Ahmedabadમાં India-Pakની ટીમ વચ્ચે થશે કાંટાની ટક્કર, જાણો વરસાદને લઈ શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી?


  • Published By :
  • Published Date : 2023-10-14 09:44:50

થોડા કલાકો બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. ભારત અને પાકિસ્તાની ટીમ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટને લઈ આમ તો અનેક ક્રિકેટ ચાહકોને રસ હોય છે પરંતુ જ્યારે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હોય ત્યારે ઉત્સાહ અલગ હોય છે. 

IND vs ENG T20: PM મોદીના એરપોર્ટ પર એક કલાક રોકાણ બાદ નરેન્દ્ર મોદી  સ્ટેડિયમ વિશે આવ્યા મોટા સમાચાર | Gujarat News in Gujarati


મેચ દરમિયાન વરસાદ થશે કે નહીં તે દરેકના મનમાં સવાલ! 

સૌ કોઈની નજર આજે આ મેચ પર છે. ત્યારે દરેકના મનમાં સવાલ થઈ રહ્યો હશે કે મેચ દરમિયાન વરસાદ થશે કે નહીં? ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ વરસાદની શક્યતા અમદાવાદમાં નહિંવત બતાવવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. પરંતુ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 

Gujarat weather update IMd Dr. Manorama Mohanti and Ambalal Patel - ગુજરાત  હવામાનની આગાહી અંબાલાલ પટેલ અને ડો. મનોરમા મોહન્તી News18 Gujarati

IND vs PAK: क्या बारिश से धुल जाएगा भारत-पाकिस्तान मैच? (AP)


અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે ત્યારે વરસાદ મેચમાં વિધ્ન બનશે કે કેમ તે પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે. અમદાવાદમાં વરસાદ થશે કે નહીં તે અંગે લોકોને સવાલ થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં વરસાદ વરસવાની શક્યતા નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ

મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં રહેશે તેવી આગાહી કરાતા ક્રિકેટ રસિયાઓએ રાહતનો શ્વાસ લીધો છે.  અમદાવાદમાં તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. શનિવાર માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.આણંદ, ભૂજ, ભાવનગર, ખેડા, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના વિસ્તારોનું તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 તેમજ 16 તારીખે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરાતા ખેલૈયાઓની ચિંતા વધી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.