મણિપુર મુદ્દે સંસદમાં થયો હોબાળો, સ્મૃતિ ઈરાનીએ સંસદમાં ઉઠાવ્યા એવા મુદ્દા જેને સાંભળી તમે કહેશો...


  • Published By :
  • Published Date : 2023-07-27 10:40:10

મણિપુરમાં ચાલી રહેલી હિંસાની આગ સંસદ સુધી પહોંચી છે. જ્યારે જ્યારે સંસદમાં મણિપુરની ચર્ચા ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. પીએમ મોદી મણિપુરમાં થઈ રહેલી હિંસાને લઈ કોઈ એક્શન લે, કોઈ પ્રતિક્રિયા આપે તે માટે વિપક્ષ માગ કરી રહ્યું છે. મહિલાઓનો જે વીડિયો વાયરલ થયો હતો તે અંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અધિકારી એટલે કે સ્મૃતિ ઈરાની કોઈ પ્રતિક્રિયા આપે તે માટે માગ ઉઠી હતી. ત્યારે ગઈકાલે સ્મૃતિ ઈરાનીએ સંસદમાં મણિપુરને લઈ નિવદેન આપ્યું છે. પરંતુ તેમના નિવેદનમાં મણિપુરમાં થઈ રહેલી હિંસાની ચર્ચા ઓછી પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યો પર વધારે તેમનું ફોકસ હતું. 

સ્મૃતિ ઈરાનીએ વિપક્ષને લીધું આડેહાથ  

સંસદમાં મણિપુરના મુદ્દા પર રોજ હોબાળો થાય છે. ગઈકાલે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સંસદમાં જબરદસ્ત ભડક્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિકે સ્મૃતિ ઈરાનીને પૂછ્યું કે તે અને તેમના કેબિનેટ સાથી મણિપુરના મુદ્દા પર ક્યારે બોલશે? જવાબ આપવાની બદલીમાં કેન્દ્રીય મંત્રી ગુસ્સે થઈ ગયા અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મણિપુર હિંસાના તથ્યો છુપાવી રહી છે. અને રાહુલ ગાંધીએ મણિપુરમાં આગ લાગાવી છે. એટલું જ નહીં સ્મૃતિ ઈરાની આ મુદ્દે ગુસ્સે થયા અને વિપક્ષને જ સવાલ કરવા લાગ્યા કે તમારામાં છત્તીસગઢ પર ચર્ચા કરવાની હિંમત ક્યારે થશે? બિહારમાં શું થઈ રહ્યું છે તેની ચર્ચા કરવાની હિંમત ક્યારે થશે? કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ પર કેવી રીતે બળાત્કાર થાય છે તે કહેવાની હિંમત ક્યારે થશે?  


રાજનીતિથી પર થઈ  નેતાઓએ વિચારવું પડશે

એટલું  જ નહીં નાણાંમંત્રી નિર્મલા સિતારમણ પણ એક શબ્દને લઈને ભડક્યા હતા. વિપક્ષએ ધોકેબાજ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેના પર મંત્રી ભડક્યા અને વિપક્ષને આડે હાથ લીધા હતા. મહત્વનું છે કે કેન્દ્રીય નેતાઓએ ન ભૂલવું જોઈએ કે  કેન્દ્રમાં તેમની સરકાર છે. કયા રાજ્યમાં કઈ સરકાર છે તે ભૂલીને સત્તા પક્ષ ક્યારે ઉપર ઉઠશે? હિંસામાં જે મરી રહ્યા છે તે દેશના નાગરિકો છે એવું યાદ રાખવું જોઈએ.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.