Tunnelમાંથી બહાર આવતા સાથે છવાયો ખુશીનો માહોલ, પરિવારે મીઠાઈ વહેંચી તો NDRFની ટીમે પણ કરી ઉજવણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-29 11:30:25

આપણે તો દિવાળી મનાવી દીધી પરંતુ તે પરિવારના સભ્યો હવે દિવાળી મનાવી રહ્યા છે જેમના પરિવારના સભ્યો ઉત્તરકાશીના ટનલમાં ફસાયા હતા. દિવાળી પહેલા ઉત્તરકાશીમાં ટનલ તૂટવાની એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 41 શ્રમિકોના જીવ જોખમમાં મૂકાયા હતા. 17 દિવસથી તે શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અથાગ પરિશ્રમ કરવામાં આવ્યો. ગઈકાલે ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જેમના પરિવારના સભ્યો પાછા આવ્યા છે તેમના ચહેરા પર ખુશી હતી પરંતુ તે સિવાય પણ અનેકના ચહેરા પર ખુશી છલકાઈ હતી. અલગ અલગ જગ્યાઓથી આવેલા શ્રમિકો તે ટનલની અંદર ફસાયા હતા. ત્યારે હમણાં તે સ્થળ પર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 

ક્યાંક મીઠાઈ વહેંચાઈ તો ક્યાંક ફટાકડા ફોડાયા! 

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ ગઈકાલે કરવામાં આવ્યું. એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે કોઈ પણ ક્ષણે શ્રમિકો ટનલની બહાર આવી શકે છે. દરેકની નજર ત્યાં હતી એ દ્રશ્યોને જોવા જ્યારે તે શ્રમિકો ત્યાં આવે. ભાવુક કરી દે તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી. પરિવારના સભ્યોની આંખોમાં હરખના આંસુ હતા કે તેમના પરિવારનો  સભ્ય પાછો આવ્યો. જે પરિવારના શ્રમિકો ફસાયા હતા ત્યાં આસપાસ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. ક્યાંક ફટાકડા ફોડવામાં આવ્યા તો ક્યાંક દીવા પ્રજવલિત કરવામાં આવ્યા. 


એનડીઆરએફની ટીમે કર્યું સેલિબ્રેશન 

મહત્વનું છે કે આખા ઘટનાક્રમ દરમિયાન આપણે કદાચ એ લોકોને એ ટીમને ભૂલી ગયા છે આ કાર્યને પૂર્ણ કરવા માટે તડામાર મહેનત કરી રહ્યા હતા. એનડીઆરએફની ટીમ , સેનાના જવાનો સહિત અલગ અલગ ટીમો ત્યાં હાજર હતી જે આ ઓપરેશનને સફળ બનાવવામાં મદદરૂપ બન્યા છે. તે લોકોને પણ આપણે શુભકામના આપીએ જેમણે દિવસ રાત મહેનત કરીને શ્રમિકોને બહાર કાઢ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એનડીઆરએફની ટીમ સાથે પણ વાત કરી હતી. જ્યારે આ ઓપરેશન પૂર્ણ થયું તે બાદ એનડીઆરએફની ટીમે સેલિબ્રેટ પણ કર્યું હતું.

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.