Gujaratના હવામાનમાં આવશે મોટા ફેરફાર!, આ તારીખ બાદ સહન કરવો પડશે ગરમીનો પ્રકોપ? જાણો શું કહે છે હવામાનની લેટેસ્ટ આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-11 13:06:30

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો ક્યાંક હિટવેવની આગાહી પણ કરાઈ છે. એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે જગતના તાત પર સીધી અસર પડી રહી છે. 13 એપ્રિલ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે. 

News18 Gujarati

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર પડે છે જગતના તાત પર 

ઉનાળાની શરૂઆતમાં ભયંકર ગરમીનો સામનો આપણે કરી રહ્યા છીએ. માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો એટલો બધો ઉચકાયો છે કે સવાલ થાય કે મે મહિનામાં કેટલી ભયંકર ગરમી પડશે.? ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ પર તેની સીધી અસર પડે છે અને હવામાનનું સંતુલન બગડી જાય છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો, ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા કદાચ આપણને આટલો ફર્ક નહીં પડે પરંતુ જગતના તાતની ચિંતા અવશ્ય વધી જતી હોય છે. વાતાવરણમાં આવતા ફેર બદલને કારણે ખેતી પર તેની અસર પડતી હોય છે. 

News18 Gujarati

આ જગ્યાઓ માટે કરવામાં આવી માવઠાની આગાહી 

આ બધા વચ્ચે એક તરફ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 એપ્રિલે સુરત, નવસારી, વલસાડ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે, તે ઉપરાંત 14 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે હવામાન નિષ્ણાત દ્વારા પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. 

News18 Gujarati

આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર આવતી કાલથી એટલે 12થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી તો કરાઈ છે પરંતુ સાથે સાથે ગરમીનો પ્રકોપ પણ સહન કરવો પડશે તેવી વાત પણ કરાઈ છે. તાપમાનનો પારો 16 એપ્રિલ બાદ વધી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"