Parliamentમાં આજે No Confidence Motion પર થશે ચર્ચા, પીએમ મોદી આ તારીખે આપી શકે છે જવાબ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 10:05:20

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે ચર્ચા થવાની છે. ત્રણ દિવસ સુધી આ ચર્ચા ચાલવાની છે અને એવી માહિતી સામે આવી રહી છે કે ગુરૂવારે પીએમ મોદી સંસદમાં જવાબ આપી શકે છે. આજથી લોસભામાં ત્રણ દિવસ માટે આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. મહત્વનું છે રાહુલ ગાંધી આ સત્રમાં પ્રથમ વખત સંસદમાં હાજર થશે.  

સંસદમાં આજથી થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા 

રાહુલ ગાંધીને ગઈકાલે પોતાનું સાંસદ પદ પરત મળ્યું છે. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ તેમને બે વર્ષની સજા આપવામાં આવી હતી. જેને કારણે તેમનું સાંસદ પદ જતું રહ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મળેલી સજા પર સ્ટે મૂક્યો હતો. જેને કારણે તેમને સાંસદ પદ પાછું મળ્યું હતું અને લોકસભાની ચૂંટણી પણ તે હવે લડી શકશે. મહત્વનું છે કે આગામી ત્રણ દિવસ સંસદમાં ભારે હોબાળો થઈ શકે છે. એમ પણ સંસદમાં હોબાળો થાય તે કોઈ નવી વાત નથી. વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો છે આજે બપોર બાદ તેની પર સંસદમાં ચર્ચા થવાની છે. વિપક્ષી પક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને પેશ કરવામાં આવ્યો હતો અને તેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી ચર્ચાની કરી શકે છે શરૂઆત! 

મહત્વનું છે કે સંસદમાં જ્યારે જ્યારે મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હંગામો થાય છે. હોબાળાને કારણે અનેક વખત સંસદને સ્થગિત પણ કરવામાં આવી છે. મણિપુરમાં ભડકેલી હિંસાને અનેક મહિનાઓ થઈ ગયા પરંતુ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણાયક પગલાં નથી લેવામાં આવ્યા. આ મામલે નથી તો પીએમ મોદીએ કોઈ નિવેદન આપ્યું. ત્યારે આ મામલે વિપક્ષ લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજની સંસદ રસપ્રદ રહી શકે છે કે કારણ કે રાહુલ ગાંધી પણ સંસદમાં હશે અને આજથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.