ઘર કા ભેદી લંકા ઢાયે, આ 6 બળવાખોરો ભાજપની બાજી બગાડી શકે


  • Published By :
  • Published Date : 2022-11-23 22:30:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ઉમેદવારો જીતની આશાએ પ્રચાર કરી રહ્યા છે. જો કે આ દરમિયાન કેટલાક અસંતુષ્ટોએ પણ ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. ટિકિટ ન મળવાથી નારાજ આ બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ અસંતુષ્ટ ઉમેદવારો તેમના વિસ્તારમાં લોકપ્રિય હોવાથી જીતના પ્રબળ દાવેદાર મનાય છે. ભાજપના પણ છ બળવાખોરો પાર્ટી શિસ્તની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જે ભાજપની બાજી બગાડી શકે છે. ભાજપના આ બાગી નેતાઓ કોણ છે તે જાણવું રસપ્રદ બની રહેશે.


હર્ષદ વસાવા


નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. ડો દર્શનાબેનનું નામ જેવું જાહેર થયું  કે,પૂર્વ ધારાસભ્ય અને પક્ષનો આદિવાસી ચહેરો હર્ષદ વસાવાએ બગાવત કરી. હર્ષદ વસાવાએ પક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી છે. હર્ષદ વસાવાને ભાજપના જ હજારો કાર્યકર્તાઓનું સમર્થન છે. 


અરવિંદ લાડાણી


જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી નથી. અહીંથી સીટીંગ ધારાસભ્ય દેવાભાઈ માલમને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે તેઓ નારાજ છે.


મધુ શ્રીવાસ્તવ


વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી નથી. જેનાથી નારાજ થઈને તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે આ વખતે અશ્વિન પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.


દિનેશ પટેલ (દિનુ મામા)


વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. હાલ આ બેઠક કોંગ્રેસના કબજામાં છે.


ધવલસિંહ ઝાલા 


બાયડ બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલા જીત્યા હતા. બાદમાં ધવલસિંહ ભાજપમાં જોડાતા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ભાજપના ધવલસિંહ ઝાલાને હરાવ્યા હતા. આ વખતે  ભાજપે ભીખીબેન પરમારને મેદાને ઉતાર્યા છે. ધવલસિંહનું પત્તું કપાતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા સામે તેમનો મુકાબલો છે. મહેન્દ્ર સિંહ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર છે.


માવજી દેસાઈ


બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી ભાજપના ભગવાનજીભાઇ ચૌધરી છે. ધાનેરા સીટ માટે ભાજપના નેતા માવજી દેસાઈએ પણ ટિકિટ માંગી હતી પણ તેમની માગ ભાજપે નકારી દીધી હતી.  હવે માવજી દેસાઈએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં તેઓ કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે હારી ગયા હતા.  કોંગ્રેસે આ ચૂંટણીમાં પણ નાથાભાઈ પટેલને ટિકિટ આપી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.