ઘર કા ભેદી લંકા ઢાયે, આ 6 બળવાખોરો ભાજપની બાજી બગાડી શકે


  • Published By :
  • Published Date : 2022-11-23 22:30:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ઉમેદવારો જીતની આશાએ પ્રચાર કરી રહ્યા છે. જો કે આ દરમિયાન કેટલાક અસંતુષ્ટોએ પણ ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. ટિકિટ ન મળવાથી નારાજ આ બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ અસંતુષ્ટ ઉમેદવારો તેમના વિસ્તારમાં લોકપ્રિય હોવાથી જીતના પ્રબળ દાવેદાર મનાય છે. ભાજપના પણ છ બળવાખોરો પાર્ટી શિસ્તની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જે ભાજપની બાજી બગાડી શકે છે. ભાજપના આ બાગી નેતાઓ કોણ છે તે જાણવું રસપ્રદ બની રહેશે.


હર્ષદ વસાવા


નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. ડો દર્શનાબેનનું નામ જેવું જાહેર થયું  કે,પૂર્વ ધારાસભ્ય અને પક્ષનો આદિવાસી ચહેરો હર્ષદ વસાવાએ બગાવત કરી. હર્ષદ વસાવાએ પક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી છે. હર્ષદ વસાવાને ભાજપના જ હજારો કાર્યકર્તાઓનું સમર્થન છે. 


અરવિંદ લાડાણી


જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી નથી. અહીંથી સીટીંગ ધારાસભ્ય દેવાભાઈ માલમને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે તેઓ નારાજ છે.


મધુ શ્રીવાસ્તવ


વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી નથી. જેનાથી નારાજ થઈને તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે આ વખતે અશ્વિન પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.


દિનેશ પટેલ (દિનુ મામા)


વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. હાલ આ બેઠક કોંગ્રેસના કબજામાં છે.


ધવલસિંહ ઝાલા 


બાયડ બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલા જીત્યા હતા. બાદમાં ધવલસિંહ ભાજપમાં જોડાતા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ભાજપના ધવલસિંહ ઝાલાને હરાવ્યા હતા. આ વખતે  ભાજપે ભીખીબેન પરમારને મેદાને ઉતાર્યા છે. ધવલસિંહનું પત્તું કપાતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા સામે તેમનો મુકાબલો છે. મહેન્દ્ર સિંહ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર છે.


માવજી દેસાઈ


બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી ભાજપના ભગવાનજીભાઇ ચૌધરી છે. ધાનેરા સીટ માટે ભાજપના નેતા માવજી દેસાઈએ પણ ટિકિટ માંગી હતી પણ તેમની માગ ભાજપે નકારી દીધી હતી.  હવે માવજી દેસાઈએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં તેઓ કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે હારી ગયા હતા.  કોંગ્રેસે આ ચૂંટણીમાં પણ નાથાભાઈ પટેલને ટિકિટ આપી છે.




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.