Gujaratમાં અનેક બેઠકો માટે AAP-Congress વચ્ચે થઈ શકે છે ગઠબંધન, જાણો કઈ બેઠકો માટે ચાલી રહી છે ચર્ચા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-20 12:40:07

લોકસભા ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બે બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું હતું ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બાકી અનેક બેઠકો માટે પણ બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થવાની શક્યતા છે. મહત્વનું છે કે ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. આગામી બે દિવસો દરમિયાાન આ અંગેની ચર્ચા થઈ શકે છે. ઉપરાંત એવા પણ સમાચાર આવ્યા છે કે પેટા ચૂંટણી માટે પણ બંને પક્ષ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.          


આ બેઠકો માટે થઈ શકે છે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન! 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતારી દીધા છે. ભરૂચ તેમજ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. 24 બેઠકોમાંથી કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરી દીધા હતા પરંતુ એક ઉમેદવારે પોતાની ઉમેદવારી અંગત કારણોસર પરત ખેંચી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે બાકીની અનેક બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. હમણાં માત્ર આ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. સુરત, દાહોદ તેમજ જૂનાગઢ બેઠક માટે ગઠબંધન થઈ શકે છે. 



ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ હોય તેવું દેખાઈ આવે છે.. ચૂંટણી પુરી થઈ, પરિણામો આવવાના બાકી છે, ભાજપને 25 જીતવાનો ભરોસો છે તો કૉંગ્રેસને 2009ની જેમ 7-8 લોકસભા સીટો જીતવાનો ચાન્સ લાગે છે, પણ ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપમાં જબરદસ્ત ભડકો જોવા મળી રહ્યો છે.

દાહોદ લોકસભા બેઠકના પરથમપુરના બુથ નંબર 220થી એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિે બૂથ કેપ્ચર કર્યું. સાથે સાથે ઈન્સ્ટા લાઈવ પણ કર્યું.. વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે.

ઈફ્કોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની જીત થઈ હતી ત્યારે હવે ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે.. સતત બીજી વખત ચેરમેન તરીકે તેમની નિયુક્તિ થઈ છે. સાથે સાથે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો છે.