સિદ્ધપુરમાં ચાર દિવસથી ન હોતું આવતું પાણી.. ખોદકામ કર્યું તો લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-16 17:09:40

છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે હચમચાવી દેતી હોય છે. યુવતીઓની લાશ અનેક જગ્યાઓ પરથી મળી રહી છે. ત્યારે સોલંકી વંશના શૌર્યની ભૂમિ પાટણના સિદ્ધપુરથી સમાચાર આવ્યા કે શહેરની ઉપસલી શેરી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી છે. જે ગુજરાતને સ્ત્રીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. ભાગ્યે જ સ્ત્રીઓ સાથે ગંભીર ગુના થાય છે તેવી ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની એક છબી છે તે છબી પર છાંટા ઉડે તેવા આ સમાચાર છે. 


પાણીની પાઈપ લાઈનમાંથી મળી યુવતીની લાશ!

સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં ચાર દિવસથી પાણી નહોતું આવતું. પાણી નહોતું આવતું તો ત્યાના સ્થાનિક લોકોએ સિદ્ધપુર નગરપાલિકાને જાણ કરી હતી કે પાણી કેમ નથી આવી રહ્યું આનું કંઈક સોલ્યુશન લાવો... તો નગરપાલિકાએ ટીમ મોકલાવી હતી અને પાઈપલાઈનમાં ખોદકામ કરાવ્યું હતું. નગરપાલિકાની ટીમને કારણ શોધવું હતું કે પાણી શા માટે નથી આવી રહ્યું પણ જે નજર સામે આવ્યું તે ચોંકાવી દે તેવું હતું... ખોદકામમાં પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ વાતની જાણ થતાં આખી સોસાયટી ચોંકી ગઈ હતી કે આવું કેવી રીતે થઈ ગયું. 


મૃતદેહ પાઈપ લાઈનમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે થઈ રહી છે તપાસ!

લાશ મળી આવતા સિદ્ધપુર નગરપાલિકાએ પોલીસને ધ્યાન દોર્યું હતું. સિદ્ધપુર પોલીસ ઉપલી શેરી વિસ્તારમાં દોડી આવી હતી. હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યો છે અને પોલીસ શોધ કરી રહી છે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં કેવી રીતે પહોંચી.  તપાસ બાદ જ કારણ સામે આવશે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં પહોંચી કેવી રીતે?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.