આ પક્ષીઓને થઈ રહ્યો છે રોગ, 20 હજાર પક્ષીઓને મારવાનો આદેશ અપાયો


  • Published By :
  • Published Date : 2022-10-28 16:16:19

કેરળના એવિયન એન્ફ્લુએન્ઝાના વધતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સાવચેતી વધારી દીધી છે. કેન્દ્રીય મંત્રાલય તરફથી ગુરુવારે એવિયન ફ્લૂથી જોડાયેલા કેસની તપાસ માટે સાત સભ્યોની એક ટીમ કેરળ મોકલી દીધી છે. આ ટીમ પોતાની રીપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપશે અને સાથે જ તેને રોકવા માટેના સુજાવો આપશે. 


24 હજાર પક્ષીઓને મારી નાખવામાં આવશે

અલાપ્પુજા જિલ્લામાં એવિયન ફ્લૂની બીમારીની પુષ્ટી કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ બુધવારે આ રોગને ફેલાતો રોકવા માટે હરિપદ નગરપાલિકાના વજુથનમ વૉર્ડમાં 20 હજારથી વધુ પક્ષીઓને મારવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. ભોપાલની રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાનમાં આ રોગના નમુનાની તપાસમાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારના 1 કિલોમીટરના પક્ષીઓને મારી નાખવામાં આવશે. પક્ષીઓને મારવામાં આવશે ત્યાર બાદ આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. 


કેવી રીતે ફેલાયો આ પક્ષીઓનો રોગ?

ગત પાંચ દિવસથી કેરળના કુટ્ટનાડ વિસ્તારમાં હરિપદ નગરપાલિકા વિસ્તારમાં લગભગ 1300 બતકોના મોત થયા બાદ કેરળના અલાપ્પુજા જિલ્લામાં લગભગ 20 હજાર 500 પક્ષીઓને મારવાનો નિર્ણય આપી દેવામાં આવ્યો છે. હરિપદ નગરપાલિકાના નવમાં નંબરના વોર્ડના પોલ્યુટ્રી ફાર્મમાં લગભગ 1500 જેટલા પક્ષીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.