ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવસ્ટોરીમાં આવ્યો નવો વળાંક! જાણો પોતાના પિતાને શું કહ્યું અંજુએ?


  • Published By :
  • Published Date : 2023-07-29 15:48:02

દેશમાં અત્યારે સૌથી વધારે કોઈ વિષય પર ચર્ચા થઈ રહી હોય તો એ છે  પાકિસ્તાનથી આવેલી સીમાની એને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની. રોજ આ બંને કહાનીમાં અલગ અલગ ટ્વીસ્ટ તેમજ અપડેટ આવતા રહે છે. ત્યારે આજે વાત કરવી છે ભારતથી ગયેલી અંજુની જે પાકિસ્તાનમાં જઈ ફાતિમા બની ગઈ છે. 


પાકિસ્તાન પહોંચ્યા બાદ ફતિમાએ પહેલી વખત કરી પિતા સાથે વાત

પાકિસ્તાનથી સીમા પાર કરી પોતાના પ્રેમીને મળવા સીમા ભારત આવે છે. તો બીજી તરફ ભારતથી અંજુ નામની છોકરી પ્રેમમાં પાગલ થઈ પાકિસ્તાન પહોંચી જાય છે. અંજુએ દીરબાલાના ડિસ્ટ્રિક કોર્ટમાં ઈસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. સાથે જ, સોશિયલ મીડિયા ફ્રેન્ડ નસરૂલ્લાહ સાથે લગ્ન પણ કર્યા છે. આ દરમિયાન નિકાહ નામામાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તે પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ કબૂલ કરી રહી છે. તેના પિતા અને પરિવાર ગ્વાલિયરના ટેકનપુર બૌના ગામમાં રહે છે અને સમગ્ર ઘટના પછી પહેલી વાર તેણે પાકિસ્તાનથી પિતા સાથે વાત કરી છે.


પિતાને કહ્યું લગ્નની વાતો અફવા છે!

પિતાએ વોઇસ મેસેજ કર્યો છે કે- અંજુ મારે તારી સાથે પહેલી અને છેલ્લીવાર વાત કરવી છે. એ મેસેજના રિપ્લાયમાં અંજુએ રડતા ઇમોજીનો સિમ્બોલ મોકલ્યો અને સોરી પપ્પા કહ્યું. વોટ્સએપ પર ચેટ કર્યા બાદ અંજુએ પાકિસ્તાની નંબર પરથી પોતાના પિતાના મોબાઈલ પર કોલ કર્યો. આ પછી તેણે તેના પિતા સાથે વાત કરી. અંજુ ઉર્ફે ફાતિમાના પિતા આ વાતચીત પર કંઈ કહી રહ્યા નથી, પરંતુ જાણવા મળ્યું છે કે અંજુએ તેના લગ્નના સમાચારને અફવા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે એવું કશું જ નથી. હવે આને શું કહેવું એ સમજાતું નથી. પાકિસ્તાન પહોંચ્યા પછી અંજુ કોઈ દબાણમાં છે? ફાતિમા બનવાથી લઈને તેના લગ્નના સમાચાર માત્ર દેખાડો છે.?


20 ઓગસ્ટે ભારત પરત ફરશે અંજુ 

અંજુ 30 દિવસના વિઝા લઈ 21 જુલાઈએ ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. હવે તેણે 20 ઓગસ્ટે ભારત પરત ફરવાનું છે. અંજુના ભારત પરત ફરવા પર, તેણે અહીં મીડિયાની સાથે સુરક્ષા એજન્સીઓના પ્રશ્નોના જવાબ આપવા પડશે. અને તે બાદ તે તેના પરિવારને મળવા પહોંચશે.


અંજુના પાકિસ્તાન પાછળ લોકો લગાવી રહ્યા છે અનેક તર્ક વિતર્ક

આ ઘટના પછી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઘણા લોકો એવું કહે છે કે આ સીમા હૈદરનો બદલો લેવા પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI એ અંજુને ફસાવી? અંજુ પાકિસ્તાન પહોંચી ત્યાર બાદ તેનો વીડિયો લીક થયો હતો. આ વીડિયોમાં તે કહે છે કે તે સીમા હૈદર જેવી નથી. તે માત્ર તેના મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન આવી છે. મુલાકાત બાદ તે પોતાના દેશ ભારત પરત ફરશે. આ વીડિયોમાં તે પાકિસ્તાનમાં તેની હાજરીની પુષ્ટિ કરે છે. આ કામ ISIદ્વારા કરાવવામાં આવ્યું હોવાની આશંકા છે. આ લોકોની કહાની સાંભળીને એવી ફીલ આવે છે કે આ લોકોએ ગદર મૂવીને બહુ ગંભીરતાથી લઈ લીધી છે. અંજુ પાકિસ્તાન ગઈ ફાતિમા બની ગઈ ને પછી  હવે કહે છે કે આ બધી અફવા છે ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.