Gujaratમાં છે શિક્ષકોની ઘટ, TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવા આવી રીતે કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2024-09-04 12:43:29

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે. અનેક શાળાઓના વીડિયો આપણે જોયા છે જેમાં ભણવા માટે બાળકો હોય છે પરંતુ તેમને ભણાવા માટે શિક્ષકો નથી હોતા. અનેક  શાળાઓ એવી છે જ્યાં આખી શાળા માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે.. ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ.. ગીતના માધ્યમથી પોતાની રજૂઆત મૂકી છે.

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ

માતા પિતા બાદ બાળકના જીવનમાં કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.  શિક્ષક બાળકને ભણાવી એ કાબિલ બનાવે છે કે તે દુનિયા સાથે હરીફાઈ કરી શકે.. એવો સક્ષમ બનાવે છે કે તે દુનિયાની કોમ્પિટિશનમાં ટકી શકે.. ગુજરાતમાં પણ શિક્ષણ પાછળ કરોડો ખર્ચાય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાંની સ્થિતિ જોઈ દયા આવી જાય.. અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં ગમે ત્યારે ઓરડો તૂટી શકે તેવી હાલત હોય છે. શિક્ષણથી રાજ્ય આગળ વધે તેવું કહીએ છીએ પરંતુ શિક્ષણની પથારી ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 


ગીતના માધ્યમથી ટેટ ટાટ પાસ ઉમેદવારે કરી રજૂઆત

રાજ્યમાં શિક્ષકોની કમી છે તે વાત વિધાનસભામાં પણ સ્વીકારવામાં આવી છે.. ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત સરકારને રજૂઆત કરી છે અને પોતાની માગ તેમના સમક્ષ રાખી છે. શિક્ષણ મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધીને શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરી છે.. ત્યારે ફરી એક વખત મુખ્યમંત્રીને ટેટ ટાટ પાસ ઉમેદવારોએ રજૂઆત કરી છે. ગીતના માધ્યમથી આ વખતે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ત્યારે સરકાર ક્યારે ભરતી કરશે તે જોવાનું રહ્યું.      



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?