સિદ્ધપુરમાં ચાર દિવસથી ન હોતું આવતું પાણી.. ખોદકામ કર્યું તો લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-16 17:09:40

છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે હચમચાવી દેતી હોય છે. યુવતીઓની લાશ અનેક જગ્યાઓ પરથી મળી રહી છે. ત્યારે સોલંકી વંશના શૌર્યની ભૂમિ પાટણના સિદ્ધપુરથી સમાચાર આવ્યા કે શહેરની ઉપસલી શેરી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી છે. જે ગુજરાતને સ્ત્રીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. ભાગ્યે જ સ્ત્રીઓ સાથે ગંભીર ગુના થાય છે તેવી ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની એક છબી છે તે છબી પર છાંટા ઉડે તેવા આ સમાચાર છે. 


પાણીની પાઈપ લાઈનમાંથી મળી યુવતીની લાશ!

સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં ચાર દિવસથી પાણી નહોતું આવતું. પાણી નહોતું આવતું તો ત્યાના સ્થાનિક લોકોએ સિદ્ધપુર નગરપાલિકાને જાણ કરી હતી કે પાણી કેમ નથી આવી રહ્યું આનું કંઈક સોલ્યુશન લાવો... તો નગરપાલિકાએ ટીમ મોકલાવી હતી અને પાઈપલાઈનમાં ખોદકામ કરાવ્યું હતું. નગરપાલિકાની ટીમને કારણ શોધવું હતું કે પાણી શા માટે નથી આવી રહ્યું પણ જે નજર સામે આવ્યું તે ચોંકાવી દે તેવું હતું... ખોદકામમાં પાઈપલાઈનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આ વાતની જાણ થતાં આખી સોસાયટી ચોંકી ગઈ હતી કે આવું કેવી રીતે થઈ ગયું. 


મૃતદેહ પાઈપ લાઈનમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે થઈ રહી છે તપાસ!

લાશ મળી આવતા સિદ્ધપુર નગરપાલિકાએ પોલીસને ધ્યાન દોર્યું હતું. સિદ્ધપુર પોલીસ ઉપલી શેરી વિસ્તારમાં દોડી આવી હતી. હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યો છે અને પોલીસ શોધ કરી રહી છે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં કેવી રીતે પહોંચી.  તપાસ બાદ જ કારણ સામે આવશે કે મહિલાની લાશ પાણીની પાઈપલાઈનમાં પહોંચી કેવી રીતે?



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે