ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ ધારાસભ્યોને મળી શકે છે મંત્રીપદ


  • Published By :
  • Published Date : 2022-12-12 10:23:54

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટ પર કમળ ખીલ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ થયેલા મંત્રીઓ પણ શપથ લેવાના છે. ત્યારે કયા ધારાસભ્યને મંત્રી પદ મળશે તે અંગે અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધારાસભ્ય સંભવિત મંત્રી હોઈ શકે છે. 

Know Your Candidate: Harsh Sanghavi from Majura, Surat of BJP -

Rushikesh Ganeshbhai Patel, BJP MLA from Visnagar – Our Neta


આ છે સંભવિત મંત્રીઓના નામ 

ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી જીતેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે. સંભવિત મંત્રીઓની વાત કરીએ તો મજૂરા વિધાનસભાથી જીત મેળવનાર હર્ષ સંઘવી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, ખંભાળિયાના ધારાસભ્ય મૂળુ બેરા, ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકી, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર, દેવગઢ બારિયાના ધારાસભ્ય બચ્ચુ ખાબડ, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મોડાસાના ધારાસભ્ય ભીખુ પરમાર, કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા, માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિના નામનો સમાવેશ થાય છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.