Tunnelમાંથી બહાર આવતા સાથે છવાયો ખુશીનો માહોલ, પરિવારે મીઠાઈ વહેંચી તો NDRFની ટીમે પણ કરી ઉજવણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-29 11:30:25

આપણે તો દિવાળી મનાવી દીધી પરંતુ તે પરિવારના સભ્યો હવે દિવાળી મનાવી રહ્યા છે જેમના પરિવારના સભ્યો ઉત્તરકાશીના ટનલમાં ફસાયા હતા. દિવાળી પહેલા ઉત્તરકાશીમાં ટનલ તૂટવાની એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 41 શ્રમિકોના જીવ જોખમમાં મૂકાયા હતા. 17 દિવસથી તે શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અથાગ પરિશ્રમ કરવામાં આવ્યો. ગઈકાલે ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જેમના પરિવારના સભ્યો પાછા આવ્યા છે તેમના ચહેરા પર ખુશી હતી પરંતુ તે સિવાય પણ અનેકના ચહેરા પર ખુશી છલકાઈ હતી. અલગ અલગ જગ્યાઓથી આવેલા શ્રમિકો તે ટનલની અંદર ફસાયા હતા. ત્યારે હમણાં તે સ્થળ પર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 

ક્યાંક મીઠાઈ વહેંચાઈ તો ક્યાંક ફટાકડા ફોડાયા! 

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ ગઈકાલે કરવામાં આવ્યું. એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે કોઈ પણ ક્ષણે શ્રમિકો ટનલની બહાર આવી શકે છે. દરેકની નજર ત્યાં હતી એ દ્રશ્યોને જોવા જ્યારે તે શ્રમિકો ત્યાં આવે. ભાવુક કરી દે તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી. પરિવારના સભ્યોની આંખોમાં હરખના આંસુ હતા કે તેમના પરિવારનો  સભ્ય પાછો આવ્યો. જે પરિવારના શ્રમિકો ફસાયા હતા ત્યાં આસપાસ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. ક્યાંક ફટાકડા ફોડવામાં આવ્યા તો ક્યાંક દીવા પ્રજવલિત કરવામાં આવ્યા. 


એનડીઆરએફની ટીમે કર્યું સેલિબ્રેશન 

મહત્વનું છે કે આખા ઘટનાક્રમ દરમિયાન આપણે કદાચ એ લોકોને એ ટીમને ભૂલી ગયા છે આ કાર્યને પૂર્ણ કરવા માટે તડામાર મહેનત કરી રહ્યા હતા. એનડીઆરએફની ટીમ , સેનાના જવાનો સહિત અલગ અલગ ટીમો ત્યાં હાજર હતી જે આ ઓપરેશનને સફળ બનાવવામાં મદદરૂપ બન્યા છે. તે લોકોને પણ આપણે શુભકામના આપીએ જેમણે દિવસ રાત મહેનત કરીને શ્રમિકોને બહાર કાઢ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એનડીઆરએફની ટીમ સાથે પણ વાત કરી હતી. જ્યારે આ ઓપરેશન પૂર્ણ થયું તે બાદ એનડીઆરએફની ટીમે સેલિબ્રેટ પણ કર્યું હતું.

  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.