આ 7 દિગ્ગજ મહિલા સાંસદોને મળ્યું મોદી સરકારની કેબિનેટ મંડળમાં સ્થાન, જાણો કોણ છે તે દમદાર મહિલાઓ?


  • Published By :
  • Published Date : 2024-06-10 16:25:02

મૈં નરેન્દ્ર દામોદરદાસ મોદી.. આપણે પ્રધાન મંત્રીને ગઈ કાલે ત્રીજી વાર વડાપ્રધાન પદ માટે શપથ લેતા સાંભળ્યા..  મોદી 3.0 સરકારમાં ઘણી મહિલાઓને મંત્રી પણ બનાવવામાં ઘણા નવા ચહેરાને પણ સ્થાન અપાયા છે કયા દમદાર મહિલા મંત્રીઓ રિપીટ થયા છે તેની વાત કરીએ.. મોદી સરકાર 3.0માં આ વખતે 7 મહિલા સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયા આ બધી મહિલો સંસદ ગજવશે સાથે જ દેશના મોટા નિર્ણયોમાં આ લોકોનો ફાળો હશે! 

નિર્મલા સિતારમણે લીધા મંત્રી તરીકે શપથ

સૌથી પહેલા વાત નિર્મલા સીતારામણથી શરૂ કરીએ તો  સીતારમણ 2006માં ભાજપમાં સામેલ થયા હતા. 2010માં પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સ્વરૂપે નિમણૂક થઈ હતી. 2014માં નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં આંધ્રપ્રદેશમાંથી એક જૂનિયર મંત્રી તરીકે સામેલ થયા હતા. અને આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય પદે ચૂંટાયા હતા.અને પછી આપણે એમને નાણાં મંત્રી તરીકે દર બજેટમાં ભાષણ આપતા જોઈએ છીએ.. નિર્મલા સીતારમણે ગઈકાલે મંત્રી તરીકે શપથ લીધા છે..  



અન્નપૂર્ણા દેવીને આપવામાં આવી ટિકીટ 

મોદી કેબિનેટમાં ઝારખંડમાંથી ચૂંટાઈ આવેલા અન્નપૂર્ણા દેવી બીજી વખત સાંસદ બન્યા છે. અગાઉ 2019માં કોડરમામાંથી ભાજપ તરફથી તે ચૂંટણી લડ્યા હતા અને તેમની જીત થઈ હતી. ભાજપે તેમને શિક્ષણ રાજ્યમંત્રી બનાવ્યા હતાં. આ વખતે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતાં બીજી વખત મંત્રી પદ આપવામાં આવ્યું છે. અન્નપૂર્ણા દેવી યાદવ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાંથી એક છે.



સૌથી યુવા મહિલા સાંસદ બન્યા   

અનુપ્રિયા પટેલ ઉત્તરપ્રદેશના રાજકારણમાં સૌથી યુવા મહિલાનો ચહેરો છે. તે પોતાના પિતા સોનેલાલની પાર્ટી અપના દળનું પ્રતિનિધિત્વ કરે છે. અપના દળ પાર્ટી બે જૂથમાં વહેંચાયેલી છે. ત્રીજી વખત લોકસભા સાંસદ શોભા કરંદલાજે ફરી એકવાર મોદી મંત્રીમંડળમાં સામેલ થયા છે. અગાઉ તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. ફરી એક વાર તેમના પર પણ પક્ષે વિશ્વાસ મૂક્યો છે.. અને સૌથી યંગ મહિલા મંત્રી રક્ષા ખડસેએ પણ મંત્રી તરીકે શપથ લીધા. 37 વર્ષીય રક્ષા ખડસે મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા એકનાથ ખડસેના દિકરાની વહુ છે. તેમના પતિ નિખિલ ખડસેએ ગોળી મારી આત્મહત્યા કરી હતી.


ગુજરાતના નિમુબેન બન્યા સાંસદ

અને હવે આપણાં ગુજરાતી બહેન પર આવીએ નિમુબેન ગુજરાતના ભાવનગરના સાંસદ છે. જે પહેલા મેયર હતા ભાવનગરમાંથી પૂર્વ સાંસદ ભારતીબેન શાયલના સ્થાને તેમણે ચૂંટણી લડી હતી. જેમાં વિપક્ષને સાડા ચાર લાખ મતોની જંગી બહુમતીથી હરાવ્યા હતા.અને નિમુબેન મેયરથી હવે મંત્રી બન્યા છે!  છેલ્લે વાત કરવી છે એક આદિવાસી મહિલાનેતા તરીકે જાણીતા સાવિત્રી ઠાકુરની જે ધાર લોકસભા બેઠકમાંથી જીત હાંસલ કરનાર મહિલા સાંસદ છે . 46 વર્ષીય સાવિત્રી ઠાકુર મધ્યપ્રદેશમાં ભાજપનો લોકપ્રિય ચહેરો છે. પંચાયતથી માડી સંસદ સુધીની સફર તેમણે જોઈ છે. અને હવે આ 7 નારી શક્તિ દેશના નિર્ણયોમાં ભાગીદાર હશે આ મંત્રીઓને કયું મંત્રાલય આપવામાં આવે છે તે જોવાનું રહ્યું!  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.