કર્ણાટકથી પાણીપુરીને લઈ એવા સમાચાર સામે આવ્યા જે પાણીપુરી ખાનાર લોકોનું ટેન્શન વધારી શકે છે...!


  • Published By :
  • Published Date : 2024-07-04 18:06:04

"પાણીપુરી" આ શબ્દ સાંભળતાજ આપણને મોમાં પાણી આવી જાય છે. આપણા ભારતમાં આ વાનગી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઓળખાય છે. નવી દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આ ગોલગપા તરીકે ઓળખાય છે જયારે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફૂચકા તરીકે ઓળખાય છે . ઉપરાંત ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્રમાં, અને તમિલનાડુમાં પાણીપુરી તરીકે ઓળખાય છે. આજે પાણીપુરીની વાત એટલા માટે કરવી છે કારણ કે પાણીપુરીમાં કેન્સર જન્ય તત્વો સામે આવ્યા છે જેનાથી ખળભળાટ મચી ગયો છે! 

પાણીપુરી ખાવાથી થઈ શકે છે કેન્સર!

દેશભરમાં આ પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકત્રિત  કર્યા છે અને તેની તપાસ કરી. રિપોર્ટ આવતા  ખબર પડી કે , તેમાં કેન્સર થાય એવા તત્વો હોય છે. સાથે જ આ સેમ્પલમાંથી ૨૨ ટકા પાણીપુરી તો સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારા ધોરણોમાં નિષ્ફળ નીવડી છે. 



ટેસ્ટ માટે પાણીપુરીના સેમ્પલો લેવાયા અને.. 

કર્ણાટકના આ ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા પાણીપુરીના કુલ ૨૬૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.. જેમાં ૪૧ સેમ્પલમાં તો બનાવટી કલર વાપરવામાં આવ્યો હતો. આજ કલરમાંથી , karsinogenik એજન્ટ્સ એટલે કે જે કેન્સર કરી શકે તેવા તત્વો મળી આવ્યા હતા. આ મામલે ફૂડ અને સેફટી કમિશ્નર શ્રીનિવાસન કે એ જણાવ્યું હતું કે , અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ અમે સેમ્પલ ભેગા કર્યા હતા. સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી. આ તારણો બાદ જે લોકો પાણીપુરી નિયમિત રૂપથી ખાય છે, તેમણે ચેતવાની જરૂર છે. પાણી પુરી બનાવામા વપરાતા કેમિકલ કેન્સરને નોતરી શકે છે. 


ખાણી પીણીની વસ્તુઓમાંથી નીકળી રહ્યા છે..  

કર્ણાટક સરકારના ફૂડ સેફટી વિભાગ દ્વારા કેહવામાં આવેલી વાત બાદ સમગ્ર દેશમાં પાણીપુરીના ચાહકોને ઝાટકો લાગ્યો છે. તો બીજી તરફ ખાણીપીણીની વાનગીઓમાં એમાં પણ તૈયાર ફૂડ પેકેટ્સમાં તો દેડકો, કાનખજુરો, અને મરેલી ગરોળી વંદો નીકળવાની ઘટના બની રહી છે. એટલે બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .