Nitish Kumarના સાંસદે INDIA Allianceની મળેલી બેઠકને લઈ ફરિયાદ કરી! કહ્યું સમોસા નહોતા, ગંભીર વાતચીત થઈ શકી ન હતી


  • Published By :
  • Published Date : 2023-12-21 11:40:37

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી. આ બેઠકમાં સામેલ થવા અનેક દિગ્ગ્જ નેતાઓ આવ્યા હતા. મમતા બેનર્જી, નિતીશ કુમાર સહિતના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. મલ્લિકાર્જુન ખડગેના નામ પર ચર્ચા થઈ, ઉપરાંત બેઠકોને લઈ વિચાર વિમર્શ થયો. આ બધા વચ્ચે જેડીયુના નેતાનું દર્દ છલકાઈ આવ્યું! જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટુએ કહ્યું કે મીટિંગમાં સમોસા ન હતા,  માત્ર ચા- બિસ્કિટ હતા, કોઈ પણ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકી નહીં.

India BLOC meeting

દિલ્હી ખાતે ઈન્ડિયા ગઠબંધનની મળી હતી બેઠક       

દેશમાં અનેક સમસ્યાઓ છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. સંસદમાંથી અનેક વિપક્ષી સાંસદોઓને સસ્પેન્ડ થયા પર ચર્ચા થવી જોઈએ. અનેક સાંસદો આનો વિરોધ કરી રહ્યા હતા. 19 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ હતી. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ આ બેઠક થવાની હતી પરંતુ તેને કેન્સલ કરવામાં આવી. ત્યારે અનેક વખત ઈન્ડિયા ગઠબંધનની મીટિંગ થઈ. થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં આ બેઠક પૂર્ણ થઈ અને આ મીટિંગમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા થઈ. 

માત્ર ચા અને બિસ્કિટમાં મીટિંગ પતાવી દીધી!

ઈન્ડિયાની બેઠકમાં અનેક મુદ્દાઓ પર તકરાર પણ થઈ. પરંતુ જેડીયુના એક નેતાનું દર્દ તો કંઈક અલગ જ હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મીટિંગ દરમિયાન સમોસા ન રાખવામાં આવ્યા, ખાલી ચા-બિસ્કિટ આપીને મીટિંગ પૂર્ણ કરી દીધી. આ નિવેદન જેડીયુના સાંસદ સુનિલ કુમાર પિંટૂ દ્વારા આપવામાં આવ્યું છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પહેલા જ્યારે મીટિંગ થતી હતી ત્યારે સમોસા તો મળતા જ હતા, પરંતુ આ વખતની બેઠકમાં માત્ર ચા બિસ્કિટમાં પતાવી દીધું. કોંગ્રેસ પોતે કહે છે કે તેમની પાસે ફંડની કમી છે. એટલે આ વખતે માત્ર ચા બિસ્કીટથી કામ પતાવી દીધું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.