Gujarat માટે આ તારીખો ભારે! ભર ઉનાળે કરાઈ માવઠાની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં વસતા ખેડૂતોની વધશે ચિંતા?


  • Published By :
  • Published Date : 2024-04-10 16:59:50

એક તરફ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ વરસાદની આગાહીએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. કમોસમી વરસાદની આગાહીએ જગતના તાતની મુશ્કેલી વધારી દીધી છે. ગરમી વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

News18 Gujarati

News18 Gujarati

હવામાન વિભાગની આગાહીએ વધારી જગતના તાતની ચિંતા 

સામાન્ય રીતે વરસાદની આગાહી ચોમાસા દરમિયાન કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો અને ઉનાળા દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં આવેલા વરસાદે જગતના તાતને હેરાન પરેશાન કરી દીધા હતા ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરાતા ખેડૂત ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 13 તારીખે સુરત, નવસારી,વલસાડ, ગીર સોમનાથ તેમજ કચ્છના અનેક ભાગોમાં વરસાદ થશે. જો 14 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. 15 એપ્રિલની વાત કરીએ તો દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ કચ્છમાં માવઠું આવી શકે છે.

News18 Gujarati

News18 Gujarati

16 એપ્રિલ સુધી આ જગ્યાઓ પર આવી શકે છે માવઠું  

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. 13 તારીખ સુધી આકરો તાપ પડશે. 13થી 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આટલા ફેરબદલ આવી રહ્યા છે. જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.