Gujaratમાં છે શિક્ષકોની ઘટ, TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવા આવી રીતે કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2024-09-04 12:43:29

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે. અનેક શાળાઓના વીડિયો આપણે જોયા છે જેમાં ભણવા માટે બાળકો હોય છે પરંતુ તેમને ભણાવા માટે શિક્ષકો નથી હોતા. અનેક  શાળાઓ એવી છે જ્યાં આખી શાળા માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે.. ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ.. ગીતના માધ્યમથી પોતાની રજૂઆત મૂકી છે.

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

માતા પિતા બાદ બાળકના જીવનમાં કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.  શિક્ષક બાળકને ભણાવી એ કાબિલ બનાવે છે કે તે દુનિયા સાથે હરીફાઈ કરી શકે.. એવો સક્ષમ બનાવે છે કે તે દુનિયાની કોમ્પિટિશનમાં ટકી શકે.. ગુજરાતમાં પણ શિક્ષણ પાછળ કરોડો ખર્ચાય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાંની સ્થિતિ જોઈ દયા આવી જાય.. અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં ગમે ત્યારે ઓરડો તૂટી શકે તેવી હાલત હોય છે. શિક્ષણથી રાજ્ય આગળ વધે તેવું કહીએ છીએ પરંતુ શિક્ષણની પથારી ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


ગીતના માધ્યમથી ટેટ ટાટ પાસ ઉમેદવારે કરી રજૂઆત

રાજ્યમાં શિક્ષકોની કમી છે તે વાત વિધાનસભામાં પણ સ્વીકારવામાં આવી છે.. ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત સરકારને રજૂઆત કરી છે અને પોતાની માગ તેમના સમક્ષ રાખી છે. શિક્ષણ મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધીને શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરી છે.. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને ટેટ ટાટ પાસ ઉમેદવારોએ રજૂઆત કરી છે. ગીતના માધ્યમથી આ વખતે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ત્યારે સરકાર ક્યારે ભરતી કરશે તે જોવાનું રહ્યું.      



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.