Suratમાં પકડાયેલા આ લોકોને નકલી ACB અધિકારી કહેવા કે નકલી CBI ખબર જ ના પડે!


  • Published By :
  • Published Date : 2023-12-25 16:14:40

રાજ્યમાં નકલી અધિકારી ઝડપાવવાનો સિલસિલો યથાવત છે.  સુરત જિલ્લામાં કોસંબાની PP સવાણી યુનિવર્સિટીમાં નકલી cbi અધિકારી બની 3 લોકો ઘુસ્યા હતા. આ ત્રણમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બે શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી અધિકારીની ગાડીમાંથી મળ્યું.... 

નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપી ત્રણ લોકો યુનિ.માં નકલી ડિગ્રી બનાવતા હોવાની તપાસના નામે ઘૂસ્યા હતા. ત્રણેય લોકોએ સંચાલકને માર મારવાની પણ ધમકી આપી હતી. યુનિવર્સિટીના સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ નકલી અધિકારીઓની કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી – CBI લખેલું બોર્ડ પણ મળ્યું હતું. જે બાબતે પોલીસે બે યુવકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

તપાસના બહાને યુનિવર્સિટીમાં ઘૂસ્યો 

આરોપીઓએ ACB અને સીબીઆઈના અધિકારીની ઓળખ આપી તપાસના બહાને સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા. યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાનું કહી સંચાલકોને ધમકાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. 


ગુજરાતમાં નકલીની ભરમાર!

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ થોડા દિવસ પહેલા જુનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો હતો, નકલી Dyspની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. આ પહેલા નકલી MLA બની રોફ જમાવતા રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.


અસલી પરથી પણ ભરોસો ઉઠી ગયો!   

નકલી નામ સાંભળતા જ હવે ડર લાગે છે અને આ નકલીના ચક્કરમાં હવે અસલી પર પણ ભરોસો કરતાં વિચાર કરવો પડે એમ છે. કારણ કે ગુજરાતમાં કોઈ જ નકલી વસ્તુ બાકી નથી રહી.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.