ખેડૂતો આનંદો! લોકસભા ચૂંટણી પહેલા PM-કિસાન સહાય સ્કીમની રકમમાં થશે વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-12 14:03:25

દેશના 11 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, કેન્દ્ર સરકાર પીએમ-કિસાન સહાય હેઠળ મળનારી રકમ વધારી શકે છે. નાણામંત્રી નિર્ણલા સિતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સરકારનું છેલ્લુ બજેટ રજુ કરશે, આ વચગાળાના બજેટમાં પીએમ-કિસાન નિધિમાં વૃધ્ધીની જાહેરાત થઈ શકે છે. સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર બે મહિને 6 હજાર રૂપિયા મળે છે. મોદી સરકાર તે રકમ વધારીને 8 હજારથી 9 હજાર કરી શકે છે. જ્યારે મહિલા લાભાર્થીઓ માટે આ રકમ વધારીને 10 હજારથી 12 હજાર કરી શકાય છે. આ સ્કિમની જાહેરાત વર્ષ 2019માં કરવામાં આવી હતી અને લોકસભા ચૂંટણી પહેલા તેનો પહેલો હપ્તો ખેડુતોના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. 


સરકારે બજેટમાં કરી 60 હજાર કરોડની જોગવાઈ


મોદી સરકારે લોકસભા ચૂંટણીમાં ખેડૂતોને આકર્ષવા માટે પીએમ કિસાન સહાય સ્કિમમાં રકમ વધારી શકે છે અને તે માટે આગામી બજેટમાં 60 હજાર કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો આ રકમ વધારીને 8 હજાર કરવામાં આવે છે તો વાર્ષિક ફાળવણી વધારીને 88 હજાર કરોડ કરવી પડશે. સરકારે જો આ રકમ 9 હજાર કરે છે તો ફાળવણી 99 હજાર કરોડ રૂપિયા થશે. 


15 હપ્તામાં 2.8 કરોડ ટ્રાન્સફર કરાયા


સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ-કિસાન હેઠળ, પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે અને તે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ માનવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 15 હપ્તામાં ખેડૂતોના ખાતામાં 2.8 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.