Franceમાં Prime Minister માટેની ચૂંટણીઓ માટે ત્રિશંકુ પરિણામો આવ્યા! ફ્રાન્સના ચૂંટણી પરિણામોથી જમણેરી રાજકારણનો પ્રભાવ વધ્યો?


  • Published By :
  • Published Date : 2024-07-09 18:50:28

યુરોપના બીજા સૌથી મોટા અર્થતંત્ર એટલે કે ફ્રાન્સમાં આ વખતે ઓલ્મપિક ગેમનું આયોજન થવાનું છે.. ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ ઇમાનુયલ મેકરોને ખુબ વહેલા વડાપ્રધાન પદ માટે ઇલેકશન કરાવડાવ્યા, પરિણામ આવ્યા ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં કુલ ૫૭૭ બેઠકો છે જેમાંથી Immanual મેક્રોનની પાર્ટી ENSEMBLEને ૧૬૧ , કે જે સેન્ટ્રિસ્ટ પાર્ટી છે, ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ડાબેરી પાર્ટીઓનું ગઠબંધન છે તેમને ૧૮૮ સીટ મળી.. જ્યારે જમણેરી રાષ્ટ્રવાદી પાર્ટી નેશનલ રેલી અલીયન્સને ૧૪૨ બેઠકો પ્રાપ્ત થઈ છે .એટલે કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. ત્યાંના સિસ્ટમ વિશે વાત કરીએ..    

કાર્યકાળની વાત કરીએ તો.. 

ફ્રાન્સનું લોકતત્ર એ ફિફ્થ રિપબ્લિક કહેવાય છે ત્યાં Semi Presidential સિસ્ટમ છે. જેની સ્થાપના ૧૯૫૮માં થઈ. ફ્રેન્ચ બંધારણમાં અત્યાર સુધીમાં ૧૭ વખત સુધારા કરવામાં આવ્યા છે. ફ્રાન્સમાં એક મજબૂત રાષ્ટ્રપતિ હોય છે, જેમનો ફિક્સડ પાંચ વર્ષનો કાર્યકાલ હોય છે ,તેમની પાસે ખુબ જ સત્તાઓ હોય છે . આ રાષ્ટ્રપતિ પોપ્યુલર વોટ એટલેકે લોકોના સીધા મતથી ચૂંટાય છે. ઉપરાંત તે વિદેશનીતિ અને રક્ષા સબંધિત બધાજ નિર્ણયો લઈ શકે છે . વર્ષ 2000 સુધીમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ૭ વર્ષનો હતો . આની વિરુદ્ધમાં ફ્રાન્સના વડાપ્રધાનએ બધી જ ડોમેસ્ટિક એટલે કે, દેશના આંતરિક નિર્ણયો માટે જવાબદાર છે. તમામ કેબિનેટ મિનિસ્ટર્સની વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થાય છે. 



બે રાઉન્ડમાં થાય છે ઈલેક્શન જો..    

હવે ફ્રાન્સમાં COHABITATIONની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેમ કે રાષ્ટ્રપતિ અલગ પાર્ટીના હોય અને વડાપ્રધાન અલગ પાર્ટીના હોય. આ કારણે ફ્રાન્સમાં પણ પોલિસી પેરાલીસીસ જોવા મળે છે. ફ્રાન્સમાં વડાપ્રધાનના ઇલેકશન બે રાઉન્ડમાં થાય છે, પ્રથમ રાઉન્ડમાં જો કોઈ ઉમેદવારને અબ્સોલ્યૂટ મેજોરીટી એટલેકે ૫૧ ટકા વોટ ના મળે તો બીજા રાઉન્ડના એલેકશન્સ થાય છે , આ runoff રાઉન્ડ કહેવાય છે.  પહેલા રાઉન્ડના પરિણામ આવ્યા marine લે પેન કે જે FAR RIGHT national રેલી પાર્ટીના મુખ્યા છે , તેઓ આગળ હતા . હવે બીજા રાઉન્ડ પછી ડાબેરી NEW POPULAR ફ્રન્ટ આગળ નીકળી ગયું . 



ત્રિશંકુ પરિણામ આવ્યા છે.. 

જ્યારે ઇમ્માનુંઅલ મેક્રોનની પાર્ટી ENSEMBLE બીજા નંબર પર છે . ટૂંકમાં ત્રિશંકુ પરિણામો આવ્યા છે . ત્રણેય પાર્ટીઓ પૂર્ણ બહુમતનો આંકડો ૨૮૯ ને ટચ કરવામાં નિષ્ફળ રહી છે . રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેકરોને વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટાલનું રાજીનામુ સ્વીકારવાની ના પાડી દીધી છે અને પદ પર બની રહેવાનો આદેશ આપ્યો છે . જેવા જ આ ત્રિશંકુ પરિણામો આવ્યા કે , જમણેરી એટલેકે RIGHT વિંગની પાર્ટીના સમર્થકોએ તોફાનો ચાલુ કરી દીધા છે.


આ પાર્ટીથી ફેન્ચ રાષ્ટ્રપતિને જોખમ.. 

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેંક્રોનને સૌથી મોટું જોખમ આ જમણેરી વિચાર ધારા ધરાવતી પાર્ટી નેશનલ રેલી પાર્ટીથી છે કેમ કે તેઓ મેક્રોનના ઘણાબધા સુધારા પાછા ઠેલી શકે છે , પબ્લિક સ્પેન્ડિંગમાં ખુબ રૂપિયા ખરચવા માંગે છે , સાથેજ ઇઝરાયેલની વિરુદ્ધમાં ટફ સ્ટેન્ડ લઈ શકે છે . પણ સર્વ સેહમતી વગર દેશમાં હાલમાં તો વડાપ્રધાન બનાવવા કોઈ પણ પાર્ટી માટે ખુબ જ મુશ્કેલ છે .



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.