TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા આ ધારાસભ્યો, કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને કરી રજૂઆત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-25 09:45:57

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટેટ-ટાટ ઉમેદવારો થોડા સમય પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાના હતા પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જે જગ્યા પર તેમને રાખવામાં આવ્યા હતા ત્યાં રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. 

ઉમેદવારોના સમર્થનમાં આવ્યા ધારાસભ્યો

ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવી કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને રજૂઆત કરતી ટ્વિટ કરી છે. ઉપરાંત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને વિનંતી કરી છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. તેમણે લખ્યું કે જો શિક્ષકોનું જ ભવિષ્ય ખતરામાં હશે તો રાષ્ટનું નિર્માણ કઈ રીતના કરશે?  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.