Nitish Kumarના સાંસદે INDIA Allianceની મળેલી બેઠકને લઈ ફરિયાદ કરી! કહ્યું સમોસા નહોતા, ગંભીર વાતચીત થઈ શકી ન હતી


  • Published By :
  • Published Date : 2023-12-21 11:40:37

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી. આ બેઠકમાં સામેલ થવા અનેક દિગ્ગ્જ નેતાઓ આવ્યા હતા. મમતા બેનર્જી, નિતીશ કુમાર સહિતના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. મલ્લિકાર્જુન ખડગેના નામ પર ચર્ચા થઈ, ઉપરાંત બેઠકોને લઈ વિચાર વિમર્શ થયો. આ બધા વચ્ચે જેડીયુના નેતાનું દર્દ છલકાઈ આવ્યું! જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટુએ કહ્યું કે મીટિંગમાં સમોસા ન હતા,  માત્ર ચા- બિસ્કિટ હતા, કોઈ પણ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકી નહીં.

India BLOC meeting

દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની મળી હતી બેઠક       

દેશમાં અનેક સમસ્યાઓ છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. સંસદમાંથી અનેક વિપક્ષી સાંસદોઓને સસ્પેન્ડ થયા પર ચર્ચા થવી જોઈએ. અનેક સાંસદો આનો વિરોધ કરી રહ્યા હતા. 19 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ હતી. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ આ બેઠક થવાની હતી પરંતુ તેને કેન્સલ કરવામાં આવી. ત્યારે અનેક વખત ઈન્ડિયા ગઠબંધનની મીટિંગ થઈ. થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં આ બેઠક પૂર્ણ થઈ અને આ મીટિંગમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા થઈ. 

માત્ર ચા અને બિસ્કિટમાં મીટિંગ પતાવી દીધી!

ઈન્ડિયાની બેઠકમાં અનેક મુદ્દાઓ પર તકરાર પણ થઈ. પરંતુ જેડીયુના એક નેતાનું દર્દ તો કંઈક અલગ જ હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મીટિંગ દરમિયાન સમોસા ન રાખવામાં આવ્યા, ખાલી ચા-બિસ્કિટ આપીને મીટિંગ પૂર્ણ કરી દીધી. આ નિવેદન જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટૂ દ્વારા આપવામાં આવ્યું છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પહેલા જ્યારે મીટિંગ થતી હતી ત્યારે સમોસા તો મળતા જ હતા, પરંતુ આ વખતની બેઠકમાં માત્ર ચા બિસ્કિટમાં પતાવી દીધું. કોંગ્રેસ પોતે કહે છે કે તેમની પાસે ફંડની કમી છે. એટલે આ વખતે માત્ર ચા બિસ્કીટથી કામ પતાવી દીધું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે