ઘર કા ભેદી લંકા ઢાયે, આ 6 બળવાખોરો ભાજપની બાજી બગાડી શકે


  • Published By :
  • Published Date : 2022-11-23 22:30:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ઉમેદવારો જીતની આશાએ પ્રચાર કરી રહ્યા છે. જો કે આ દરમિયાન કેટલાક અસંતુષ્ટોએ પણ ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. ટિકિટ ન મળવાથી નારાજ આ બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ અસંતુષ્ટ ઉમેદવારો તેમના વિસ્તારમાં લોકપ્રિય હોવાથી જીતના પ્રબળ દાવેદાર મનાય છે. ભાજપના પણ છ બળવાખોરો પાર્ટી શિસ્તની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જે ભાજપની બાજી બગાડી શકે છે. ભાજપના આ બાગી નેતાઓ કોણ છે તે જાણવું રસપ્રદ બની રહેશે.


હર્ષદ વસાવા


નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. ડો દર્શનાબેનનું નામ જેવું જાહેર થયું  કે,પૂર્વ ધારાસભ્ય અને પક્ષનો આદિવાસી ચહેરો હર્ષદ વસાવાએ બગાવત કરી. હર્ષદ વસાવાએ પક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી છે. હર્ષદ વસાવાને ભાજપના જ હજારો કાર્યકર્તાઓનું સમર્થન છે. 


અરવિંદ લાડાણી


જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી નથી. અહીંથી સીટીંગ ધારાસભ્ય દેવાભાઈ માલમને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે તેઓ નારાજ છે.


મધુ શ્રીવાસ્તવ


વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી નથી. જેનાથી નારાજ થઈને તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે આ વખતે અશ્વિન પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.


દિનેશ પટેલ (દિનુ મામા)


વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. હાલ આ બેઠક કોંગ્રેસના કબજામાં છે.


ધવલસિંહ ઝાલા 


બાયડ બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલા જીત્યા હતા. બાદમાં ધવલસિંહ ભાજપમાં જોડાતા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ભાજપના ધવલસિંહ ઝાલાને હરાવ્યા હતા. આ વખતે  ભાજપે ભીખીબેન પરમારને મેદાને ઉતાર્યા છે. ધવલસિંહનું પત્તું કપાતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા સામે તેમનો મુકાબલો છે. મહેન્દ્ર સિંહ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર છે.


માવજી દેસાઈ


બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી ભાજપના ભગવાનજીભાઇ ચૌધરી છે. ધાનેરા સીટ માટે ભાજપના નેતા માવજી દેસાઈએ પણ ટિકિટ માંગી હતી પણ તેમની માગ ભાજપે નકારી દીધી હતી.  હવે માવજી દેસાઈએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં તેઓ કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે હારી ગયા હતા.  કોંગ્રેસે આ ચૂંટણીમાં પણ નાથાભાઈ પટેલને ટિકિટ આપી છે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .