ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવસ્ટોરીમાં આવ્યો નવો વળાંક! જાણો પોતાના પિતાને શું કહ્યું અંજુએ?


  • Published By :
  • Published Date : 2023-07-29 15:48:02

દેશમાં અત્યારે સૌથી વધારે કોઈ વિષય પર ચર્ચા થઈ રહી હોય તો એ છે  પાકિસ્તાનથી આવેલી સીમાની એને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની. રોજ આ બંને કહાનીમાં અલગ અલગ ટ્વીસ્ટ તેમજ અપડેટ આવતા રહે છે. ત્યારે આજે વાત કરવી છે ભારતથી ગયેલી અંજુની જે પાકિસ્તાનમાં જઈ ફાતિમા બની ગઈ છે. 


પાકિસ્તાન પહોંચ્યા બાદ ફતિમાએ પહેલી વખત કરી પિતા સાથે વાત

પાકિસ્તાનથી સીમા પાર કરી પોતાના પ્રેમીને મળવા સીમા ભારત આવે છે. તો બીજી તરફ ભારતથી અંજુ નામની છોકરી પ્રેમમાં પાગલ થઈ પાકિસ્તાન પહોંચી જાય છે. અંજુએ દીરબાલાના ડિસ્ટ્રિક કોર્ટમાં ઈસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. સાથે જ, સોશિયલ મીડિયા ફ્રેન્ડ નસરૂલ્લાહ સાથે લગ્ન પણ કર્યા છે. આ દરમિયાન નિકાહ નામામાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ કબૂલ કરી રહી છે. તેના પિતા અને પરિવાર ગ્વાલિયરના ટેકનપુર બૌના ગામમાં રહે છે અને સમગ્ર ઘટના પછી પહેલી વાર તેણે પાકિસ્તાનથી પિતા સાથે વાત કરી છે.


પિતાને કહ્યું લગ્નની વાતો અફવા છે!

પિતાએ વોઇસ મેસેજ કર્યો છે કે- અંજુ મારે તારી સાથે પહેલી અને છેલ્લીવાર વાત કરવી છે. એ મેસેજના રિપ્લાયમાં અંજુએ રડતા ઇમોજીનો સિમ્બોલ મોકલ્યો અને સોરી પપ્પા કહ્યું. વોટ્સએપ પર ચેટ કર્યા બાદ અંજુએ પાકિસ્તાની નંબર પરથી પોતાના પિતાના મોબાઈલ પર કોલ કર્યો. આ પછી તેણે તેના પિતા સાથે વાત કરી. અંજુ ઉર્ફે ફાતિમાના પિતા આ વાતચીત પર કંઈ કહી રહ્યા નથી, પરંતુ જાણવા મળ્યું છે કે અંજુએ તેના લગ્નના સમાચારને અફવા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે એવું કશું જ નથી. હવે આને શું કહેવું એ સમજાતું નથી. પાકિસ્તાન પહોંચ્યા પછી અંજુ કોઈ દબાણમાં છે? ફાતિમા બનવાથી લઈને તેના લગ્નના સમાચાર માત્ર દેખાડો છે.?


20 ઓગસ્ટે ભારત પરત ફરશે અંજુ 

અંજુ 30 દિવસના વિઝા લઈ 21 જુલાઈએ ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. હવે તેણે 20 ઓગસ્ટે ભારત પરત ફરવાનું છે. અંજુના ભારત પરત ફરવા પર, તેણે અહીં મીડિયાની સાથે સુરક્ષા એજન્સીઓના પ્રશ્નોના જવાબ આપવા પડશે. અને તે બાદ તે તેના પરિવારને મળવા પહોંચશે.


અંજુના પાકિસ્તાન પાછળ લોકો લગાવી રહ્યા છે અનેક તર્ક વિતર્ક

આ ઘટના પછી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઘણા લોકો એવું કહે છે કે આ સીમા હૈદરનો બદલો લેવા પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI એ અંજુને ફસાવી? અંજુ પાકિસ્તાન પહોંચી ત્યાર બાદ તેનો વીડિયો લીક થયો હતો. આ વીડિયોમાં તે કહે છે કે તે સીમા હૈદર જેવી નથી. તે માત્ર તેના મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન આવી છે. મુલાકાત બાદ તે પોતાના દેશ ભારત પરત ફરશે. આ વીડિયોમાં તે પાકિસ્તાનમાં તેની હાજરીની પુષ્ટિ કરે છે. આ કામ ISIદ્વારા કરાવવામાં આવ્યું હોવાની આશંકા છે. આ લોકોની કહાની સાંભળીને એવી ફીલ આવે છે કે આ લોકોએ ગદર મૂવીને બહુ ગંભીરતાથી લઈ લીધી છે. અંજુ પાકિસ્તાન ગઈ ફાતિમા બની ગઈ ને પછી  હવે કહે છે કે આ બધી અફવા છે ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.