કર્ણાટકથી પાણીપુરીને લઈ એવા સમાચાર સામે આવ્યા જે પાણીપુરી ખાનાર લોકોનું ટેન્શન વધારી શકે છે...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-04 18:06:04

"પાણીપુરી" આ શબ્દ સાંભળતાજ આપણને મોમાં પાણી આવી જાય છે. આપણા ભારતમાં આ વાનગી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઓળખાય છે. નવી દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આ ગોલગપા તરીકે ઓળખાય છે જયારે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફૂચકા તરીકે ઓળખાય છે . ઉપરાંત ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્રમાં, અને તમિલનાડુમાં પાણીપુરી તરીકે ઓળખાય છે. આજે પાણીપુરીની વાત એટલા માટે કરવી છે કારણ કે પાણીપુરીમાં કેન્સર જન્ય તત્વો સામે આવ્યા છે જેનાથી ખળભળાટ મચી ગયો છે! 

પાણીપુરી ખાવાથી થઈ શકે છે કેન્સર!

દેશભરમાં આ પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકત્રિત  કર્યા છે અને તેની તપાસ કરી. રિપોર્ટ આવતા  ખબર પડી કે , તેમાં કેન્સર થાય એવા તત્વો હોય છે. સાથે જ આ સેમ્પલમાંથી ૨૨ ટકા પાણીપુરી તો સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારા ધોરણોમાં નિષ્ફળ નીવડી છે. 



ટેસ્ટ માટે પાણીપુરીના સેમ્પલો લેવાયા અને.. 

કર્ણાટકના આ ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા પાણીપુરીના કુલ ૨૬૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.. જેમાં ૪૧ સેમ્પલમાં તો બનાવટી કલર વાપરવામાં આવ્યો હતો. આજ કલરમાંથી , karsinogenik એજન્ટ્સ એટલે કે જે કેન્સર કરી શકે તેવા તત્વો મળી આવ્યા હતા. આ મામલે ફૂડ અને સેફટી કમિશ્નર શ્રીનિવાસન કે એ જણાવ્યું હતું કે , અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ અમે સેમ્પલ ભેગા કર્યા હતા. સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી. આ તારણો બાદ જે લોકો પાણીપુરી નિયમિત રૂપથી ખાય છે, તેમણે ચેતવાની જરૂર છે. પાણી પુરી બનાવામા વપરાતા કેમિકલ કેન્સરને નોતરી શકે છે. 


ખાણી પીણીની વસ્તુઓમાંથી નીકળી રહ્યા છે..  

કર્ણાટક સરકારના ફૂડ સેફટી વિભાગ દ્વારા કેહવામાં આવેલી વાત બાદ સમગ્ર દેશમાં પાણીપુરીના ચાહકોને ઝાટકો લાગ્યો છે. તો બીજી તરફ ખાણીપીણીની વાનગીઓમાં એમાં પણ તૈયાર ફૂડ પેકેટ્સમાં તો દેડકો, કાનખજુરો, અને મરેલી ગરોળી વંદો નીકળવાની ઘટના બની રહી છે. એટલે બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.