Gujarat માટે આ તારીખો ભારે! ભર ઉનાળે કરાઈ માવઠાની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં વસતા ખેડૂતોની વધશે ચિંતા?


  • Published By :
  • Published Date : 2024-04-10 16:59:50

એક તરફ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ વરસાદની આગાહીએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. કમોસમી વરસાદની આગાહીએ જગતના તાતની મુશ્કેલી વધારી દીધી છે. ગરમી વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

News18 Gujarati

News18 Gujarati

હવામાન વિભાગની આગાહીએ વધારી જગતના તાતની ચિંતા 

સામાન્ય રીતે વરસાદની આગાહી ચોમાસા દરમિયાન કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવ્યો અને ઉનાળા દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં આવેલા વરસાદે જગતના તાતને હેરાન પરેશાન કરી દીધા હતા ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરાતા ખેડૂત ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 13 તારીખે સુરત, નવસારી,વલસાડ, ગીર સોમનાથ તેમજ કચ્છના અનેક ભાગોમાં વરસાદ થશે. જો 14 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. 15 એપ્રિલની વાત કરીએ તો દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ કચ્છમાં માવઠું આવી શકે છે.

News18 Gujarati

News18 Gujarati

16 એપ્રિલ સુધી આ જગ્યાઓ પર આવી શકે છે માવઠું  

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે 16 એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. 13 તારીખ સુધી આકરો તાપ પડશે. 13થી 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આટલા ફેરબદલ આવી રહ્યા છે. જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.