Parliamentમાં આજે No Confidence Motion પર થશે ચર્ચા, પીએમ મોદી આ તારીખે આપી શકે છે જવાબ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 10:05:20

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા થવાની છે. ત્રણ દિવસ સુધી આ ચર્ચા ચાલવાની છે અને એવી માહિતી સામે આવી રહી છે કે ગુરૂવારે પીએમ મોદી સંસદમાં જવાબ આપી શકે છે. આજથી લોસભામાં ત્રણ દિવસ માટે આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. મહત્વનું છે રાહુલ ગાંધી આ સત્રમાં પ્રથમ વખત સંસદમાં હાજર થશે.  

સંસદમાં આજથી થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા 

રાહુલ ગાંધીને ગઈકાલે પોતાનું સાંસદ પદ પરત મળ્યું છે. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ તેમને બે વર્ષની સજા આપવામાં આવી હતી. જેને કારણે તેમનું સાંસદ પદ જતું રહ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મળેલી સજા પર સ્ટે મૂક્યો હતો. જેને કારણે તેમને સાંસદ પદ પાછું મળ્યું હતું અને લોકસભાની ચૂંટણી પણ તે હવે લડી શકશે. મહત્વનું છે કે આગામી ત્રણ દિવસ સંસદમાં ભારે હોબાળો થઈ શકે છે. એમ પણ સંસદમાં હોબાળો થાય તે કોઈ નવી વાત નથી. વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો છે આજે બપોર બાદ તેની પર સંસદમાં ચર્ચા થવાની છે. વિપક્ષી પક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને પેશ કરવામાં આવ્યો હતો અને તેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી ચર્ચાની કરી શકે છે શરૂઆત! 

મહત્વનું છે કે સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હંગામો થાય છે. હોબાળાને કારણે અનેક વખત સંસદને સ્થગિત પણ કરવામાં આવી છે. મણિપુરમાં ભડકેલી હિંસાને અનેક મહિનાઓ થઈ ગયા પરંતુ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણાયક પગલાં નથી લેવામાં આવ્યા. આ મામલે નથી તો પીએમ મોદીએ કોઈ નિવેદન આપ્યું. ત્યારે આ મામલે વિપક્ષ લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજની સંસદ રસપ્રદ રહી શકે છે કે કારણ કે રાહુલ ગાંધી પણ સંસદમાં હશે અને આજથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .