ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ ધારાસભ્યોને મળી શકે છે મંત્રીપદ


  • Published By :
  • Published Date : 2022-12-12 10:23:54

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટ પર કમળ ખીલ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ થયેલા મંત્રીઓ પણ શપથ લેવાના છે. ત્યારે કયા ધારાસભ્યને મંત્રી પદ મળશે તે અંગે અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધારાસભ્ય સંભવિત મંત્રી હોઈ શકે છે. 

Know Your Candidate: Harsh Sanghavi from Majura, Surat of BJP -

Rushikesh Ganeshbhai Patel, BJP MLA from Visnagar – Our Neta


આ છે સંભવિત મંત્રીઓના નામ 

ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી જીતેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે. સંભવિત મંત્રીઓની વાત કરીએ તો મજૂરા વિધાનસભાથી જીત મેળવનાર હર્ષ સંઘવી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, ખંભાળિયાના ધારાસભ્ય મૂળુ બેરા, ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકી, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર, દેવગઢ બારિયાના ધારાસભ્ય બચ્ચુ ખાબડ, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મોડાસાના ધારાસભ્ય ભીખુ પરમાર, કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા, માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિના નામનો સમાવેશ થાય છે.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.