સિદ્ધપુરમાં ચાર દિવસથી ન હોતું આવતું પાણી.. ખોદકામ કર્યું તો લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-16 17:09:40

છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે હચમચાવી દેતી હોય છે. યુવતીઓની લાશ અનેક જગ્યાઓ પરથી મળી રહી છે. ત્યારે સોલંકી વંશના શૌર્યની ભૂમિ પાટણના સિદ્ધપુરથી સમાચાર આવ્યા કે શહેરની ઉપસલી શેરી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી છે. જે ગુજરાતને સ્ત્રીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. ભાગ્યે જ સ્ત્રીઓ સાથે ગંભીર ગુના થાય છે તેવી ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની એક છબી છે તે છબી પર છાંટા ઉડે તેવા આ સમાચાર છે. 


પાણીની પાઈપ લાઈનમાંથી મળી યુવતીની લાશ!

સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં ચાર દિવસથી પાણી નહોતું આવતું. પાણી નહોતું આવતું તો ત્યાના સ્થાનિક લોકોએ સિદ્ધપુર નગરપાલિકાને જાણ કરી હતી કે પાણી કેમ નથી આવી રહ્યું આનું કંઈક સોલ્યુશન લાવો... તો નગરપાલિકાએ ટીમ મોકલાવી હતી અને પાઈપલાઈનમાં ખોદકામ કરાવ્યું હતું. નગરપાલિકાની ટીમને કારણ શોધવું હતું કે પાણી શા માટે નથી આવી રહ્યું પણ જે નજર સામે આવ્યું તે ચોંકાવી દે તેવું હતું... ખોદકામમાં પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ વાતની જાણ થતાં આખી સોસાયટી ચોંકી ગઈ હતી કે આવું કેવી રીતે થઈ ગયું. 


મૃતદેહ પાઈપ લાઈનમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે થઈ રહી છે તપાસ!

લાશ મળી આવતા સિદ્ધપુર નગરપાલિકાએ પોલીસને ધ્યાન દોર્યું હતું. સિદ્ધપુર પોલીસ ઉપલી શેરી વિસ્તારમાં દોડી આવી હતી. હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યો છે અને પોલીસ શોધ કરી રહી છે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં કેવી રીતે પહોંચી.  તપાસ બાદ જ કારણ સામે આવશે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં પહોંચી કેવી રીતે?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.