ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ ધારાસભ્યોને મળી શકે છે મંત્રીપદ


  • Published By :
  • Published Date : 2022-12-12 10:23:54

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટ પર કમળ ખીલ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ થયેલા મંત્રીઓ પણ શપથ લેવાના છે. ત્યારે કયા ધારાસભ્યને મંત્રી પદ મળશે તે અંગે અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધારાસભ્ય સંભવિત મંત્રી હોઈ શકે છે. 

Know Your Candidate: Harsh Sanghavi from Majura, Surat of BJP -

Rushikesh Ganeshbhai Patel, BJP MLA from Visnagar – Our Neta


આ છે સંભવિત મંત્રીઓના નામ 

ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી જીતેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે. સંભવિત મંત્રીઓની વાત કરીએ તો મજૂરા વિધાનસભાથી જીત મેળવનાર હર્ષ સંઘવી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, ખંભાળિયાના ધારાસભ્ય મૂળુ બેરા, ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકી, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર, દેવગઢ બારિયાના ધારાસભ્ય બચ્ચુ ખાબડ, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મોડાસાના ધારાસભ્ય ભીખુ પરમાર, કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા, માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિના નામનો સમાવેશ થાય છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.