ઘર કા ભેદી લંકા ઢાયે, આ 6 બળવાખોરો ભાજપની બાજી બગાડી શકે


  • Published By :
  • Published Date : 2022-11-23 22:30:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ઉમેદવારો જીતની આશાએ પ્રચાર કરી રહ્યા છે. જો કે આ દરમિયાન કેટલાક અસંતુષ્ટોએ પણ ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. ટિકિટ ન મળવાથી નારાજ આ બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ અસંતુષ્ટ ઉમેદવારો તેમના વિસ્તારમાં લોકપ્રિય હોવાથી જીતના પ્રબળ દાવેદાર મનાય છે. ભાજપના પણ છ બળવાખોરો પાર્ટી શિસ્તની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જે ભાજપની બાજી બગાડી શકે છે. ભાજપના આ બાગી નેતાઓ કોણ છે તે જાણવું રસપ્રદ બની રહેશે.


હર્ષદ વસાવા


નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. ડો દર્શનાબેનનું નામ જેવું જાહેર થયું  કે,પૂર્વ ધારાસભ્ય અને પક્ષનો આદિવાસી ચહેરો હર્ષદ વસાવાએ બગાવત કરી. હર્ષદ વસાવાએ પક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી છે. હર્ષદ વસાવાને ભાજપના જ હજારો કાર્યકર્તાઓનું સમર્થન છે. 


અરવિંદ લાડાણી


જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી નથી. અહીંથી સીટીંગ ધારાસભ્ય દેવાભાઈ માલમને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે તેઓ નારાજ છે.


મધુ શ્રીવાસ્તવ


વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી નથી. જેનાથી નારાજ થઈને તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે આ વખતે અશ્વિન પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.


દિનેશ પટેલ (દિનુ મામા)


વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. હાલ આ બેઠક કોંગ્રેસના કબજામાં છે.


ધવલસિંહ ઝાલા 


બાયડ બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલા જીત્યા હતા. બાદમાં ધવલસિંહ ભાજપમાં જોડાતા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ભાજપના ધવલસિંહ ઝાલાને હરાવ્યા હતા. આ વખતે  ભાજપે ભીખીબેન પરમારને મેદાને ઉતાર્યા છે. ધવલસિંહનું પત્તું કપાતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા સામે તેમનો મુકાબલો છે. મહેન્દ્ર સિંહ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર છે.


માવજી દેસાઈ


બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી ભાજપના ભગવાનજીભાઇ ચૌધરી છે. ધાનેરા સીટ માટે ભાજપના નેતા માવજી દેસાઈએ પણ ટિકિટ માંગી હતી પણ તેમની માગ ભાજપે નકારી દીધી હતી.  હવે માવજી દેસાઈએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં તેઓ કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે હારી ગયા હતા.  કોંગ્રેસે આ ચૂંટણીમાં પણ નાથાભાઈ પટેલને ટિકિટ આપી છે.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.