Franceમાં Prime Minister માટેની ચૂંટણીઓ માટે ત્રિશંકુ પરિણામો આવ્યા! ફ્રાન્સના ચૂંટણી પરિણામોથી જમણેરી રાજકારણનો પ્રભાવ વધ્યો?


  • Published By :
  • Published Date : 2024-07-09 18:50:28

યુરોપના બીજા સૌથી મોટા અર્થતંત્ર એટલે કે ફ્રાન્સમાં આ વખતે ઓલ્મપિક ગેમનું આયોજન થવાનું છે.. ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ ઇમાનુયલ મેકરોને ખુબ વહેલા વડાપ્રધાન પદ માટે ઇલેકશન કરાવડાવ્યા, પરિણામ આવ્યા ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં કુલ ૫૭૭ બેઠકો છે જેમાંથી Immanual મેક્રોનની પાર્ટી ENSEMBLEને ૧૬૧ , કે જે સેન્ટ્રિસ્ટ પાર્ટી છે, ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ડાબેરી પાર્ટીઓનું ગઠબંધન છે તેમને ૧૮૮ સીટ મળી.. જ્યારે જમણેરી રાષ્ટ્રવાદી પાર્ટી નેશનલ રેલી અલીયન્સને ૧૪૨ બેઠકો પ્રાપ્ત થઈ છે .એટલે કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. ત્યાંના સિસ્ટમ વિશે વાત કરીએ..    

કાર્યકાળની વાત કરીએ તો.. 

ફ્રાન્સનું લોકતત્ર એ ફિફ્થ રિપબ્લિક કહેવાય છે ત્યાં Semi Presidential સિસ્ટમ છે. જેની સ્થાપના ૧૯૫૮માં થઈ. ફ્રેન્ચ બંધારણમાં અત્યાર સુધીમાં ૧૭ વખત સુધારા કરવામાં આવ્યા છે. ફ્રાન્સમાં એક મજબૂત રાષ્ટ્રપતિ હોય છે, જેમનો ફિક્સડ પાંચ વર્ષનો કાર્યકાલ હોય છે ,તેમની પાસે ખુબ જ સત્તાઓ હોય છે . આ રાષ્ટ્રપતિ પોપ્યુલર વોટ એટલેકે લોકોના સીધા મતથી ચૂંટાય છે. ઉપરાંત તે વિદેશનીતિ અને રક્ષા સબંધિત બધાજ નિર્ણયો લઈ શકે છે . વર્ષ 2000 સુધીમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ૭ વર્ષનો હતો . આની વિરુદ્ધમાં ફ્રાન્સના વડાપ્રધાનએ બધી જ ડોમેસ્ટિક એટલે કે, દેશના આંતરિક નિર્ણયો માટે જવાબદાર છે. તમામ કેબિનેટ મિનિસ્ટર્સની વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થાય છે. 



બે રાઉન્ડમાં થાય છે ઈલેક્શન જો..    

હવે ફ્રાન્સમાં COHABITATIONની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેમ કે રાષ્ટ્રપતિ અલગ પાર્ટીના હોય અને વડાપ્રધાન અલગ પાર્ટીના હોય. આ કારણે ફ્રાન્સમાં પણ પોલિસી પેરાલીસીસ જોવા મળે છે. ફ્રાન્સમાં વડાપ્રધાનના ઇલેકશન બે રાઉન્ડમાં થાય છે, પ્રથમ રાઉન્ડમાં જો કોઈ ઉમેદવારને અબ્સોલ્યૂટ મેજોરીટી એટલેકે ૫૧ ટકા વોટ ના મળે તો બીજા રાઉન્ડના એલેકશન્સ થાય છે , આ runoff રાઉન્ડ કહેવાય છે.  પહેલા રાઉન્ડના પરિણામ આવ્યા marine લે પેન કે જે FAR RIGHT national રેલી પાર્ટીના મુખ્યા છે , તેઓ આગળ હતા . હવે બીજા રાઉન્ડ પછી ડાબેરી NEW POPULAR ફ્રન્ટ આગળ નીકળી ગયું . 



ત્રિશંકુ પરિણામ આવ્યા છે.. 

જ્યારે ઇમ્માનુંઅલ મેક્રોનની પાર્ટી ENSEMBLE બીજા નંબર પર છે . ટૂંકમાં ત્રિશંકુ પરિણામો આવ્યા છે . ત્રણેય પાર્ટીઓ પૂર્ણ બહુમતનો આંકડો ૨૮૯ ને ટચ કરવામાં નિષ્ફળ રહી છે . રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેકરોને વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટાલનું રાજીનામુ સ્વીકારવાની ના પાડી દીધી છે અને પદ પર બની રહેવાનો આદેશ આપ્યો છે . જેવા જ આ ત્રિશંકુ પરિણામો આવ્યા કે , જમણેરી એટલેકે RIGHT વિંગની પાર્ટીના સમર્થકોએ તોફાનો ચાલુ કરી દીધા છે.


આ પાર્ટીથી ફેન્ચ રાષ્ટ્રપતિને જોખમ.. 

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેંક્રોનને સૌથી મોટું જોખમ આ જમણેરી વિચાર ધારા ધરાવતી પાર્ટી નેશનલ રેલી પાર્ટીથી છે કેમ કે તેઓ મેક્રોનના ઘણાબધા સુધારા પાછા ઠેલી શકે છે , પબ્લિક સ્પેન્ડિંગમાં ખુબ રૂપિયા ખરચવા માંગે છે , સાથેજ ઇઝરાયેલની વિરુદ્ધમાં ટફ સ્ટેન્ડ લઈ શકે છે . પણ સર્વ સેહમતી વગર દેશમાં હાલમાં તો વડાપ્રધાન બનાવવા કોઈ પણ પાર્ટી માટે ખુબ જ મુશ્કેલ છે .



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.