Suratમાં પકડાયેલા આ લોકોને નકલી ACB અધિકારી કહેવા કે નકલી CBI ખબર જ ના પડે!


  • Published By :
  • Published Date : 2023-12-25 16:14:40

રાજ્યમાં નકલી અધિકારી ઝડપાવવાનો સિલસિલો યથાવત છે.  સુરત જિલ્લામાં કોસંબાની PP સવાણી યુનિવર્સિટીમાં નકલી cbi અધિકારી બની 3 લોકો ઘુસ્યા હતા. આ ત્રણમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બે શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી અધિકારીની ગાડીમાંથી મળ્યું.... 

નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપી ત્રણ લોકો યુનિ.માં નકલી ડિગ્રી બનાવતા હોવાની તપાસના નામે ઘૂસ્યા હતા. ત્રણેય લોકોએ સંચાલકને માર મારવાની પણ ધમકી આપી હતી. યુનિવર્સિટીના સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ નકલી અધિકારીઓની કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી – CBI લખેલું બોર્ડ પણ મળ્યું હતું. જે બાબતે પોલીસે બે યુવકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

તપાસના બહાને યુનિવર્સિટીમાં ઘૂસ્યો 

આરોપીઓએ ACB અને સીબીઆઈના અધિકારીની ઓળખ આપી તપાસના બહાને સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા. યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાનું કહી સંચાલકોને ધમકાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. 


ગુજરાતમાં નકલીની ભરમાર!

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ થોડા દિવસ પહેલા જુનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો હતો, નકલી Dyspની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. આ પહેલા નકલી MLA બની રોફ જમાવતા રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.


અસલી પરથી પણ ભરોસો ઉઠી ગયો!   

નકલી નામ સાંભળતા જ હવે ડર લાગે છે અને આ નકલીના ચક્કરમાં હવે અસલી પર પણ ભરોસો કરતાં વિચાર કરવો પડે એમ છે. કારણ કે ગુજરાતમાં કોઈ જ નકલી વસ્તુ બાકી નથી રહી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી