Gujaratમાં અનેક બેઠકો માટે AAP-Congress વચ્ચે થઈ શકે છે ગઠબંધન, જાણો કઈ બેઠકો માટે ચાલી રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-03-20 12:40:07

લોકસભા ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બે બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું હતું ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બાકી અનેક બેઠકો માટે પણ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થવાની શક્યતા છે. મહત્વનું છે કે ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. આગામી બે દિવસો દરમિયાાન આ અંગેની ચર્ચા થઈ શકે છે. ઉપરાંત એવા પણ સમાચાર આવ્યા છે કે પેટા ચૂંટણી માટે પણ બંને પક્ષ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.          


આ બેઠકો માટે થઈ શકે છે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન! 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતારી દીધા છે. ભરૂચ તેમજ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. 24 બેઠકોમાંથી કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દીધા હતા પરંતુ એક ઉમેદવારે પોતાની ઉમેદવારી અંગત કારણોસર પરત ખેંચી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે બાકીની અનેક બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. હમણાં માત્ર આ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે ગઠબંધન થઈ શકે છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી