુર બૌના ગામમાં રહે છે અને સમગ્ર ઘટના પછી પહેલી વાર તેણે પાકિસ્તાનથી પિતા સાથે વાત કરી છે.


પિતાને કહ્યું લગ્નની વાતો અફવા છે!

પિતાએ વોઇસ મેસેજ કર્યો છે કે- અંજુ મારે તારી સાથે પહેલી અને છેલ્લીવાર વાત કરવી છે. એ મેસેજના રિપ્લાયમાં અંજુએ રડતા ઇમોજીનો સિમ્બોલ મોકલ્યો અને સોરી પપ્પા કહ્યું. વોટ્સએપ પર ચેટ કર્યા બાદ અંજુએ પાકિસ્તાની નંબર પરથી પોતાના પિતાના મોબાઈલ પર કોલ કર્યો. આ પછી તેણે તેના પિતા સાથે વાત કરી. અંજુ ઉર્ફે ફાતિમાના પિતા આ વાતચીત પર કંઈ કહી રહ્યા નથી, પરંતુ જાણવા મળ્યું છે કે અંજુએ તેના લગ્નના સમાચારને અફવા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે એવું કશું જ નથી. હવે આને શું કહેવું એ સમજાતું નથી. પાકિસ્તાન પહોંચ્યા પછી અંજુ કોઈ દબાણમાં છે? ફાતિમા બનવાથી લઈને તેના લગ્નના સમાચાર માત્ર દેખાડો છે.?


20 ઓગસ્ટે ભારત પરત ફરશે અંજુ 

અંજુ 30 દિવસના વિઝા લઈ 21 જુલાઈએ ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. હવે તેણે 20 ઓગસ્ટે ભારત પરત ફરવાનું છે. અંજુના ભારત પરત ફરવા પર, તેણે અહીં મીડિયાની સાથે સુરક્ષા એજન્સીઓના પ્રશ્નોના જવાબ આપવા પડશે. અને તે બાદ તે તેના પરિવારને મળવા પહોંચશે.


અંજુના પાકિસ્તાન પાછળ લોકો લગાવી રહ્યા છે અનેક તર્ક વિતર્ક

આ ઘટના પછી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઘણા લોકો એવું કહે છે કે આ સીમા હૈદરનો બદલો લેવા પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI એ અંજુને ફસાવી? અંજુ પાકિસ્તાન પહોંચી ત્યાર બાદ તેનો વીડિયો લીક થયો હતો. આ વીડિયોમાં તે કહે છે કે તે સીમા હૈદર જેવી નથી. તે માત્ર તેના મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન આવી છે. મુલાકાત બાદ તે પોતાના દેશ ભારત પરત ફરશે. આ વીડિયોમાં તે પાકિસ્તાનમાં તેની હાજરીની પુષ્ટિ કરે છે. આ કામ ISIદ્વારા કરાવવામાં આવ્યું હોવાની આશંકા છે. આ લોકોની કહાની સાંભળીને એવી ફીલ આવે છે કે આ લોકોએ ગદર મૂવીને બહુ ગંભીરતાથી લઈ લીધી છે. અંજુ પાકિસ્તાન ગઈ ફાતિમા બની ગઈ ને પછી  હવે કહે છે કે આ બધી અફવા છે ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.