Ahmedabadમાં India-Pakની ટીમ વચ્ચે થશે કાંટાની ટક્કર, જાણો વરસાદને લઈ શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી?


  • Published By :
  • Published Date : 2023-10-14 09:44:50

થોડા કલાકો બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. ભારત અને પાકિસ્તાની ટીમ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટને લઈ આમ તો અનેક ક્રિકેટ ચાહકોને રસ હોય છે પરંતુ જ્યારે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હોય ત્યારે ઉત્સાહ અલગ હોય છે. 

IND vs ENG T20: PM મોદીના એરપોર્ટ પર એક કલાક રોકાણ બાદ નરેન્દ્ર મોદી  સ્ટેડિયમ વિશે આવ્યા મોટા સમાચાર | Gujarat News in Gujarati


મેચ દરમિયાન વરસાદ થશે કે નહીં તે દરેકના મનમાં સવાલ! 

સૌ કોઈની નજર આજે આ મેચ પર છે. ત્યારે દરેકના મનમાં સવાલ થઈ રહ્યો હશે કે મેચ દરમિયાન વરસાદ થશે કે નહીં? ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ વરસાદની શક્યતા અમદાવાદમાં નહિંવત બતાવવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. પરંતુ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 

Gujarat weather update IMd Dr. Manorama Mohanti and Ambalal Patel - ગુજરાત  હવામાનની આગાહી અંબાલાલ પટેલ અને ડો. મનોરમા મોહન્તી News18 Gujarati

IND vs PAK: क्या बारिश से धुल जाएगा भारत-पाकिस्तान मैच? (AP)


અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે ત્યારે વરસાદ મેચમાં વિધ્ન બનશે કે કેમ તે પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે. અમદાવાદમાં વરસાદ થશે કે નહીં તે અંગે લોકોને સવાલ થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં વરસાદ વરસવાની શક્યતા નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ

મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં રહેશે તેવી આગાહી કરાતા ક્રિકેટ રસિયાઓએ રાહતનો શ્વાસ લીધો છે.  અમદાવાદમાં તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. શનિવાર માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.આણંદ, ભૂજ, ભાવનગર, ખેડા, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના વિસ્તારોનું તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 તેમજ 16 તારીખે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરાતા ખેલૈયાઓની ચિંતા વધી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.