Gujaratમાં સર્જાશે શિક્ષકોની ઘટ! બાળકોને ભણાવવા ન તો પ્રવાસી શિક્ષક છે ન તો Gyan sahayak...!


  • Published By :
  • Published Date : 2023-11-01 16:32:14

ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા પ્રતિદિન કથળી રહી છે. વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે માટે અલગ અલગ યોજનાઓ સરકાર દ્વારા બનાવવામાં આવે છે. સરકાર ભલે ગમે તેટલી યોજનાઓ બનાવે બાળકોને ભણાવવાની પરંતુ વિદ્યાર્થીઓ ત્યારે જ ભણી શકશે જ્યારે શિક્ષકો ભણાવવા માટે શાળામાં હોય.અનેક શાળાઓ શિક્ષક વિનાની થઈ જવાની છે કારણ કે રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂકની સમયમર્યાદા 30 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ છે અને જ્ઞાન સહાયકની ભરતી હજુ કરવામાં આવી નથી.     

બાળકોના ભણતર પર પડી શકે છે ગંભીર અસર 

એક તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતી નાબુદ થાય તેવી ઉમેદવારો માગ કરી રહ્યા છે. તો બીજી તરફ પ્રવાસી શિક્ષકોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે એવી પરસ્થિતિનું નિર્માણ થશે કે બાળકોને શાળામાં ભણાવવા માટે ન તો જ્ઞાન સહાયક હશે ન તો પ્રવાસી શિક્ષક! કારણ કે રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂકની સમયમર્યાદા 30 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ છે, એટલે 10,500 પ્રવાસી શિક્ષકો હવે નોકરી વગરના થઈ ગયા છે. બીજી બાજુ હજુ સુધી જ્ઞાન સહાયકોની સરકારે ભરતી કરી નથી. 


સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાનું ભૂલી ગઈ?

ભરતી ન થવાને કારણે તેમજ સમય મર્યાદા પૂર્ણ થઈ જવાને કારણે 1 નવેમ્બરથી રાજ્યમાં ધો.9થી12માં 10,500 શિક્ષકોની ઘટ ઊભી થશે. રાજ્યના તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યકાળમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરાઈ હતી, જેનો હેતુ એ હતો કે, કાયમી શિક્ષકોની ભરતી થાય નહીં ત્યાં સુધી શિક્ષકોની ખાલી જગ્યાને ભરવી. શિક્ષકોના અભાવે બાળકોના ભણવા પર કોઈ અસર ન પડે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરંભે પડે નહીં અને પ્રવાસી શિક્ષકો ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ૫૨ નોકરી કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે.


પ્રવાસી શિક્ષકોની સમયમર્યાદા 30 ઓક્ટોબરે થઈ પૂર્ણ

જે યોજના શરૂ કરવામાં આવી હતી તે ટેમ્પરરી બેઝ પર હતી. કાયમી ભરતી કરવામાં આવશે તેવી સરકારે વાત કરી હતી. પણ પછી સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાનુ જ ભૂલી ગઈ. આ વ્યવસ્થા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર પ્રવાસી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયક તરીકે ઉમેદવારોની નિમણૂક આપી ખાલી જગ્યાને કારણે શિક્ષણ કથળે નહીં ધે તેવી નવી વ્યવસ્થા લાવ્યા. તો પણ સ્થિતિ ત્યાંની ત્યાં છે. પ્રવાસી શિક્ષકોની સમય મર્યાદા 30 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ છે, પણ જ્ઞાન સહાયકો હજુ હાજર થયા નથી. 

જ્ઞાન સહાયકો શાળામાં નથી થયા હાજર 

પ્રવાસી શિક્ષકોની સમય મર્યાદા પૂર્ણ થતા એક સાથે 10,500ની ઘટ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ એ વર્ષ અને અભ્યાસ બધુ બગડે તેવી સ્તિથિ છે. જોકે એક અહેવાલ મુજબ 90થી 95 ટકા જ્ઞાન સહાયકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અને તેમને હાજ૨ થવાનું કહી દેવામાં આવ્યું છે. હવે આમાં કેટલું તથ્ય છે એ અમને નથી ખબર કારણ કે છેલ્લા કેટલાઈ સમયથી TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે અને જ્ઞાન સહાયકના ફોર્મ ન ભરવાની વાત કરી રહ્યા છે. હવે જો જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષકો બંને નથી તો બાળકોને ભણાવશે કોણ?


પ્રવાસી શિક્ષકોને નથી ચૂકવવામાં આવ્યો આટલા મહિનાથી પગાર!

વાત અહીંયા પૂર્ણ નથી થતી. 10 હજાર પ્રવાસી શિક્ષકોને 8 મહિનાથી પગાર નથી મળ્યો. દાહોદ જિલ્લાનાં 270 પ્રવાસી શિક્ષકોનો તો 11 મહિનાથી પગાર નથી થયો. પ્રવાસી શિક્ષકનો કાર્યકાળ પૂર્ણ થતાં 6 મહિના માટે તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. કાર્યકાળ લંબાવાયો પરંતુ 8 મહિનાથી પગાર જ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું કે રાજ્યના 10 હજાર પ્રવાસી શિક્ષકોની દિવાળી સરકાર ના બગાડે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને અને તાત્કાલિક પ્રવાસી શિક્ષકોને નાણાં ચૂકવવા માંગણી કરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.