Gujarat માટે આ તારીખો ભારે! ભર ઉનાળે કરાઈ માવઠાની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં વસતા ખેડૂતોની વધશે ચિંતા?


  • Published By :
  • Published Date : 2024-04-10 16:59:50

એક તરફ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ વરસાદની આગાહીએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. કમોસમી વરસાદની આગાહીએ જગતના તાતની મુશ્કેલી વધારી દીધી છે. ગરમી વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

News18 Gujarati

News18 Gujarati

હવામાન વિભાગની આગાહીએ વધારી જગતના તાતની ચિંતા 

સામાન્ય રીતે વરસાદની આગાહી ચોમાસા દરમિયાન કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો અને ઉનાળા દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં આવેલા વરસાદે જગતના તાતને હેરાન પરેશાન કરી દીધા હતા ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરાતા ખેડૂત ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 13 તારીખે સુરત, નવસારી,વલસાડ, ગીર સોમનાથ તેમજ કચ્છના અનેક ભાગોમાં વરસાદ થશે. જો 14 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. 15 એપ્રિલની વાત કરીએ તો દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ કચ્છમાં માવઠું આવી શકે છે.

News18 Gujarati

News18 Gujarati

16 એપ્રિલ સુધી આ જગ્યાઓ પર આવી શકે છે માવઠું  

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. 13 તારીખ સુધી આકરો તાપ પડશે. 13થી 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આટલા ફેરબદલ આવી રહ્યા છે. જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે..   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી