મણિપુર મુદ્દે સંસદમાં થયો હોબાળો, સ્મૃતિ ઈરાનીએ સંસદમાં ઉઠાવ્યા એવા મુદ્દા જેને સાંભળી તમે કહેશો...


  • Published By :
  • Published Date : 2023-07-27 10:40:10

મણિપુરમાં ચાલી રહેલી હિંસાની આગ સંસદ સુધી પહોંચી છે. જ્યારે જ્યારે સંસદમાં મણિપુરની ચર્ચા ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. પીએમ મોદી મણિપુરમાં થઈ રહેલી હિંસાને લઈ કોઈ એક્શન લે, કોઈ પ્રતિક્રિયા આપે તે માટે વિપક્ષ માગ કરી રહ્યું છે. મહિલાઓનો જે વીડિયો વાયરલ થયો હતો તે અંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અધિકારી એટલે કે સ્મૃતિ ઈરાની કોઈ પ્રતિક્રિયા આપે તે માટે માગ ઉઠી હતી. ત્યારે ગઈકાલે સ્મૃતિ ઈરાનીએ સંસદમાં મણિપુરને લઈ નિવદેન આપ્યું છે. પરંતુ તેમના નિવેદનમાં મણિપુરમાં થઈ રહેલી હિંસાની ચર્ચા ઓછી પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યો પર વધારે તેમનું ફોકસ હતું. 

સ્મૃતિ ઈરાનીએ વિપક્ષને લીધું આડેહાથ  

સંસદમાં મણિપુરના મુદ્દા પર રોજ હોબાળો થાય છે. ગઈકાલે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સંસદમાં જબરદસ્ત ભડક્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિકે સ્મૃતિ ઈરાનીને પૂછ્યું કે તે અને તેમના કેબિનેટ સાથી મણિપુરના મુદ્દા પર ક્યારે બોલશે? જવાબ આપવાની બદલીમાં કેન્દ્રીય મંત્રી ગુસ્સે થઈ ગયા અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મણિપુર હિંસાના તથ્યો છુપાવી રહી છે. અને રાહુલ ગાંધીએ મણિપુરમાં આગ લાગાવી છે. એટલું જ નહીં સ્મૃતિ ઈરાની આ મુદ્દે ગુસ્સે થયા અને વિપક્ષને જ સવાલ કરવા લાગ્યા કે તમારામાં છત્તીસગઢ પર ચર્ચા કરવાની હિંમત ક્યારે થશે? બિહારમાં શું થઈ રહ્યું છે તેની ચર્ચા કરવાની હિંમત ક્યારે થશે? કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ પર કેવી રીતે બળાત્કાર થાય છે તે કહેવાની હિંમત ક્યારે થશે?  


રાજનીતિથી પર થઈ  નેતાઓએ વિચારવું પડશે

એટલું  જ નહીં નાણાંમંત્રી નિર્મલા સિતારમણ પણ એક શબ્દને લઈને ભડક્યા હતા. વિપક્ષએ ધોકેબાજ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેના પર મંત્રી ભડક્યા અને વિપક્ષને આડે હાથ લીધા હતા. મહત્વનું છે કે કેન્દ્રીય નેતાઓએ ન ભૂલવું જોઈએ કે  કેન્દ્રમાં તેમની સરકાર છે. કયા રાજ્યમાં કઈ સરકાર છે તે ભૂલીને સત્તા પક્ષ ક્યારે ઉપર ઉઠશે? હિંસામાં જે મરી રહ્યા છે તે દેશના નાગરિકો છે એવું યાદ રાખવું જોઈએ.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .