આ પક્ષીઓને થઈ રહ્યો છે રોગ, 20 હજાર પક્ષીઓને મારવાનો આદેશ અપાયો


  • Published By :
  • Published Date : 2022-10-28 16:16:19

કેરળના એવિયન એન્ફ્લુએન્ઝાના વધતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સાવચેતી વધારી દીધી છે. કેન્દ્રીય મંત્રાલય તરફથી ગુરુવારે એવિયન ફ્લૂથી જોડાયેલા કેસની તપાસ માટે સાત સભ્યોની એક ટીમ કેરળ મોકલી દીધી છે. આ ટીમ પોતાની રીપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપશે અને સાથે જ તેને રોકવા માટેના સુજાવો આપશે. 


24 હજાર પક્ષીઓને મારી નાખવામાં આવશે

અલાપ્પુજા જિલ્લામાં એવિયન ફ્લૂની બીમારીની પુષ્ટી કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ બુધવારે આ રોગને ફેલાતો રોકવા માટે હરિપદ નગરપાલિકાના વજુથનમ વૉર્ડમાં 20 હજારથી વધુ પક્ષીઓને મારવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. ભોપાલની રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાનમાં આ રોગના નમુનાની તપાસમાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારના 1 કિલોમીટરના પક્ષીઓને મારી નાખવામાં આવશે. પક્ષીઓને મારવામાં આવશે ત્યાર બાદ આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. 


કેવી રીતે ફેલાયો આ પક્ષીઓનો રોગ?

ગત પાંચ દિવસથી કેરળના કુટ્ટનાડ વિસ્તારમાં હરિપદ નગરપાલિકા વિસ્તારમાં લગભગ 1300 બતકોના મોત થયા બાદ કેરળના અલાપ્પુજા જિલ્લામાં લગભગ 20 હજાર 500 પક્ષીઓને મારવાનો નિર્ણય આપી દેવામાં આવ્યો છે. હરિપદ નગરપાલિકાના નવમાં નંબરના વોર્ડના પોલ્યુટ્રી ફાર્મમાં લગભગ 1500 જેટલા પક્ષીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.