TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા આ ધારાસભ્યો, કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને કરી રજૂઆત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-25 09:45:57

છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટેટ-ટાટ ઉમેદવારો થોડા સમય પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાના હતા પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જે જગ્યા પર તેમને રાખવામાં આવ્યા હતા ત્યાં રામધૂન ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. 

ઉમેદવારોના સમર્થનમાં આવ્યા ધારાસભ્યો

ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેટ ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવી કાયમી ભરતી કરવામાં આવે તેવી સરકારને રજૂઆત કરતી ટ્વિટ કરી છે. ઉપરાંત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને વિનંતી કરી છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. તેમણે લખ્યું કે જો શિક્ષકોનું જ ભવિષ્ય ખતરામાં હશે તો રાષ્ટનું નિર્માણ કઈ રીતના કરશે?  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે