Gujaratમાં અનેક બેઠકો માટે AAP-Congress વચ્ચે થઈ શકે છે ગઠબંધન, જાણો કઈ બેઠકો માટે ચાલી રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-03-20 12:40:07

લોકસભા ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બે બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું હતું ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બાકી અનેક બેઠકો માટે પણ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થવાની શક્યતા છે. મહત્વનું છે કે ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. આગામી બે દિવસો દરમિયાાન આ અંગેની ચર્ચા થઈ શકે છે. ઉપરાંત એવા પણ સમાચાર આવ્યા છે કે પેટા ચૂંટણી માટે પણ બંને પક્ષ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.          


આ બેઠકો માટે થઈ શકે છે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન! 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતારી દીધા છે. ભરૂચ તેમજ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. 24 બેઠકોમાંથી કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દીધા હતા પરંતુ એક ઉમેદવારે પોતાની ઉમેદવારી અંગત કારણોસર પરત ખેંચી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે બાકીની અનેક બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. હમણાં માત્ર આ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે ગઠબંધન થઈ શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.