ખેડૂતો આનંદો! લોકસભા ચૂંટણી પહેલા PM-કિસાન સહાય સ્કીમની રકમમાં થશે વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-12 14:03:25

દેશના 11 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, કેન્દ્ર સરકાર પીએમ-કિસાન સહાય હેઠળ મળનારી રકમ વધારી શકે છે. નાણામંત્રી નિર્ણલા સિતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સરકારનું છેલ્લુ બજેટ રજુ કરશે, આ વચગાળાના બજેટમાં પીએમ-કિસાન નિધિમાં વૃધ્ધીની જાહેરાત થઈ શકે છે. સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર બે મહિને 6 હજાર રૂપિયા મળે છે. મોદી સરકાર તે રકમ વધારીને 8 હજારથી 9 હજાર કરી શકે છે. જ્યારે મહિલા લાભાર્થીઓ માટે આ રકમ વધારીને 10 હજારથી 12 હજાર કરી શકાય છે. આ સ્કિમની જાહેરાત વર્ષ 2019માં કરવામાં આવી હતી અને લોકસભા ચૂંટણી પહેલા તેનો પહેલો હપ્તો ખેડુતોના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. 


સરકારે બજેટમાં કરી 60 હજાર કરોડની જોગવાઈ


મોદી સરકારે લોકસભા ચૂંટણીમાં ખેડૂતોને આકર્ષવા માટે પીએમ કિસાન સહાય સ્કિમમાં રકમ વધારી શકે છે અને તે માટે આગામી બજેટમાં 60 હજાર કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો આ રકમ વધારીને 8 હજાર કરવામાં આવે છે તો વાર્ષિક ફાળવણી વધારીને 88 હજાર કરોડ કરવી પડશે. સરકારે જો આ રકમ 9 હજાર કરે છે તો ફાળવણી 99 હજાર કરોડ રૂપિયા થશે. 


15 હપ્તામાં 2.8 કરોડ ટ્રાન્સફર કરાયા


સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ-કિસાન હેઠળ, પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે અને તે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ માનવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 15 હપ્તામાં ખેડૂતોના ખાતામાં 2.8 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.