Franceમાં Prime Minister માટેની ચૂંટણીઓ માટે ત્રિશંકુ પરિણામો આવ્યા! ફ્રાન્સના ચૂંટણી પરિણામોથી જમણેરી રાજકારણનો પ્રભાવ વધ્યો?


  • Published By :
  • Published Date : 2024-07-09 18:50:28

યુરોપના બીજા સૌથી મોટા અર્થતંત્ર એટલે કે ફ્રાન્સમાં આ વખતે ઓલ્મપિક ગેમનું આયોજન થવાનું છે.. ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ ઇમાનુયલ મેકરોને ખુબ વહેલા વડાપ્રધાન પદ માટે ઇલેકશન કરાવડાવ્યા, પરિણામ આવ્યા ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં કુલ ૫૭૭ બેઠકો છે જેમાંથી Immanual મેક્રોનની પાર્ટી ENSEMBLEને ૧૬૧ , કે જે સેન્ટ્રિસ્ટ પાર્ટી છે, ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ડાબેરી પાર્ટીઓનું ગઠબંધન છે તેમને ૧૮૮ સીટ મળી.. જ્યારે જમણેરી રાષ્ટ્રવાદી પાર્ટી નેશનલ રેલી અલીયન્સને ૧૪૨ બેઠકો પ્રાપ્ત થઈ છે .એટલે કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. ત્યાંના સિસ્ટમ વિશે વાત કરીએ..    

કાર્યકાળની વાત કરીએ તો.. 

ફ્રાન્સનું લોકતત્ર એ ફિફ્થ રિપબ્લિક કહેવાય છે ત્યાં Semi Presidential સિસ્ટમ છે. જેની સ્થાપના ૧૯૫૮માં થઈ. ફ્રેન્ચ બંધારણમાં અત્યાર સુધીમાં ૧૭ વખત સુધારા કરવામાં આવ્યા છે. ફ્રાન્સમાં એક મજબૂત રાષ્ટ્રપતિ હોય છે, જેમનો ફિક્સડ પાંચ વર્ષનો કાર્યકાલ હોય છે ,તેમની પાસે ખુબ જ સત્તાઓ હોય છે . આ રાષ્ટ્રપતિ પોપ્યુલર વોટ એટલેકે લોકોના સીધા મતથી ચૂંટાય છે. ઉપરાંત તે વિદેશનીતિ અને રક્ષા સબંધિત બધાજ નિર્ણયો લઈ શકે છે . વર્ષ 2000 સુધીમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ ૭ વર્ષનો હતો . આની વિરુદ્ધમાં ફ્રાન્સના વડાપ્રધાનએ બધી જ ડોમેસ્ટિક એટલે કે, દેશના આંતરિક નિર્ણયો માટે જવાબદાર છે. તમામ કેબિનેટ મિનિસ્ટર્સની વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થાય છે. 



બે રાઉન્ડમાં થાય છે ઈલેક્શન જો..    

હવે ફ્રાન્સમાં COHABITATIONની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેમ કે રાષ્ટ્રપતિ અલગ પાર્ટીના હોય અને વડાપ્રધાન અલગ પાર્ટીના હોય. આ કારણે ફ્રાન્સમાં પણ પોલિસી પેરાલીસીસ જોવા મળે છે. ફ્રાન્સમાં વડાપ્રધાનના ઇલેકશન બે રાઉન્ડમાં થાય છે, પ્રથમ રાઉન્ડમાં જો કોઈ ઉમેદવારને અબ્સોલ્યૂટ મેજોરીટી એટલેકે ૫૧ ટકા વોટ ના મળે તો બીજા રાઉન્ડના એલેકશન્સ થાય છે , આ runoff રાઉન્ડ કહેવાય છે.  પહેલા રાઉન્ડના પરિણામ આવ્યા marine લે પેન કે જે FAR RIGHT national રેલી પાર્ટીના મુખ્યા છે , તેઓ આગળ હતા . હવે બીજા રાઉન્ડ પછી ડાબેરી NEW POPULAR ફ્રન્ટ આગળ નીકળી ગયું . 



ત્રિશંકુ પરિણામ આવ્યા છે.. 

જ્યારે ઇમ્માનુંઅલ મેક્રોનની પાર્ટી ENSEMBLE બીજા નંબર પર છે . ટૂંકમાં ત્રિશંકુ પરિણામો આવ્યા છે . ત્રણેય પાર્ટીઓ પૂર્ણ બહુમતનો આંકડો ૨૮૯ ને ટચ કરવામાં નિષ્ફળ રહી છે . રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેકરોને વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટાલનું રાજીનામુ સ્વીકારવાની ના પાડી દીધી છે અને પદ પર બની રહેવાનો આદેશ આપ્યો છે . જેવા જ આ ત્રિશંકુ પરિણામો આવ્યા કે , જમણેરી એટલેકે RIGHT વિંગની પાર્ટીના સમર્થકોએ તોફાનો ચાલુ કરી દીધા છે.


આ પાર્ટીથી ફેન્ચ રાષ્ટ્રપતિને જોખમ.. 

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમ્માનુંઅલ મેંક્રોનને સૌથી મોટું જોખમ આ જમણેરી વિચાર ધારા ધરાવતી પાર્ટી નેશનલ રેલી પાર્ટીથી છે કેમ કે તેઓ મેક્રોનના ઘણાબધા સુધારા પાછા ઠેલી શકે છે , પબ્લિક સ્પેન્ડિંગમાં ખુબ રૂપિયા ખરચવા માંગે છે , સાથેજ ઇઝરાયેલની વિરુદ્ધમાં ટફ સ્ટેન્ડ લઈ શકે છે . પણ સર્વ સેહમતી વગર દેશમાં હાલમાં તો વડાપ્રધાન બનાવવા કોઈ પણ પાર્ટી માટે ખુબ જ મુશ્કેલ છે .



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.