Gujaratમાં છે શિક્ષકોની ઘટ, TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવા આવી રીતે કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2024-09-04 12:43:29

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે. અનેક શાળાઓના વીડિયો આપણે જોયા છે જેમાં ભણવા માટે બાળકો હોય છે પરંતુ તેમને ભણાવા માટે શિક્ષકો નથી હોતા. અનેક  શાળાઓ એવી છે જ્યાં આખી શાળા માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે.. ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ.. ગીતના માધ્યમથી પોતાની રજૂઆત મૂકી છે.

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

માતા પિતા બાદ બાળકના જીવનમાં કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.  શિક્ષક બાળકને ભણાવી એ કાબિલ બનાવે છે કે તે દુનિયા સાથે હરીફાઈ કરી શકે.. એવો સક્ષમ બનાવે છે કે તે દુનિયાની કોમ્પિટિશનમાં ટકી શકે.. ગુજરાતમાં પણ શિક્ષણ પાછળ કરોડો ખર્ચાય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાંની સ્થિતિ જોઈ દયા આવી જાય.. અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં ગમે ત્યારે ઓરડો તૂટી શકે તેવી હાલત હોય છે. શિક્ષણથી રાજ્ય આગળ વધે તેવું કહીએ છીએ પરંતુ શિક્ષણની પથારી ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


ગીતના માધ્યમથી ટેટ ટાટ પાસ ઉમેદવારે કરી રજૂઆત

રાજ્યમાં શિક્ષકોની કમી છે તે વાત વિધાનસભામાં પણ સ્વીકારવામાં આવી છે.. ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત સરકારને રજૂઆત કરી છે અને પોતાની માગ તેમના સમક્ષ રાખી છે. શિક્ષણ મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધીને શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરી છે.. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને ટેટ ટાટ પાસ ઉમેદવારોએ રજૂઆત કરી છે. ગીતના માધ્યમથી આ વખતે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ત્યારે સરકાર ક્યારે ભરતી કરશે તે જોવાનું રહ્યું.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.