Gujaratના હવામાનમાં આવશે મોટા ફેરફાર!, આ તારીખ બાદ સહન કરવો પડશે ગરમીનો પ્રકોપ? જાણો શું કહે છે હવામાનની લેટેસ્ટ આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-11 13:06:30

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો ક્યાંક હિટવેવની આગાહી પણ કરાઈ છે. એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે જગતના તાત પર સીધી અસર પડી રહી છે. 13 એપ્રિલ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે. 

News18 Gujarati

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર પડે છે જગતના તાત પર 

ઉનાળાની શરૂઆતમાં ભયંકર ગરમીનો સામનો આપણે કરી રહ્યા છીએ. માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો એટલો બધો ઉચકાયો છે કે સવાલ થાય કે મે મહિનામાં કેટલી ભયંકર ગરમી પડશે.? ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ પર તેની સીધી અસર પડે છે અને હવામાનનું સંતુલન બગડી જાય છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો, ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા કદાચ આપણને આટલો ફર્ક નહીં પડે પરંતુ જગતના તાતની ચિંતા અવશ્ય વધી જતી હોય છે. વાતાવરણમાં આવતા ફેર બદલને કારણે ખેતી પર તેની અસર પડતી હોય છે. 

News18 Gujarati

આ જગ્યાઓ માટે કરવામાં આવી માવઠાની આગાહી 

આ બધા વચ્ચે એક તરફ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 એપ્રિલે સુરત, નવસારી, વલસાડ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે, તે ઉપરાંત 14 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે હવામાન નિષ્ણાત દ્વારા પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. 

News18 Gujarati

આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર આવતી કાલથી એટલે 12થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી તો કરાઈ છે પરંતુ સાથે સાથે ગરમીનો પ્રકોપ પણ સહન કરવો પડશે તેવી વાત પણ કરાઈ છે. તાપમાનનો પારો 16 એપ્રિલ બાદ વધી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે