સિદ્ધપુરમાં ચાર દિવસથી ન હોતું આવતું પાણી.. ખોદકામ કર્યું તો લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-16 17:09:40

છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે હચમચાવી દેતી હોય છે. યુવતીઓની લાશ અનેક જગ્યાઓ પરથી મળી રહી છે. ત્યારે સોલંકી વંશના શૌર્યની ભૂમિ પાટણના સિદ્ધપુરથી સમાચાર આવ્યા કે શહેરની ઉપસલી શેરી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી છે. જે ગુજરાતને સ્ત્રીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. ભાગ્યે જ સ્ત્રીઓ સાથે ગંભીર ગુના થાય છે તેવી ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની એક છબી છે તે છબી પર છાંટા ઉડે તેવા આ સમાચાર છે. 


પાણીની પાઈપ લાઈનમાંથી મળી યુવતીની લાશ!

સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં ચાર દિવસથી પાણી નહોતું આવતું. પાણી નહોતું આવતું તો ત્યાના સ્થાનિક લોકોએ સિદ્ધપુર નગરપાલિકાને જાણ કરી હતી કે પાણી કેમ નથી આવી રહ્યું આનું કંઈક સોલ્યુશન લાવો... તો નગરપાલિકાએ ટીમ મોકલાવી હતી અને પાઈપલાઈનમાં ખોદકામ કરાવ્યું હતું. નગરપાલિકાની ટીમને કારણ શોધવું હતું કે પાણી શા માટે નથી આવી રહ્યું પણ જે નજર સામે આવ્યું તે ચોંકાવી દે તેવું હતું... ખોદકામમાં પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ વાતની જાણ થતાં આખી સોસાયટી ચોંકી ગઈ હતી કે આવું કેવી રીતે થઈ ગયું. 


મૃતદેહ પાઈપ લાઈનમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે થઈ રહી છે તપાસ!

લાશ મળી આવતા સિદ્ધપુર નગરપાલિકાએ પોલીસને ધ્યાન દોર્યું હતું. સિદ્ધપુર પોલીસ ઉપલી શેરી વિસ્તારમાં દોડી આવી હતી. હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યો છે અને પોલીસ શોધ કરી રહી છે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં કેવી રીતે પહોંચી.  તપાસ બાદ જ કારણ સામે આવશે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં પહોંચી કેવી રીતે?



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.