Gujaratના હવામાનમાં આવશે મોટા ફેરફાર!, આ તારીખ બાદ સહન કરવો પડશે ગરમીનો પ્રકોપ? જાણો શું કહે છે હવામાનની લેટેસ્ટ આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-11 13:06:30

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો ક્યાંક હિટવેવની આગાહી પણ કરાઈ છે. એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે જગતના તાત પર સીધી અસર પડી રહી છે. 13 એપ્રિલ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે. 

News18 Gujarati

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર પડે છે જગતના તાત પર 

ઉનાળાની શરૂઆતમાં ભયંકર ગરમીનો સામનો આપણે કરી રહ્યા છીએ. માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો એટલો બધો ઉચકાયો છે કે સવાલ થાય કે મે મહિનામાં કેટલી ભયંકર ગરમી પડશે.? ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ પર તેની સીધી અસર પડે છે અને હવામાનનું સંતુલન બગડી જાય છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો, ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા કદાચ આપણને આટલો ફર્ક નહીં પડે પરંતુ જગતના તાતની ચિંતા અવશ્ય વધી જતી હોય છે. વાતાવરણમાં આવતા ફેર બદલને કારણે ખેતી પર તેની અસર પડતી હોય છે. 

News18 Gujarati

આ જગ્યાઓ માટે કરવામાં આવી માવઠાની આગાહી 

આ બધા વચ્ચે એક તરફ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 એપ્રિલે સુરત, નવસારી, વલસાડ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે, તે ઉપરાંત 14 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે હવામાન નિષ્ણાત દ્વારા પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. 

News18 Gujarati

આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર આવતી કાલથી એટલે 12થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી તો કરાઈ છે પરંતુ સાથે સાથે ગરમીનો પ્રકોપ પણ સહન કરવો પડશે તેવી વાત પણ કરાઈ છે. તાપમાનનો પારો 16 એપ્રિલ બાદ વધી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.