ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવસ્ટોરીમાં આવ્યો નવો વળાંક! જાણો પોતાના પિતાને શું કહ્યું અંજુએ?


  • Published By :
  • Published Date : 2023-07-29 15:48:02

દેશમાં અત્યારે સૌથી વધારે કોઈ વિષય પર ચર્ચા થઈ રહી હોય તો એ છે  પાકિસ્તાનથી આવેલી સીમાની એને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની. રોજ આ બંને કહાનીમાં અલગ અલગ ટ્વીસ્ટ તેમજ અપડેટ આવતા રહે છે. ત્યારે આજે વાત કરવી છે ભારતથી ગયેલી અંજુની જે પાકિસ્તાનમાં જઈ ફાતિમા બની ગઈ છે. 


પાકિસ્તાન પહોંચ્યા બાદ ફતિમાએ પહેલી વખત કરી પિતા સાથે વાત

પાકિસ્તાનથી સીમા પાર કરી પોતાના પ્રેમીને મળવા સીમા ભારત આવે છે. તો બીજી તરફ ભારતથી અંજુ નામની છોકરી પ્રેમમાં પાગલ થઈ પાકિસ્તાન પહોંચી જાય છે. અંજુએ દીરબાલાના ડિસ્ટ્રિક કોર્ટમાં ઈસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. સાથે જ, સોશિયલ મીડિયા ફ્રેન્ડ નસરૂલ્લાહ સાથે લગ્ન પણ કર્યા છે. આ દરમિયાન નિકાહ નામામાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ કબૂલ કરી રહી છે. તેના પિતા અને પરિવાર ગ્વાલિયરના ટેકનપુર બૌના ગામમાં રહે છે અને સમગ્ર ઘટના પછી પહેલી વાર તેણે પાકિસ્તાનથી પિતા સાથે વાત કરી છે.


પિતાને કહ્યું લગ્નની વાતો અફવા છે!

પિતાએ વોઇસ મેસેજ કર્યો છે કે- અંજુ મારે તારી સાથે પહેલી અને છેલ્લીવાર વાત કરવી છે. એ મેસેજના રિપ્લાયમાં અંજુએ રડતા ઇમોજીનો સિમ્બોલ મોકલ્યો અને સોરી પપ્પા કહ્યું. વોટ્સએપ પર ચેટ કર્યા બાદ અંજુએ પાકિસ્તાની નંબર પરથી પોતાના પિતાના મોબાઈલ પર કોલ કર્યો. આ પછી તેણે તેના પિતા સાથે વાત કરી. અંજુ ઉર્ફે ફાતિમાના પિતા આ વાતચીત પર કંઈ કહી રહ્યા નથી, પરંતુ જાણવા મળ્યું છે કે અંજુએ તેના લગ્નના સમાચારને અફવા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે એવું કશું જ નથી. હવે આને શું કહેવું એ સમજાતું નથી. પાકિસ્તાન પહોંચ્યા પછી અંજુ કોઈ દબાણમાં છે? ફાતિમા બનવાથી લઈને તેના લગ્નના સમાચાર માત્ર દેખાડો છે.?


20 ઓગસ્ટે ભારત પરત ફરશે અંજુ 

અંજુ 30 દિવસના વિઝા લઈ 21 જુલાઈએ ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. હવે તેણે 20 ઓગસ્ટે ભારત પરત ફરવાનું છે. અંજુના ભારત પરત ફરવા પર, તેણે અહીં મીડિયાની સાથે સુરક્ષા એજન્સીઓના પ્રશ્નોના જવાબ આપવા પડશે. અને તે બાદ તે તેના પરિવારને મળવા પહોંચશે.


અંજુના પાકિસ્તાન પાછળ લોકો લગાવી રહ્યા છે અનેક તર્ક વિતર્ક

આ ઘટના પછી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઘણા લોકો એવું કહે છે કે આ સીમા હૈદરનો બદલો લેવા પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI એ અંજુને ફસાવી? અંજુ પાકિસ્તાન પહોંચી ત્યાર બાદ તેનો વીડિયો લીક થયો હતો. આ વીડિયોમાં તે કહે છે કે તે સીમા હૈદર જેવી નથી. તે માત્ર તેના મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન આવી છે. મુલાકાત બાદ તે પોતાના દેશ ભારત પરત ફરશે. આ વીડિયોમાં તે પાકિસ્તાનમાં તેની હાજરીની પુષ્ટિ કરે છે. આ કામ ISIદ્વારા કરાવવામાં આવ્યું હોવાની આશંકા છે. આ લોકોની કહાની સાંભળીને એવી ફીલ આવે છે કે આ લોકોએ ગદર મૂવીને બહુ ગંભીરતાથી લઈ લીધી છે. અંજુ પાકિસ્તાન ગઈ ફાતિમા બની ગઈ ને પછી  હવે કહે છે કે આ બધી અફવા છે ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.