Ahmedabadમાં India-Pakની ટીમ વચ્ચે થશે કાંટાની ટક્કર, જાણો વરસાદને લઈ શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી?


  • Published By :
  • Published Date : 2023-10-14 09:44:50

થોડા કલાકો બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. ભારત અને પાકિસ્તાની ટીમ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટને લઈ આમ તો અનેક ક્રિકેટ ચાહકોને રસ હોય છે પરંતુ જ્યારે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હોય ત્યારે ઉત્સાહ અલગ હોય છે. 

IND vs ENG T20: PM મોદીના એરપોર્ટ પર એક કલાક રોકાણ બાદ નરેન્દ્ર મોદી  સ્ટેડિયમ વિશે આવ્યા મોટા સમાચાર | Gujarat News in Gujarati


મેચ દરમિયાન વરસાદ થશે કે નહીં તે દરેકના મનમાં સવાલ! 

સૌ કોઈની નજર આજે આ મેચ પર છે. ત્યારે દરેકના મનમાં સવાલ થઈ રહ્યો હશે કે મેચ દરમિયાન વરસાદ થશે કે નહીં? ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ વરસાદની શક્યતા અમદાવાદમાં નહિંવત બતાવવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. પરંતુ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 

Gujarat weather update IMd Dr. Manorama Mohanti and Ambalal Patel - ગુજરાત  હવામાનની આગાહી અંબાલાલ પટેલ અને ડો. મનોરમા મોહન્તી News18 Gujarati

IND vs PAK: क्या बारिश से धुल जाएगा भारत-पाकिस्तान मैच? (AP)


અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે ત્યારે વરસાદ મેચમાં વિધ્ન બનશે કે કેમ તે પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે. અમદાવાદમાં વરસાદ થશે કે નહીં તે અંગે લોકોને સવાલ થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં વરસાદ વરસવાની શક્યતા નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ

મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં રહેશે તેવી આગાહી કરાતા ક્રિકેટ રસિયાઓએ રાહતનો શ્વાસ લીધો છે.  અમદાવાદમાં તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. શનિવાર માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.આણંદ, ભૂજ, ભાવનગર, ખેડા, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના વિસ્તારોનું તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 તેમજ 16 તારીખે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરાતા ખેલૈયાઓની ચિંતા વધી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.