કર્ણાટકથી પાણીપુરીને લઈ એવા સમાચાર સામે આવ્યા જે પાણીપુરી ખાનાર લોકોનું ટેન્શન વધારી શકે છે...!


  • Published By :
  • Published Date : 2024-07-04 18:06:04

"પાણીપુરી" આ શબ્દ સાંભળતાજ આપણને મોમાં પાણી આવી જાય છે. આપણા ભારતમાં આ વાનગી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઓળખાય છે. નવી દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આ ગોલગપા તરીકે ઓળખાય છે જયારે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફૂચકા તરીકે ઓળખાય છે . ઉપરાંત ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્રમાં, અને તમિલનાડુમાં પાણીપુરી તરીકે ઓળખાય છે. આજે પાણીપુરીની વાત એટલા માટે કરવી છે કારણ કે પાણીપુરીમાં કેન્સર જન્ય તત્વો સામે આવ્યા છે જેનાથી ખળભળાટ મચી ગયો છે! 

પાણીપુરી ખાવાથી થઈ શકે છે કેન્સર!

દેશભરમાં આ પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકત્રિત  કર્યા છે અને તેની તપાસ કરી. રિપોર્ટ આવતા  ખબર પડી કે , તેમાં કેન્સર થાય એવા તત્વો હોય છે. સાથે જ આ સેમ્પલમાંથી ૨૨ ટકા પાણીપુરી તો સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારા ધોરણોમાં નિષ્ફળ નીવડી છે. 



ટેસ્ટ માટે પાણીપુરીના સેમ્પલો લેવાયા અને.. 

કર્ણાટકના આ ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા પાણીપુરીના કુલ ૨૬૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.. જેમાં ૪૧ સેમ્પલમાં તો બનાવટી કલર વાપરવામાં આવ્યો હતો. આજ કલરમાંથી , karsinogenik એજન્ટ્સ એટલે કે જે કેન્સર કરી શકે તેવા તત્વો મળી આવ્યા હતા. આ મામલે ફૂડ અને સેફટી કમિશ્નર શ્રીનિવાસન કે એ જણાવ્યું હતું કે , અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ અમે સેમ્પલ ભેગા કર્યા હતા. સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી. આ તારણો બાદ જે લોકો પાણીપુરી નિયમિત રૂપથી ખાય છે, તેમણે ચેતવાની જરૂર છે. પાણી પુરી બનાવામા વપરાતા કેમિકલ કેન્સરને નોતરી શકે છે. 


ખાણી પીણીની વસ્તુઓમાંથી નીકળી રહ્યા છે..  

કર્ણાટક સરકારના ફૂડ સેફટી વિભાગ દ્વારા કેહવામાં આવેલી વાત બાદ સમગ્ર દેશમાં પાણીપુરીના ચાહકોને ઝાટકો લાગ્યો છે. તો બીજી તરફ ખાણીપીણીની વાનગીઓમાં એમાં પણ તૈયાર ફૂડ પેકેટ્સમાં તો દેડકો, કાનખજુરો, અને મરેલી ગરોળી વંદો નીકળવાની ઘટના બની રહી છે. એટલે બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.