મણિપુર મુદ્દે સંસદમાં થયો હોબાળો, સ્મૃતિ ઈરાનીએ સંસદમાં ઉઠાવ્યા એવા મુદ્દા જેને સાંભળી તમે કહેશો...


  • Published By :
  • Published Date : 2023-07-27 10:40:10

મણિપુરમાં ચાલી રહેલી હિંસાની આગ સંસદ સુધી પહોંચી છે. જ્યારે જ્યારે સંસદમાં મણિપુરની ચર્ચા ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. પીએમ મોદી મણિપુરમાં થઈ રહેલી હિંસાને લઈ કોઈ એક્શન લે, કોઈ પ્રતિક્રિયા આપે તે માટે વિપક્ષ માગ કરી રહ્યું છે. મહિલાઓનો જે વીડિયો વાયરલ થયો હતો તે અંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અધિકારી એટલે કે સ્મૃતિ ઈરાની કોઈ પ્રતિક્રિયા આપે તે માટે માગ ઉઠી હતી. ત્યારે ગઈકાલે સ્મૃતિ ઈરાનીએ સંસદમાં મણિપુરને લઈ નિવદેન આપ્યું છે. પરંતુ તેમના નિવેદનમાં મણિપુરમાં થઈ રહેલી હિંસાની ચર્ચા ઓછી પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યો પર વધારે તેમનું ફોકસ હતું. 

સ્મૃતિ ઈરાનીએ વિપક્ષને લીધું આડેહાથ  

સંસદમાં મણિપુરના મુદ્દા પર રોજ હોબાળો થાય છે. ગઈકાલે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સંસદમાં જબરદસ્ત ભડક્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિકે સ્મૃતિ ઈરાનીને પૂછ્યું કે તે અને તેમના કેબિનેટ સાથી મણિપુરના મુદ્દા પર ક્યારે બોલશે? જવાબ આપવાની બદલીમાં કેન્દ્રીય મંત્રી ગુસ્સે થઈ ગયા અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મણિપુર હિંસાના તથ્યો છુપાવી રહી છે. અને રાહુલ ગાંધીએ મણિપુરમાં આગ લાગાવી છે. એટલું જ નહીં સ્મૃતિ ઈરાની આ મુદ્દે ગુસ્સે થયા અને વિપક્ષને જ સવાલ કરવા લાગ્યા કે તમારામાં છત્તીસગઢ પર ચર્ચા કરવાની હિંમત ક્યારે થશે? બિહારમાં શું થઈ રહ્યું છે તેની ચર્ચા કરવાની હિંમત ક્યારે થશે? કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ પર કેવી રીતે બળાત્કાર થાય છે તે કહેવાની હિંમત ક્યારે થશે?  


રાજનીતિથી પર થઈ  નેતાઓએ વિચારવું પડશે

એટલું  જ નહીં નાણાંમંત્રી નિર્મલા સિતારમણ પણ એક શબ્દને લઈને ભડક્યા હતા. વિપક્ષએ ધોકેબાજ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેના પર મંત્રી ભડક્યા અને વિપક્ષને આડે હાથ લીધા હતા. મહત્વનું છે કે કેન્દ્રીય નેતાઓએ ન ભૂલવું જોઈએ કે  કેન્દ્રમાં તેમની સરકાર છે. કયા રાજ્યમાં કઈ સરકાર છે તે ભૂલીને સત્તા પક્ષ ક્યારે ઉપર ઉઠશે? હિંસામાં જે મરી રહ્યા છે તે દેશના નાગરિકો છે એવું યાદ રાખવું જોઈએ.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.