ખેડૂતો આનંદો! લોકસભા ચૂંટણી પહેલા PM-કિસાન સહાય સ્કીમની રકમમાં થશે વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-12 14:03:25

દેશના 11 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, કેન્દ્ર સરકાર પીએમ-કિસાન સહાય હેઠળ મળનારી રકમ વધારી શકે છે. નાણામંત્રી નિર્ણલા સિતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સરકારનું છેલ્લુ બજેટ રજુ કરશે, આ વચગાળાના બજેટમાં પીએમ-કિસાન નિધિમાં વૃધ્ધીની જાહેરાત થઈ શકે છે. સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર બે મહિને 6 હજાર રૂપિયા મળે છે. મોદી સરકાર તે રકમ વધારીને 8 હજારથી 9 હજાર કરી શકે છે. જ્યારે મહિલા લાભાર્થીઓ માટે આ રકમ વધારીને 10 હજારથી 12 હજાર કરી શકાય છે. આ સ્કિમની જાહેરાત વર્ષ 2019માં કરવામાં આવી હતી અને લોકસભા ચૂંટણી પહેલા તેનો પહેલો હપ્તો ખેડુતોના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. 


સરકારે બજેટમાં કરી 60 હજાર કરોડની જોગવાઈ


મોદી સરકારે લોકસભા ચૂંટણીમાં ખેડૂતોને આકર્ષવા માટે પીએમ કિસાન સહાય સ્કિમમાં રકમ વધારી શકે છે અને તે માટે આગામી બજેટમાં 60 હજાર કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો આ રકમ વધારીને 8 હજાર કરવામાં આવે છે તો વાર્ષિક ફાળવણી વધારીને 88 હજાર કરોડ કરવી પડશે. સરકારે જો આ રકમ 9 હજાર કરે છે તો ફાળવણી 99 હજાર કરોડ રૂપિયા થશે. 


15 હપ્તામાં 2.8 કરોડ ટ્રાન્સફર કરાયા


સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ-કિસાન હેઠળ, પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે અને તે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ માનવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 15 હપ્તામાં ખેડૂતોના ખાતામાં 2.8 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.