Gujaratના હવામાનમાં આવશે મોટા ફેરફાર!, આ તારીખ બાદ સહન કરવો પડશે ગરમીનો પ્રકોપ? જાણો શું કહે છે હવામાનની લેટેસ્ટ આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-11 13:06:30

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો ક્યાંક હિટવેવની આગાહી પણ કરાઈ છે. એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે જગતના તાત પર સીધી અસર પડી રહી છે. 13 એપ્રિલ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવશે. 

News18 Gujarati

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર પડે છે જગતના તાત પર 

ઉનાળાની શરૂઆતમાં ભયંકર ગરમીનો સામનો આપણે કરી રહ્યા છીએ. માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો એટલો બધો ઉચકાયો છે કે સવાલ થાય કે મે મહિનામાં કેટલી ભયંકર ગરમી પડશે.? ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ પર તેની સીધી અસર પડે છે અને હવામાનનું સંતુલન બગડી જાય છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો, ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા કદાચ આપણને આટલો ફર્ક નહીં પડે પરંતુ જગતના તાતની ચિંતા અવશ્ય વધી જતી હોય છે. વાતાવરણમાં આવતા ફેર બદલને કારણે ખેતી પર તેની અસર પડતી હોય છે. 

News18 Gujarati

આ જગ્યાઓ માટે કરવામાં આવી માવઠાની આગાહી 

આ બધા વચ્ચે એક તરફ ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 એપ્રિલે સુરત, નવસારી, વલસાડ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે, તે ઉપરાંત 14 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે હવામાન નિષ્ણાત દ્વારા પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. 

News18 Gujarati

આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર આવતી કાલથી એટલે 12થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી તો કરાઈ છે પરંતુ સાથે સાથે ગરમીનો પ્રકોપ પણ સહન કરવો પડશે તેવી વાત પણ કરાઈ છે. તાપમાનનો પારો 16 એપ્રિલ બાદ વધી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.    



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..