Franceમાં Prime Minister માટેની ચૂંટણીઓ માટે ત્રિશંકુ પરિણામો આવ્યા! ફ્રાન્સના ચૂંટણી પરિણામોથી જમણેરી રાજકારણનો પ્રભાવ વધ્યો?


  • Published By :
  • Published Date : 2024-07-09 18:50:28

યુરોપના બીજા સૌથી મોટા અર્થતંત્ર એટલે કે ફ્રાન્સમાં આ વખતે ઓલ્મપિક ગેમનું આયોજન થવાનું છે.. ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ ઇમાનુયલ મેકરોને ખુબ વહેલા વડાપ્રધાન પદ માટે ઇલેકશન કરાવડાવ્યા, પરિણામ આવ્યા ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં કુલ ૫૭૭ બેઠકો છે જેમાંથી Immanual મેક્રોનની પાર્ટી ENSEMBLEને ૧૬૧ , કે જે સેન્ટ્રિસ્ટ પાર્ટી છે, ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ડાબેરી પાર્ટીઓનું ગઠબંધન છે તેમને ૧૮૮ સીટ મળી.. જ્યારે જમણેરી રાષ્ટ્રવાદી પાર્ટી નેશનલ રેલી અલીયન્સને ૧૪૨ બેઠકો પ્રાપ્ત થઈ છે .એટલે કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. ત્યાંના સિસ્ટમ વિશે વાત કરીએ..    

કાર્યકાળની વાત કરીએ તો.. 

ફ્રાન્સનું લોકતત્ર એ ફિફ્થ રિપબ્લિક કહેવાય છે ત્યાં Semi Presidential સિસ્ટમ છે. જેની સ્થાપના ૧૯૫૮માં થઈ. ફ્રેન્ચ બંધારણમાં અત્યાર સુધીમાં ૧૭ વખત સુધારા કરવામાં આવ્યા છે. ફ્રાન્સમાં એક મજબૂત રાષ્ટ્રપતિ હોય છે, જેમનો ફિક્સડ પાંચ વર્ષનો કાર્યકાલ હોય છે ,તેમની પાસે ખુબ જ સત્તાઓ હોય છે . આ રાષ્ટ્રપતિ પોપ્યુલર વોટ એટલેકે લોકોના સીધા મતથી ચૂંટાય છે. ઉપરાંત તે વિદેશનીતિ અને રક્ષા સબંધિત બધાજ નિર્ણયો લઈ શકે છે . વર્ષ 2000 સુધીમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ૭ વર્ષનો હતો . આની વિરુદ્ધમાં ફ્રાન્સના વડાપ્રધાનએ બધી જ ડોમેસ્ટિક એટલે કે, દેશના આંતરિક નિર્ણયો માટે જવાબદાર છે. તમામ કેબિનેટ મિનિસ્ટર્સની વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થાય છે. 



બે રાઉન્ડમાં થાય છે ઈલેક્શન જો..    

હવે ફ્રાન્સમાં COHABITATIONની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેમ કે રાષ્ટ્રપતિ અલગ પાર્ટીના હોય અને વડાપ્રધાન અલગ પાર્ટીના હોય. આ કારણે ફ્રાન્સમાં પણ પોલિસી પેરાલીસીસ જોવા મળે છે. ફ્રાન્સમાં વડાપ્રધાનના ઇલેકશન બે રાઉન્ડમાં થાય છે, પ્રથમ રાઉન્ડમાં જો કોઈ ઉમેદવારને અબ્સોલ્યૂટ મેજોરીટી એટલેકે ૫૧ ટકા વોટ ના મળે તો બીજા રાઉન્ડના એલેકશન્સ થાય છે , આ runoff રાઉન્ડ કહેવાય છે.  પહેલા રાઉન્ડના પરિણામ આવ્યા marine લે પેન કે જે FAR RIGHT national રેલી પાર્ટીના મુખ્યા છે , તેઓ આગળ હતા . હવે બીજા રાઉન્ડ પછી ડાબેરી NEW POPULAR ફ્રન્ટ આગળ નીકળી ગયું . 



ત્રિશંકુ પરિણામ આવ્યા છે.. 

જ્યારે ઇમ્માનુંઅલ મેક્રોનની પાર્ટી ENSEMBLE બીજા નંબર પર છે . ટૂંકમાં ત્રિશંકુ પરિણામો આવ્યા છે . ત્રણેય પાર્ટીઓ પૂર્ણ બહુમતનો આંકડો ૨૮૯ ને ટચ કરવામાં નિષ્ફળ રહી છે . રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેકરોને વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટાલનું રાજીનામુ સ્વીકારવાની ના પાડી દીધી છે અને પદ પર બની રહેવાનો આદેશ આપ્યો છે . જેવા જ આ ત્રિશંકુ પરિણામો આવ્યા કે , જમણેરી એટલેકે RIGHT વિંગની પાર્ટીના સમર્થકોએ તોફાનો ચાલુ કરી દીધા છે.


આ પાર્ટીથી ફેન્ચ રાષ્ટ્રપતિને જોખમ.. 

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેંક્રોનને સૌથી મોટું જોખમ આ જમણેરી વિચાર ધારા ધરાવતી પાર્ટી નેશનલ રેલી પાર્ટીથી છે કેમ કે તેઓ મેક્રોનના ઘણાબધા સુધારા પાછા ઠેલી શકે છે , પબ્લિક સ્પેન્ડિંગમાં ખુબ રૂપિયા ખરચવા માંગે છે , સાથેજ ઇઝરાયેલની વિરુદ્ધમાં ટફ સ્ટેન્ડ લઈ શકે છે . પણ સર્વ સેહમતી વગર દેશમાં હાલમાં તો વડાપ્રધાન બનાવવા કોઈ પણ પાર્ટી માટે ખુબ જ મુશ્કેલ છે .



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.